SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ જંપર જીવે--અધિકાર [ પ્રથમ કાકાશ જેવડાં મોટાં હોય છે. તે વખતે એની ઊંચાઈ શરીરે તેઓ સમુઘાત કરે ત્યારે ૧ કયા કેવલીઓ સમુદઘાત કરે અને તે કેવી રીતે કરે એને વિચાર અંતિમ ઉલ્લાસમાં કરીશું. અહીં તે એટલું જ નિવેદન કરીશું કે “ સમુહૂવાત માં એકીભાવવાચી , પ્રાબલ્યવાચી હતુ અને ગતિ તથા સંહારવાચક વાત શબ્દો છે. આત્મ-પ્રદેશને બહાર કાઢવા એ અર્થ ગતિ–પક્ષને સમજવો, જ્યારે કર્મ-પુદ્ગલેનો વિનાશ કરે-તેનું પરિશાટન કરવું એ સંહાર–પક્ષને અર્થ જાણ. કાલાંતરે ભોગવવાના હોય એવા કર્મ-પુગલેને પણ તરત બળ વાપરીને-ઉદીરણા વડે આ કવીને ખપાવી નાંખવા એ સમુદિત અર્થ છે. ભાવાર્થથી તે સમુદૃઘાત એટલે ગતિપરિણામ વિશેષ સમજ. અમુઘાતના એકંદર જે સાત પ્રકારો છે તેમાં કેવલિ-સમુધાત છેલો છે. એની પૂર્વેના છે છદ્મસ્થ આશ્રીને છે. આ છનાં નામે અનુક્રમે ( ૧ ) વેદના-જન્ય, ( ૨ ) કષાયજન્ય, ( ૩ ) મરણાંતિક ( મરણરૂપ અંતવાળા ), ( ૪ ) વક્રિય, ( ૫ ) આહારક અને ( ૬ ) તેજસ છે. આ છે અંતર્મુહૂર્ત જેટલા કાળના છે, જ્યારે કેવલિ–સમુઘાત આઠ સમય છે. આ છે પિકી છેવટના ચાર સમુદ્ધા સાથે તો પ્રસ્તુત પ્રકરણને સંબંધ છે જ એટલે એને તે વિચાર કરવો જ જોઈએ. સાથે સાથે બાકીના બેનું પણ પૂલ અવલોકન કરી લેવું સર્વથા અપ્રાસંગિક નહિ લેખાય એમ માની છએની નીચે મુજબ આછી રૂપરેખા આલેખવામાં આવે છે: ( ૧ ) વેદનાથી વ્યાકુળ બનેલો આત્મા અનંત પરમાણુઓ વડે વીંટાયેલા એવા પિતાના આત્મ–પ્રદેશને શરીરથી બહાર કાઢી, ખભા વગેરેનાં અંતરોને તેમજ મુખ વગેરે પાક ભાગોને તે વડે પૂરીને, લંબાઈ અને પહોળાઈથી પિતાના દેહ જેટલા ક્ષેત્રને અવગાહી-વ્યાપી અંતર્મુહૂર્તા સુધી રહે અને એ દરમ્યાન અસાત-વેદનીય કર્મના પુરાતન ઘણું અંશનું શાસન કરે–ખેરવી નાંખે. આનું નામ વેદના સમુદ્ધાત ' છે. ( ૨ ) એવી રીતે કષાયથી આકુળ વ્યાકુળ બનેલે જીવ પોતાના પ્રદેશથી મુખ વગેરે છિદ્રોને પૂરે અને તેને પૂર્વની પેઠે વિક્ષેપીને પોતાના દેહ જેટલા લાંબા પહોળા ક્ષેત્રમાં વ્યાપી કષાયમોહનીય કર્મના ઘણું અંશનું શાટન કરે અને સાથે સાથે હેતુ પૂર્વક અન્ય અનેક અંશોનું ગ્રહણ કરે (કેમકે, નહિ તે મોક્ષ પ્રાપ્તિને પ્રસંગ આવી જાય છે. આનું નામ “ કષાય–સમુદ્ધાત’ છે. - ( ૩ ) અંતર્મુહર્ત જેટલું આયુષ્ય બાકી રહ્યું હોય ત્યારે મરણાંતથી દુઃખી થતો નવ મુખાદિ છિદ્રોને પિતાના આતમ-પ્રદેશે વડે પૂરે અને જાડાઇ અને પહોળાઈમાં પોતાના શરીર જેટલા અને લંબાઈમાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા અને ઉત્કૃષ્ટથી એક દિશામાં ઉપત્તિ સ્થાન સુધી અસંખ્યાત યોજન જેટલા ક્ષેત્રને વ્યાપી અંતમુહતમાં મૃત્યુ પામે. આ પ્રમાણે મરણ-સમુદઘાતને પામેલો જીવ આયુષ્ય-કર્મના ઘણા પુદગલોનું શાતન કરે, પરંતુ નવા ન ગ્રહણ કરે. અત્રે એ વિશેષતા છે કે કોઈક જીવ એક જ મરણાંતિક સમુદઘાત વડે નરકાદિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં આહાર કરે છે તેમજ શરીર પણ બાંધે છે, જ્યારે કેઈક જીવ સમુદ્ધાતથી નિવૃત્ત થઈ સ્વશરીરમાં આવી ફરીથી સમુદ્રઘાત કરી ત્યાં ઉત્પન્ન થાય છે. આ સંબંધમાં જુઓ ભગવતી ( શ , ઉ. ૬, સં. ૨૪૫ ). (૪) વૈક્રિય-સમુદ્દઘાતને પામેલે વૈક્રિય શક્તિવાળે જીવ કર્મથી આવૃત એવા આત્મપ્રદેશને શરીરથી બહાર કાઢી, જાડાઈ અને પહોળાઇમાં પોતાના દેવ જેટ અને લંબાઈમાં સંખ્યાત જન તેને દંડ બનાવી પૂર્વે ઉપજિત ક્રિય–શરીર-નામ-કમના અંશનું શાતન કરતા વિક્રિય શરીરને યોગ્ય એવા સ્કંધને સમુદ્રઘાત કરે છે. આનું નામ “ વૈક્રિયસમુદ્યાત ' છે. ઉત્તર ક્રિય રૂપ ધારણ કરવાની જયારે જરૂર પડે ત્યારે આ સમુહ્નાત કરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy