________________
४१४
જીવ-અધિકાર.
[ પ્રથમ
મતાંતર ઉભવતા હોય એમ જણાય છે. વળી આવી માન્યતાવાળાનું એ કથન છે કે લબ્ધિ વિના પણ આહારને પચાવવાની જે શક્તિ જોવાય છે તે કામણ શરીરને લીધે જ છે, કેમકે શરીર કમને લીધે ઉષ્ણ છે. વળી કામણ શરીરમાં અનેક શક્તિઓ રહેલી છે અને એથી કરીને એ વિશ્વકર્માનું અનુકરણ કરે છે. આ પ્રમાણે કામણ શરીર તૈજસ શરીરનું કામ બજાવે છે તે એ અપેક્ષાએ કામણ શરીરને “તેજસ” પણ કહેવામાં આવે તો પણ તેમાં કશો વાંધો આવતો નથી.
શરીર અને આત્માને સંબંધ
તેજસ અને કામણ શરીરે આત્માના જાણે પરમ શત્રુ હોય છે જ) તેમ તેને પીછો છોડતાં નથી, કેમકે એ શરીરે આત્માની સાથે અનાદિ કાળથી સંબંધ ધરાવે છે. અત્ર કેઈને એવી શંકા ઊઠે કે જ્યારે આ શરીરે આત્મા સાથે અનાદિ કાળથી સંયુક્ત છે તો પછી એ શરીરને સર્વથા નાશ કેમ થઈ શકે અને જ્યારે તેને નાશ ન થાય તે પછી મુક્તિની તો વાત જ શી? આના સમાધાનમાં સમજવું કે કોઈ પણ કમ—વ્યક્તિ આત્માની સાથે અનાદિ કાળથી સંયક્ત નથી, કેમકે આત્મા સાથે પ્રતિક્ષણે નવાં નવાં કર્મ બંધાતા જાય છે અને જુનાં પાનાં ખરતાં જાય છે. પરંતુ પૃથક પૃથક્ કર્મના સંગને પ્રવાહ આત્મા સાથે અનાદિ કાળથી સંબંધ ધરાવે છે.
કહેવાની મતલબ એ છે કે જેમ અમુક ઝાડ અમુક બીજમાંથી ઉત્પન્ન થયું, તે બીજ વળી અમુક ઝાડમાંથી ઉત્પન્ન થયું, તે અમુક ઝાડ વળી અમુક બીજમાંથી ઉત્પન્ન થયું એમ વિચારતાં અર્થાત કાર્ય-કારણુરૂપ સંબંધની સામાન્ય વિવેક્ષા કરતાં બીજ અને ઝાડ વચ્ચે અનાદિ સંબંધ છે, કિન્તુ આ બીજમાંથી ઝાડ થયું, આ ઝાડનું તે બી હતું એમ વિશેષ અપેક્ષાએ વિચારતાં એ બેને સંબંધ સાદિ છે, તેમ તેજસ અને કાર્પણ શરીરને ફરી ફરીને થનારાં નિમિત્ત અને નૈમિત્તિકની સંતતિની અપેક્ષાએ અનાદિ સંબંધ છે, જ્યારે વિશેષ અપેક્ષાએ સાદિ સંબંધ છે.
અત્રે એ ધ્યાનમાં રાખવું કે સાદિ કે અનાદિ સંબંધ એકાંતથી નથી. કેઈ પણ જીવને કામણ શરીર સાથે એકાંતથી સાદિ સંબંધ નથીકેમકે આત્યંતિક શુદ્ધિથી વિભૂષિત આત્માને અભિનવ શરીર સાથે કારણ વિના સંબંધ હોઈ શકે જ નહિ. વળી એકાંતથી સાદિ સંબંધ થયે એ સ્વીકારતાં મુક્ત છને પણ એકાએક શરીર પ્રાપ્ત થાય અને તેમ થતાં તેમના મુક્તત્વ ઉપર પાણી ફરી વળે. વળી તૈજસ અને કામણને એકાંતથી અનાદિ સંબંધ પણ નથી, કેમકે જે તેમ હોય તે તેને કદાપિ નાશ ન થાય, જેમકે આકાશ એકતે અનાદિ છે તે તેને નાશ નથી. આથી એ ફલિત થાય છે કે જે ભાવાત્મક પદાર્થ વ્યક્તિરૂપે અનાદિ હોય તેને જ નાશ થતો નથી, જેમકે પરમાણુને.
આ ઉપરથી જોઈ શકાય છે કે આત્માની સાથે દરેક કર્મ–વ્યક્તિને સંબંધ આદિમાન છે. કેઈ કર્મવ્યક્તિ આત્માની સાથે સર્વદા સ્થાયી રહેતી નથી. જ્યારે આ બાબત છે, ત્યારે પ્રબળ શુક્લ ધ્યાન દ્વારા કર્મને સમૂળ નાશ થાય એ માનવામાં વાંધે રહે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org