SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. કાકાશના જેટલી એટલે ચૌદ રજજુની હોય છે. શરીરની અવગાહના આહારક શરીરની અવગાહનાના પ્રદેશે સૌથી ઓછા છે. એનાથી સંખ્ય ગુણ પ્રદેશમાં ઉત્કૃષ્ટ દારિક શરીર અવગાહીને રહે છે. એ પ્રદેશો કરતાં સંખ્ય ગુણ પ્રદેશમાં ઉત્કૃષ્ટ ક્રિય શરીર અવગાહીને રહે છે. અહંત પ્રભુ સમુદ્દઘાત કરે ત્યારે તેનાં બનને શરીરે લોકાકાશના તમામ પ્રદેશને અવગાહીને રહે છે. અન્ય જીના સંબંધમાં તે મરણ-સમુદ્દઘાતના સમયે તેજસ અને કામણ શરીરે ઉત્પત્તિ-સ્થાન સુધી લાંબાં હોય છે; બાકીના સમયે તે પિતતાનાં શરીર ( ૫ ) તેજસ-સમુદઘાતને પ્રાપ્ત થયેલો અને તેજલેશ્યરૂ૫ શક્તિવાળો છવ વક્રિયની પેઠે કર્મથી વીંટાયેલા એવા પોતાના આત્મ-પ્રદેશને શરીરથી બહાર કાઢીને તેને સ્વશરીરના જેટલો જાડો તેમજ પહોળા તથા સંખ્ય જન લાંબો દંડ બનાવી પૂર્વે બાંધેલા તેજસ અંશનું શાસન કરી અને અન્ય એગ્ય અંશને ગ્રહણ કરી તેજોલેસ્યા મૂકે. આનું નામ “ તેજસ–સમુદ્દઘાત ' છે. ( ૬ ) ચૌદ પૂર્વધારી આહારક લબ્ધિવાળા મુનિ આત્મ-આદેશે વડે પિતાના શરીરના જેટલે જડો અને પહોળા તેમજ સંખ્ય યોજન લાંબે દંડ બનાવી પુરાતન આહારક-પુગલોને ખેરવતા અને અન્ય યોગ્ય યુગલોને ગ્રહણ કરતા આહારક શરીર બનાવે. આ “ આહારક-સમુદ્દઘાત ? કહેવાય છે. વેદનાદિ સાત સમુદઘાતમાં અનુક્રમે અસાતવેદનીય-કર્મચારિત્રમોહનીય-કર્મ, આયુષ્ય-- કર્મ, વૈક્રિય–શરીર-નામ-કર્મ, તેજસ-શરીર–નામ-કમ, આહારક—શરીર–નામ-કર્મ અને વેદનીય, નામ તથા ગોત્ર એ ત્રિવિધ કર્મ, પ્રધાન પદ ભોગવે છે. નારકને વિષે તેજોલિબ્ધિ, આહારક–લબ્ધિ અને સર્વજ્ઞતાનો અભાવ હોવાથી તેમને પ્રથમના ચાર, અસુરકુમારાદિ દશે ભવનપતિઓને પહેલા પાંચ, વાયુકાય સિવાયના એકેન્દ્રિય તેમજ વિકન્દ્રિયને પ્રાથમિક ત્રણ, વાયુકાયિકને આદ્ય ચાર, પંચેન્દ્રિય તિર્થ"ચ પિકી કેટલાકને તેલબ્ધિ હોવાથી પ્રાથમિક પાંચ, મનુષ્યોને સાતે સાત અને વ્યંતર, તિક તેમજ વૈમાનિકને પાંચ સમુદતે સંભવે છે. એક જીવ આશ્રીને વેદનાદિ ચાર સમુદુધાતે અનંત વાર, આહારક-સમુધાત તે વધારેમાં વધારે ચાર વાર ( અને ચોથી વાર આહારક શરીર રચનાર તે જ ભવમાં મોક્ષે જાય છે અને કેવલિસમુદ્દઘાત એક જ વાર હોય છે. ૧ આંખના પલકારામાં એક લાખ યોજન જનાર દેવ છ મહિનામાં જેટલું અંતર કાપે તેને * રજા ? કહેવામાં આવે છે. આ વાતની નિમ્નલિખિત ગાથા સાક્ષી પૂરે છે " जोयणलापमाणं निमेस मित्तेण जाइ ज देवो । छम्मासेण य गमणं एगं 'रज्जं' जिणा बिति॥" । योजनलक्षप्रमाणं निमेषमात्रेण गच्छति यद देवः । षण्मासेन च गमनमेकां रज्जं जिना वदन्ति ॥1 એક હજાર ભારના માપવાળા ખૂબ તપેલા લેખંડના ગળાને પરાક્રમી દેવ જેરથી નીચે કે તો તે ગેળા ઘસાતે ઘસાતો ચંડ ગતિએ આવ આવ છ માસ, છ દિન, છ પ્રહર અને છ ઘડીમાં જેટલું અંતર કાપે તે અંતરને “રજ' કહેવામાં આવે છે એમ રત્નસંચયની ગાથાઓ ઉપરથી જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy