SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ-અધિકાર [ પ્રથમ ના સુધીમાં તેને રેકનાર કેઈ નથી; ફક્ત ત્રસ–નાની બહાર તેઓ જઈ શકે નહિ. આ પ્રમાણે તેમની ગતિ સર્વત્ર અખલિત નહિ હેવાથી તત્વાર્થસૂત્ર (અ. ૨, સુ. ૪ )માં તેજસ અને કાર્માણ શરીરેને જ અપ્રતિઘાતક તરીકે ઉલ્લેખ છે. શરીરનાં પ્રજને ધર્મ-અધર્મનું ઉપાર્જન, સુખ-દુઃખને અનુભવ તથા કેવલજ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ એ દારિક શરીરનાં પ્રયોજન છે. એક રૂપ કે અનેક રૂપ ધારણ કરવાં, સૂક્ષ્મ કે સ્થળ આકૃતિ ધારણ કરવી, આકાશ-ગમન કરવું, સંઘને સહાયતા કરવી ઇત્યાદિ કાર્યો વૈક્રિય શરીર દ્વારા થઈ શકે છે. સૂકમ અર્થ પરત્વે ઉપસ્થિત થયેલ સંદેહનું નિરાકરણ, જિનેશ્વરની ઋદ્ધિનું અવકન ઈત્યાદિક કાર્ય કરવામાં આહારક શરીરને ખપ પડે છે. એ આ પ્રમાણેના પ્રશસ્ત ઉદ્દેશથી બનાવાતું હોવાથી નિરવધે છે. શાપ દે, અનુગ્રહ કરે, ભોજનને પચાવવું ઇત્યાદિ કાર્યો ‘તેજના વિકારરૂપ કે તેજોમય એવા તેજસ શરીર પર આધાર રાખે છે. સર્વ શરીરેના કારણરૂપ કામણુ શરીર અન્ય ભવમાં ગમન કરવામાં કામ લાગે છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભેગ છે અને તે કઈને કઈ રીતે પાંચે શરીરે પરત્વે સંભવે છે. આથી કઈ શંકા કરે કે આ કથન તે તત્ત્વાર્થ (અ. ૨) ના “નિદભામત્ય એ ૪૫ મા સૂત્રથી વિરુદ્ધ જાય છે, તે તે સમજફેરને આભારી છે. સામાન્ય રીતે ‘ઉપગને અર્થ એ છે કે કણેન્દ્રિયાદિ દ્વારા શુભ, અશુભ શબ્દ વગેરે વિષયોનું ગ્રહણ કરી સુખ-દુઃખને અનુભવ કરવો, હાથ, પગ વગેરે અવયવે દ્વારા દાનાદિ શુભ કમને કે હિંસાદિ અશુભ કર્મને બંધ કર, બાંધેલાં શુભ કે અશુભ કર્મોના ફળને સારે કે માઠા અતુભવ કરે તેમજ શુભ અનુષ્ઠાન દ્વારા કમની નિર્જરા કરવી એ છે. ટૂંકમાં કહીએ તો સુખ-દુઃખને ભેગવવાં, કર્મ બાંધવાં, કમ ભેગવવાં અને તેની નિર્જરા કરવી એ ઉપભોગ છે. આ ઉપભેગ દારિક, વૈકિય અને આહારક શરીર પરત્વે સહેલાઈથી ઘટે છે, કેમકે તેઓ ઈન્દ્રિય અને અવયથી યુક્ત છે. તેજસ શરીર ઇન્દ્રિય અને અવયવથી રહિત હોવાથી એના સંબંધમાં આવો ઉપભોગ ઘટતો નથી છતાં એને નિરુપભેગ કહેવામાં આવતું નથી તેનું કારણ એ છે કે એ -શરીરને પાચન-શક્તિ અને અનુગ્રહ વગેરે કાર્યોમાં ઉપયોગ થાય છે અને તેમ થતાં એ દ્વારા સુખ-દુ:ખને અનુભવ, કમને બંધ વગેરે થાય છે. કહેવાની મતલબ એ છે કે સાક્ષાત્ તેજસ શરીર પરત્વે દારિકાદિ શરીરને લાગુ પડતા ઉપભેગો નથી, પરંતુ એવા ઉપભેગોનું તૈજસ શરીર કારણ હોવાથી ઔપચારિક રીતે તેને સેપભેગ કહ્યું છે. આવી બારીકાઈથી વિચારીશું તે સમજાશે કે કામણ શરીર એ સર્વ શરીરેનું મૂળ છે એટલે અન્ય શરીરેના ઉપભેગ તે એના જ ગણી શકાય અને તેમ થતાં એને પણ પગ કહી શકાય. આથી સમજાયું હશે ૧ “ અતિશાસે ” ! ૨ જુઓ શ્રીવિષ્ણકુમારનું ચરિત્ર. છે જુઓ તત્વાર્થ (અ. ૨, સે. ૪૯ )નું ભાષ્ય (પૃ. ૨૧૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy