SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ જીવ-અધિકાર. [ પ્રથમ ગતિ નથી. વિશેષમાં એના ૯૭ મા પાનામાં સૂચવ્યું છે તેમ અવિગ્રહા યાને જુથી માંડીને તે ત્રિવિગ્રહા ગતિની અનુક્રમે ઈષ-ગતિ, પાણિ-મુક્તા, લાંગલિકા અને ગેમૂત્રિકા એવી અન્ય આક્ત સંજ્ઞા છે. આ પ્રત્યેકને અર્થ સમજાવતાં ત્યાં કહ્યું છે કે – પુતિરિપુતિ જ કામ ? | જોતિરાશિદજી, तथा संसारिणां सिध्यतां च जीवानां ऋज्वी गतिरेकसमयी। पाणिमुक्तेव पाणिमुक्ता । क उपमार्थः । यथा पाणिना तिर्यक् प्रक्षिप्तस्य द्रव्यस्य गतिरेकविग्रहा, तथा संसारिणामेकविग्रहा गतिः पाणिमुक्ता द्वैसमयिकी । लाङ्गलमिव लाङ्गलिका । क उपमार्थः ? । यथा लाङ्गलं द्विवक्रितं, तथा द्विविग्रहा गतिर्लाङ्गलिका त्रैसमयिकी। गोमूत्रिकेव गोमूत्रिका। क उपमार्थः ? । यथा गोमूत्रिका बहुवका, तथा त्रिविग्रहा गतिर्गोमूत्रिका चातुःसमयिकी।" અર્થાત્ ધનુષ્યના વેગથી પ્રેરાયેલા બાણની ગતિ જેમ લક્ષ્ય દેશ સુધી સીધી છે તેમ પૂર્વ શરીરજનિત વેગથી માત્ર પ્રેરિત એવી સંસારીની તેમજ મુક્તિએ જતા છની ગતિ સીધી છે અને તે એક સમયની છે. જેમ હાથથી તીર્થો ફેંકાયેલા પદાર્થની ગતિમાં એક વાંક હોય છે–તેમાં એક વાર સરળ રેખાને ભંગ થાય છે તેમ કેટલાક સંસારીઓની એવી ગતિ હોવાથી તે એકવિગ્રહ છે અને તે બે સમયની છે, જેમ પૂછડામાં બે વાંક હોય છે અર્થાત્ તેમાં બે વાર સરળ રેખાનો ભંગ થાય છે તેમ જે ગતિમાં બે વાંક હોય તે દ્ધિવિગ્રહા યાને લાંગલિકા છે અને તે ત્રણ સમયની છે. જેમ ગેમત્રિકામાં ઘણા વાંક હોય છે તેમ ત્રિવિગ્રહ ગતિ કે જેમાં સરળ રેખાને ત્રણ વાર ભંગ થાય છે તે ગોમૂત્રિકા છે અને તે ચાર સમયની છે. જીવની એવી કઈ પણ ગતિ નથી કે જેમાં ત્રણથી વધારે વાંક આવતા હોય, કેમકે જીવનું નવું ઉત્પત્તિ-ક્ષેત્ર ગમે તેટલું વિશ્રેણિમાં હેય-વક રેખાએ રહેલું હોય તે પણ તે ત્રણ વાંકમાં તે અવશ્ય જ પ્રાપ્ત થઈ જાય છે. પુદ્ગલની લેકાંત પર્વતની ગતિ ઋજુ જ છે, જ્યારે બીજી ગતિ ત્રાજુ હોય કે વક પણ હોય તેમજ વળી તેમાં કેટલા વાંક હેવા જોઈએ તેને કશે નિયમ નથી, કેમકે એને આધાર પ્રેરક નિમિત્ત ઉપર રહેલે છે. ગતિ માટે પ્રયત્ન જેમ મેક્ષે જતા જીવની ગતિ ઊર્ધ્વ સમણિ પૂર્વક જ છે, નહિ કે જરા પણ આવી પાછી અર્થાત તેના સંબંધમાં એક સરખે નિયમ છે તે સંસારી જીન-પુનર્જન્મ માટે પ્રયાણ કરતા આશ્રીને નથી; કેમકે જે સ્થાનમાં ઉત્પન્ન થવાનું છે તે સ્થાન નક્કી કરવામાં પૂર્વકૃત કર્મને હાથ છે. આથી કરીને તે સ્થાન સમશ્રેણિએ-પૂર્વ સ્થાનની બીલકુલ સરળ રેખામાં હોય કે વિશ્રેણિએ-વર્ક રેખામાં પણ હોય. આથી સમજાય છે કે વાંક વળતી વેળા તે જીવને ખાસ પ્રયત્ન કરે પડતે હવે જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy