SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫રે છવ-અધિકાર [ પ્રથમ (દારક કે વૈક્રિય) જેવડાં હોય છે. વળી મરણતિક સમુદ્રઘાતને પામેલા જીવોની કામણ શરીરની અવગાહના એકેન્દ્રિયાદિ પ્રાણીઓના તેજસ શરીર જેવી હોય છે. કેમકે આ બે શરીરે સહચારી છે. મરણાંત-સમુઘાત વખતે સર્વે ના તેજસ શરીરની અવગાહના પિતાના દેહના જેટલી જા અને પહેલી હોય છે. મરણાંતિક સમુદઘાત વખતે એકેન્દ્રિય જીવોના તેજસ શરીરની અવગાહનાની લંબાઈમાં ફેર છે, કેમકે તે ઓછામાં ઓછી અંગુલના અસંખ્યાતમાં ભાગ એકેન્દ્રિયની જેટલી અને વધારેમાં વધારે લેકના એક છેડાથી બીજા છેડા અવગાહના સુધીની છે; કારણ કે એકેન્દ્રિય જીની ઉત્પત્તિને આ પ્રમાણે સંભવ છે. આ અપેક્ષા પ્રમાણે વિચારતાં સામાન્યપણે જીવની તેજસ અવગાહના લેકના એક છેડાથી બીજા છેડા સુધીની કહી શકાય છે. વિલેન્દ્રિયની તેજસ અવગાહના વિકલેન્દ્રિય જીવોના તેજસ શરીરની અવગાહના જઘન્યથી અંગુલના અંસખ્યાતમા ભાગ જેટલી છે, જ્યારે ઉત્કૃષ્ટથી તે તિર્યકાંત સુધીની છે, કેમકે વિકસેન્દ્રિયને સંભવ તિરંગ - લેકમાં જ છે. સાથે સાથે એ વાત પણ ધ્યાનમાં લઈએ કે અર્ધ-લેકમાં અલકના ગામની વાવો વગેરેમાં તેમજ ઊર્ધ્વ–લેકમાં “પાંડુક” વનની વાવ વગેરેમાં વિકસેન્દ્રિયને સંભવ છે તે ઉત્કૃષ્ટ અવગાહના અગ્રામ અને “પાડુક ” વનથી લોકાંત સુધીની કહી શકાય તેમ છે. નારકેની તેજસ અવગાહના નારકેની તેજસ અવગાહના જઘન્યપણે એક હજાર એજનથી કંઈક અધિક છે. “લવણુ” સમુદ્રની ચારે દિશામાં ચાર પાતાલકલશ છે. એ કળશો પૃથ્વીમાં એક લાખ યોજન અવગાહીને ૧ સ્વસ્થાન આશ્રીને સમજવો. ૨ જેનાથી કોઈ દીપ કે સમુદ્ર વીંટાયેલે નથી એ “ જંબુ' દ્વીપ જેમ સર્વ કી અને સમદ્રની મધ્યમાં છે તેમ એની વચ્ચોવચ્ચ એક લાખ યોજન જેટલે ઊંચો “મેરુ પર્વત આવેલો છે. ત્રણ કાંડવાળા આ પર્વત ત્રણે લોકમાં અવગાહીને રહેલો છે અને એ એક એકથી ઊંયાં એવાં ભદ્રશાળ, નંદન, સૌમનસ અને પાંડુક એ નામનાં ચાર વનોથી ઘેરાયેલો છે. * પાંડુક ' વન સૌથી ઊંચું છે અને તે “ મેરુ ' પર્વતની ટોચ ઉપર આવેલું છે. એને આકાર વલય જેવો છે. “ મેર ' પર્વતને મૂળમાં વલય–પરિક્ષેપી જે “ ભદ્રશાલ ' વન છે ત્યાંથી ૫૦૦ જન ઊંચે બીજુ તેવા આકારનું નંદન ' વન છે. ત્યાંથી ૬૨૫૦૦ જન ઊંચે ચઢીએ એટલે ગળકાર “સૌમનસ ' વન આવે છે. ત્યાંથી ૩૬૦૦૦ એજન ઊંચે ચઢતાં “પાંડુક’ વન આવે છે. આ વનમાં તીર્થકરને સ્નાત્ર–મહોત્સવ કરાય છે. ૩ મેરુ' પર્વતની પ્રત્યેક દિશામાં ૯૫૦૦૦ યોજન જેટલા “લવણું સમુદ્રને અવગાહીને એકેક પાતાલ-કલશ' છે. એને આકાર અલિંજર જે-મોટા કુંભ જેવો છે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્ત રમાં આવેલા પાનાલ-કલશેનાં નામે અનુક્રમે લડવામુખ કે વલયમુના, કેયૂ૫ કેયૂર, કે કેતુક, ચૂપ અને ઈશ્વર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy