SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૬૫ અને વૈકિય શરીરની સાથે તો આત્મા તે જ ભવમાં સંબંધ છે દે છે. આહારકને ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્ત છે એટલે એ તે એક ભવ સુધી પણ આત્મા સાથે સંબંધ રાખતું નથી. આથી કરીને પ્રવાહ રૂપે આત્મા સાથે અનાદિ સંબંધ જાળવનારાં તે તૈજસ અને કાર્માણ શરીરે જ છે. એકી વખતે કયા જીવને કેટલાં શરીર હોઈ શકે?— મુક્તાવસ્થામાં જીવને કઈ પણ કાળે એક પણ શરીર નથી. તત્વાર્થની બૃહદવૃત્તિ(પૃ.૨૦૩)માં સૂચવાયું છે તેમ કેટલાક આચાર્યને એ પણ મત છે કે અંતરાલગતિ દરમ્યાન કેવળ કામણ શરીર હોય છે, કેમકે તેજસ શરીર લબ્ધિ-જન્ય છે અને એ લબ્ધિનું પણ મરણ થતાં મરણ થાય છે. તેમના આ મત પ્રમાણે એમ કહી શકાય કે સંસારી જીવને ઓછામાં ઓછું એક શરીર હોઈ શકે અને તે પણ જ્યારે તે સ સારી જીવ ઋજુ ગતિ કે વક ગતિ દ્વારા ભવાંતર કરતો હોય ત્યારે સમજવું. 'સાધારણ માન્યતા અનુસાર તેજસ અને કામણ શરીરનું સંસારી જીવ સાથે અનાદિ સાહચર્ય વિચારતાં ભવાંતર દરમ્યાન સંસારી જીવને આ બે જ શરીરે હોય છે. આ સિવાયની અવસ્થા દરમ્યાન શરીર-પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ મનુષ્ય અને તિર્યંચને તેજસ, કામણ અને દારિક એ ત્રણ શરીરે હોય છે, જ્યારે દેવે અને નારકોને તેજસ, કામણ અને વૈકિય એ ત્રણ શરીર હોય છે. પરંતુ અત્રે એ ધ્યાનમાં રાખવું કે શ્રુતકેવલી પ્રમુખ અપ્રમત્ત ગુણસ્થાને વત. નારા મુનીશ્વરેને તૈજસ, કામણ અને દારિક શરીર ઉપરાંત આહારક શરીર પણ હોય છે. અર્થાત એકંદરે તેમને ચાર શરીરે સંભવી શકે છે. વળી યથાયોગ્ય લબ્ધિશાળી જીવ (દેવતા અને નારક સિવાયના)ને તેજસ, કામણ અને દારિક એ ત્રણ ઉપરાંત એથું વેકિય શરીર હઈ શકે. આ ઉપરથી સાર એ નીકળે કે કઈ પણ કાળે કઈ પણ જીવને વૈક્રિય તેમજ આહારક એ બે શરીર એક સાથે સંભવી શકતાં નથી. અને તેમ હોવાથી કઈ પણ સમયે કેઈ પણ જીવને પાંચે પાંચ શરીરે હોઈ શકે નહિ; અર્થાત્ વધારેમાં વધારે ચાર શરીરે (અને ૧ સરખા પ્રજ્ઞાપના (પ. ૨૧ )નું નિમ્નલિખિત ર૭૬ મું સૂત્ર – " जस्स तेयगमरीरं तस्स कम्मगसरीरं णियमा अत्यि, जस्त वि कम्मगसरीरं तस्स वि तेयगसरीरं णियमा अस्थि ।" यस्य तेजसशरीरं तस्य कर्मक कार्मण)शरीरं नियमादस्ति, यस्यापि कार्मणशरीरं तस्यापि तैजस शरीरं नियमादस्ति । ] ૨ જેમ ત્રણ શરીરે શરીર-પર્યાપ્ત બાદ સંભવે છે, તેમ ચાર શરીર એ પર્યાપ્તિથી પર્યાપ્ત થયા બાદ સંભવે છે. ૩ સરખા પ્રજ્ઞાપનાના ૨૭ મા સુત્રગત નિમ્નલિખિત પંક્તિઃ " जस्त वेउब्धियसरीरं तस्स आहारगसरीरं नस्थि, जस्त बि आहारगसरीरं તક કિ વે વિચારી જ ! " . [यस्य वैर्विकशरीरं तस्याहारकशगीरं नास्ति, यस्याप्याहारकशरीरं तस्यापि वैकुर्विकशरीरं नास्ति । 69 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy