________________
ઉલાસ |
આહંત દર્શન દીપિકા.
૪૩૧
કારણે પક્ષ છે, જ્યારે સંમૂછન-જનનું કારણ માંસાદિ પ્રત્યક્ષ છે અને તેનું કાર્ય જે શરીર છે તે પણ ઉભય લેકમાં પ્રત્યક્ષ છે, વાસ્તે સંમૂચ્છનને સૌથી પ્રથમ ઉલ્લેખ કરાયો છે. ગર્ભ-જન્મની નિષ્પત્તિ સંમૂચ્છના જન્મથી કાલ-પ્ર થાય છે. આથી કરીને સંપૂર્ણન પછી ગર્ભને નિર્દેશ કરાય તે ન્યા છે. સંમૂછનજ અને ગર્ભજ કરતાં ઉપપાતજનું આયુષ્ય વિશેષ હોવાથી પપાતિકને અંતમાં નિર્દેશ કરાય તે સમુચિત છે.
આ પ્રમાણે તત્ત્વાર્થરાજ (પૃ. ૯૮)માં સૂચવાયું છે, જ્યારે તવાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૧૯૦)માં એ નિર્દેશ છે કે પ્રત્યક્ષ તેમજ બહુ સ્વામીવાળું હોવાથી સંમૂરછનને પ્રાથમિક ઉલ્લેખ કરાયો છેપ્રત્યક્ષ દારિક શરીર સાથેના સાધમ્મને લઈને ત્યાર બાદ ગર્ભને ઉલ્લેખ કરાય છે, અને સ્વામીના વૈધમ્યને લક્ષ્મીને ઉપપાતને ત્યાર પછી ઉલ્લેખ કરાય છે.
નિ-પાચન
જન્મને માટે કેઈક સ્થાન તે હોવું જ જોઈએ. પૂર્વ ભવના શરીરને નાશ થયા બાદ જેસ્થાનમાં પહેલ વહેલાં સ્થળ દેહરૂપે પરિણુમાવવા માટે ગ્રહણ કરેલા પુદ્ગલ કામણ શરીરની સાથે તપાવેલા લોઢામાં જળની જેમ સમાઈ જાય છે તે સ્થાન “નિ” કહેવાય છે. આથી સમજાય છે કે યોનિ એ આધાર છે અને જન્મ એ આધેય છે,
| ગ્રંથકારના શબ્દમાં એ છે કે
तजसकार्मणशरीरवन्तो जन्तव औदारिकादिशरीरयोग्यस्कन्धसमुदायेन यत्र स्थाने युज्यन्ते तादृक्स्थानरूपत्वं योनेर्लक्षणम् । (१४०) અર્થાત તૈજસ અને કામણ શરીરવાળા છે જે સ્થાનમાં ઔદારિકાદિ શરીરને યોગ્ય એવા સ્કંધા સાથે જોડાય છે, તે સ્થાનને નિ” કહેવામાં આવે છે. આ જ વાત શ્રીમલયગિરિસૂરિએ પ્રજ્ઞાપનાના નવમાં પદની ટીકામાં (૨૨૫ મા પત્રમાં) કરેલા નીચેના વ્યુત્પત્તિ-અર્થ પરથી પણ જોઈ શકાય છે —
" "यु मिश्रणे' युवन्ति-तेजसकार्मणशरीरवन्तः सन्त औदारिकादिशरीरप्रायोग्यपुद्गलस्कन्धसमुदायेन मिश्रीभवन्त्यस्यामिति योनिः-उत्पत्तिस्थानम, औणादिको निप्रत्ययः।"
1 સરખા તત્વાર્થની બૃહદ વૃત્તિ ( પૃ. ૧૯૧)ગત નિમ્નલિખિત પંક્તિઃ–.
" अयमात्मा पूर्वभव शरीरनाशे तदनु शरीरान्तरप्राप्तिस्थाने यान् पुद्गलान् शरी. रार्थमादत्ते तान् कार्मणेन सह मिश्रयति तमायःपिण्डाम्भोग्रहणवच्छरीरनिर्वत्यर्थ बाह्य पुद्गलान् यस्मिन् स्थाने तत् स्थानं योनिः । "
૨ તસ્વાર્થરાજ (પૃ. ૯૯)માં કહ્યું પણ છે કે --- “ નિગરાનો વિશેષ ઉર વૈત , રાધેમેરા કોઇપત્તિ. I ''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org