SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૪૫૫ રહેલા છે. તેમની વજામય ઠિક્કરિકા-ઠીંકરી (કુડચ) એક હજાર યોજન પ્રમાણુક છે. આથી કરીને નિશ્ચળ રહેલા એ કળશમાં (તેમજ લઘુ કળશમાં) એકદમ નીચલા ત્રીજા ભાગમાં કેવળ વાયુ છે, વચલા ત્રીજા ભાગમાં જળ અને વાયુ બે છે અને ઉપરના ત્રીજા ભાગમાં કેવળ જળ છે. સીમન્તક વગેરે નરકમાં રહેલો કોઈક નારક પાતાલકલશની સમીપમાં રહીને મરણાંતિક સમુદઘાત કરે તે એ પાતાલકલશના કુડચને ભેદીને એ કલશના વચલા કે નીચલા ત્રીજા ભાગમાં માછલા તરીકે ઉત્પન્ન થાય; કેમકે એથી આગળ તિર્યંચ કે મનુષ્યને સંભવ નથી અને નરક મરીને તિર્યંચ કે મનુષ્ય સિવાયની ગતિમાં જન્મે તેમ નથી જ. નારકેની તેજસ અવગાહના ઉત્કૃષ્ટપણે નીચે છેક સાતમી નરક સુધી છે, કેમકે એમને પિતાના સ્થાનને વિષે રહેવાને સંભવ છે; તિર્ય દિશામાં એક “સ્વયંભૂરમણ” સમુદ્ર સુધી છે, કારણ કે ત્યાં નારકેની મસ્યરૂપે ઉત્પત્તિને સંભવ છે; અને ઊંચે છેક “પાંડુક વનના જળાશય સુધી છે, કેમકે એથી ઊંચે મનુષ્ય કે તિર્યંચને સંભવ નથી. પંચેન્દ્રિય તિર્યંચની તૈજસ અવગાહના– પંચેન્દ્રિયની તૈજસ અવગાહના જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી વિકસેન્દ્રિયની સમાન જાણવી. જ્યારે આના અધિષ્ઠાયક દેવોનાં ક્રમવાર કાલ, મહાકાલ, વલંબ અને પ્રભંજન એ નામો છે. પ્રત્યેક પાતાલકલશ મૂળમાં તેમજ મુખમાં દશ હજાર યોજન વિસ્તીર્ણ (વિષ્કવાળો) છે, જ્યારે મધ્યમાં એક લાખ યોજન વિસ્તીર્ણ છે. આ પ્રમાણેના ચાર પાતાલ-કલશનાં અંતરોમાં બીજા નાના પાતાલ-કલશે છે. તેની કલે સંખ્યા ૭૮ ૮૪ છે, કેમકે પ્રત્યેક પાતાલ-કલશના પરિવારરૂપે ૧૯૭૧ લઘુ પતલકવશે છે આ પ્રત્યેકનાં મૂળનો, મધ્યનો અને મુખને વિઝંભ અનુક્રમે સે, હજાર ને સે યોજન છે, જ્યારે તેની ભૂમિમાં અવગાહના હજાર યોજનની છે અને તેની ઠિક્કરિકા દશ યે જનની છે. જગતના તથાવિધ સ્વભાવને લઈને એ વખતે મકરર કરેલા વખતે દિવસમાં બે વાર જ મેટા નાના બધા કલશોમાં સૌથી નીચલા તેમજ તેની ઉપરના ત્રિભાગમાં બહુ મોટા, ઊર્ધ્વ ગમનશીલ તેમજ પ્રબળ શક્તિવાળા વાયુકાય છે ઉત્પત્તિને અભિમુખ થાય છે અને ત્યાર બાદ ક્ષણમાં સંચ્છિમરૂપે ઉત્પન્ન થાય છે. પછીથી તે ચલિત થઈ પરસ્પર અથડાય છે, ક્ષોભ પામે છે અને ઊંચે આમ તેમ પથરાય છે. આમ થવાથી બીજા વાયુઓને તેમજ જળને આઘાત પહોંચે છે અને તેથી જળ ઊંચે ઉછળે છે. આ પ્રમાણે નીચલા અને મધ્ય ત્રિભાગમાં રહેલા વાયુએ ભ પામતાં તેઓ ઊંચેના જળને બહાર કાઢે છે અને તેથી “શ્રવણ” સમુદ્રમાં વૃદ્ધિ થાય છે. પરંતુ વાયુઓ શાંત થતાં ફરીથી પાછું તે જળ તેના સ્થાનમાં આવી રહે છે એટલે પાછી હાનિ થાય છે. આ પ્રમાણે લવણ” સમુદ્રમાં વૃદ્ધિ-હાનિ થાય છે. ચૌદસ, આઠમ, અમાસ અને પૂનમને દિવસે એમાં ખાસ વિશેષતા જણાય છે. - ૧ “ રત્નપ્રભા' નામની પૃથ્વીમાં આવેલ આ નરકાવાસ છે. ૨ આપણે જે લોકમાં વસીએ છીએ એ તિર્યંગ-લોકમાં આવેલા સમુદ્રમાં આ છેલ્લામ છેલ્લો અને સૌથી મોટો સમુદ્ર છે. એના પછી જેમ કંઈ સમુદ્ર નથી તેમ કોઈ દીપ પણ નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy