________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૪૭ આત્માના પ્રદેશ જે ક્ષેત્રોમાં રહેલા હોય તેની બહાર રહેલા પુદગલોને પણ આત્માના પ્રદેશો સાથે સ્પર્શ તે ઘટી શકે છે તે આથી એ પ્રશ્ન ઉદભવે છે કે આત્માના પ્રદેશે જે ક્ષેત્રમાં હોય તે જ ક્ષેત્રમાં રહેલા આહાર-પુદગલને જીવ ગ્રહણ કરે છે કે તે ક્ષેત્રમાં નહિ રહેલાને પણ તે ગ્રહણ કરે છે? આના જવાબમાં સમજવું કે આત્મા–પ્રદેશને અવગાહીને જ રહેલા પુ૬ગલેને જીવ આહાર કરે છે. વળી આ પુદગલે પણ અંતર રહિત-વ્યવધાન રહિત અવગાહીને રહેલા હોવા જોઈએ; પરંપરાએ અવગાહી રહેલા પુદગલે ચાલે તેમ નથી. વિશેષમાં આવા પુદ્ગલેને પણ તે આનુપૂર્વી પૂર્વક જ આહાર કરે છે. હવે અનાહારનું લક્ષણ ગ્રંથકારે જે નીચે મુજબ રજુ કર્યું છે તેની નોંધ લઈ આપણે આ પ્રકરણ પૂર્ણ કરીશું.
तादृशाहाराभावरूपत्वमनाहारस्य लक्षणम् । (१३६ ) અર્થાત્ ઓજસ, લેમ અને કાવલિક એ ત્રણે જાતના આહારને અભાવ તે “અનાહાર છે.
જન્મની આલોચના
પૂર્વ ભવન સ્થલ દેહ છોડ્યા પછી અંતરાલગતિ દ્વારા કેવળ કામણ શરીરની સાથે ઉત્પત્તિ-ક્ષેત્રમાં આવીને નવીન ભવને ચોગ્ય સ્થૂલ દેહને અનુકૂળ પુલનું પહેલું પરિણમન કરવું તે “જન્મ” કહેવાય છે. જન્મના ત્રણ પ્રકારો
પૂર્વ ભવ સમાપ્ત થતાં સંસારી છવ પિતાનાં કર્મો અનુસાર નવીન ભવ ધારણ કરે છે અર્થાત તે ન જન્મ લે છે. આથી કરીને બધા જીના જન્મ એક સરખા નહિ હોવાથી (૧) સંમૂછન, (૨) ગર્ભ અને (૩) ઉપપાતથી એમ એના ત્રણ ભેદે પડે છે. આ વાત ગ્રંથકાર નીચે મુજબ નિદેશે છે –
सम्मूच्छिमग पपातभेदात् जन्म त्रेधा । તેમાં મૂર્ણિમનું લક્ષણ એ છે કે –
गर्भसामग्री विना समुद्भूतरूपत्वं सम्मूच्छिमस्य लक्षणम् , लोकत्रये यथायोग देहावयवविरचनरूपत्वं वा । (१३७) .
૧ જે જેમ રહેલા હોય તેમ તેને બહાર કરવા અથત એક શ્રેણિમાં જે પુગલો હોય તેને એક પછી એક એમ અનુક્રમ વાર, અમુકને છોડીને બીજાનું ગ્રહણ ન કરવા પૂર્વક આહાર કરે તે “ આનુપૂવ પૂર્વક ' આહાર છે.
૨ આશ્રયનું ગ્રહણ આશ્રીને ત્રણ ભેદ સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org