SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ४२६ જીવ-અધિકાર. [ પ્રથમ તે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર અને નીચે એમ છ છે. છતાં પણ કેટલીક દિશામાં લેકાકાશને અભાવ હોવાથી અને ત્યાં એલેકાકાશ આવેલું હોવાથી ત્યાંથી–તે દિશામાંથી આહાર હઈ જ કેમ શકે? કારણ કે અકાકાશમાં તે પુગલને અભાવ છે. અલકાકાશના સભાવને લઈને આહાર-દ્રવ્યોની જે સ્કૂલના થાય છે તેને “વ્યાઘાત' કહેવામાં આવે છે. કઈ પણ પ્રકારને વ્યાઘાત ન થાય તે છએ દિશાને આહાર હોય અને વ્યાઘાત થાય તો ત્રણ, ચાર કે પાંચ દિશાને આહાર હોય, જે એકેન્દ્રિય જીવ અધલોકના સૌથી નીચેના અગ્નિકેણના નિકુટમાં રહેલું હોય તે જીવની નીચે પૂર્વ અને દક્ષિણ દિશામાં અલકાકાશ આવેલું હોવાથી તે જીવને ત્રણ જ દિશાને આહાર સંભવે છે. એ પ્રમાણેને આહાર પાંચ જાતના સૂક્ષમ એકેન્દ્રિય તેમજ 'બાર વાયુકાય જીવોને હોઈ શકે. જે એકેન્દ્રિય જીવ અધેલોકમાં પશ્ચિમ દિશામાં રહેલું હોય તેને નીચેની તેમજ દક્ષિણ દિશામાં વ્યાઘાત પહોંચે અર્થાત તેને આ સિવાયની ચારે દિશાને આહાર હોઈ શકે છે. , જે એકેન્દ્રિય જીવ બીજી નરક આદિના પ્રસ્તર (પાથડા)માંની ઊર્વ અને પશ્ચિમ દિશાને અનુસરીને રહેલા હોય તેને ફક્ત દક્ષિણ દિશામાંથી જ આહાર મળી શકે નહિ; નીચેથી તે મળી શકે. આથી તેને પાંચ દિશાને આહાર સંભવે છે, જે જીવ વસનાડીમાં રહેલો હોય તેને તે છએ છ દિશાને આહાર હોઈ શકે. આથી જોઈ શકાય છે કે ઓછામાં ઓછા ત્રણ દિશાને આહાર તે જીવને છે જ. અત્ર કઈ પ્રશ્ન ઉઠાવે કે ત્રણ કરતાં ઓછી દિશાને આહાર ન હોવાનું શું કારણ તે આનું સમાધાન એ છે કે કાકાશનું સ્વરૂપ જ એવું છે કે તેને કઈ પણ ભાગ એ નથી કે જ્યાં ત્રણ દિશાથી ઓછી દિશાની પ્રાપ્તિ થાય. દ્રવ્યાદિ અપેક્ષા પૂર્વક આહાર-વિવરણ– . દ્રવ્યથી આહાર અનન્ત પ્રદેશાત્મક હોય છે, કેમકે સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશેવાળા સકંધો જીવને ગ્રહણ કરવા લાયક નથી–તે તેને ગ્રહણ કરી શકતું નથી. ક્ષેત્રથી આ આહાર અસંખ્યાત આકાશ-પ્રદેશને અવગાહીને રહે છે. કાલથી તે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળે છે ભાવથી તે આહાર વર્ણ અને રસે કરીને પાંચ પાંચ જાતને, ગંધે કરીને બે જાતનો અને સ્પર્શી કરીને આઠ પ્રકારનો છે. ;' ૧. ઉપર્યુક્ત નિકુટમાં બાર વાયુકાય જ હોય છે, કિન્તુ બાકીના બાદર એકેન્દ્રિય હતા નથી એ વાત ભગવતી ( શ૦ ૩૪, ઉ૦ ૧ મૂ૦ ૮૫ )ની વૃત્તિના ૯૬૧ મ પત્રણેતની નિમ્ન– લિખિત પંક્તિ પરથી જોઈ શકાય છે.- “ ૬ રકામ રે વાર: gfari-swifક્ર-સૈન-વનરાત ન ત્તિ, પૂજાતું જશfપ ઉત્ત, રાક વાયુવતિ ! ” ર બ ૩rણાવો જufછામનાથri fથતિ: ” | અર્થાત આહારને થોગ્ય બનેલા છે તદરૂપે જ્યાં સુધી રહે તે કાળને “ સ્થિતિ ' કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy