________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા
૪૧૫ તેથી જ કરીને તેને એક કરતાં વધુ સમય લાગે અર્થાત પ્રથમ તે ક થી ખ અથવા ક થી ઘ જાય અને પછી ખ થી અથવા ઘ થી ગ જાય. આ પ્રમાણે તેને બે સમય લાગે. આ વાતને અન્ય શબ્દમાં કહીએ તે એમ કહી શકાય કે એક જીવ ઊર્વ લેકની પૂર્વ દિશામાંથી ચવીને-નીકળીને અધોલેકની પશ્ચિમ દિશામાં જવા નીકળ્યો છે તે તે પ્રથમ તે એક સમયમાં સમશ્રેણિ પ્રમાણે ગમન કરી નીચે જાય છે અને ત્યાર બાદ બીજા સમયમાં સ્વસ્થાને પહોંચી જાય છે. આ ગતિ એકવિગ્રહ દ્વિસામાયિકા અર્થાત એક વકવાળી બે સમયની વક્ર ગતિ જાણવી. હવે આપણે દ્વિવિગ્રહ ત્રિસામયિકા ગતિને વિચાર કરીએ.
ધારે કે એક જીવ ક થી નીકળી જ જાય છે તે તેને ત્રણ સમય લાગશે. જેમકે તે ક થી ખ, ખ થી ગ અને ગ થી જ જાય; અથવા ક થી ખ, ખ થી છ અને છ થી જ જાય; અથવા ક થી ઘ, ઘ થી ગ, ગ થી જ; અથવા ક થી ઘ, ઘ થી ઝ અને ૪ થી જ; અથવા ક થી ચ, ચ થી છ, છ થી જ અથવા ક થી ચ, ૨ થી ૪ અથવા ઝ થી જ જાય. આ ઉપરથી સમજી શકાય છે કે આ ત્રણ સમયવાળી ગતિ છે. અત્રે ધ્યાનમાં રાખવું કે જીવ ક થી અન્યત્ર ગયા સિવાય જ જઈ શકતો નથી. તેમજ કથી ખ, ખ થી ગ અને ગ થી જ જવાને બદલે ગ થી ઘ અને ઘ થી ઝ અને ઝથી જ જાય એમ બને નહિ. કેમકે જેમ બને તેમ ઓછા સમયમાં ગમન થવું જોઈએ અને તેને સારૂ સૌથી ટૂંકો માગે ગ્રહણ કરવાને છે અને તે ઉપર બતાવ્યું તે જ છે. નહિ કે ક થી ખ, ખ થી ગ, ગ થી ઘ, ઘ થી ૪ અને ૪ થી જ. આની આ વાત અન્ય રૂપે વિચારીએ. જેમકે એક જીવ ઊર્ધ્વ દેશના અગ્નિકેણમાંથી નીકળી અધે દેશના વાયવ્યકોણમાં જાય છે. પ્રથમ તે તે એક સમયમાં નીચે ઉતરે, ત્યાર બાદ બીજા સમયમાં પશ્ચિમ દિશામાં અને ત્રીજા સમયમાં વાયવ્યકોણમાં જાય. ત્રણ જેની આથી વધુ સમયવાળી અથવા વધુ વિગ્રહવાળી ગતિ સંભવી શકે નહિ, પરંતુ સ્થાવર જીવેની ગતિ આવી અથવા આથી વધારે સમય યા વિગ્રહવાળી હોઈ શકે અર્થાત તેની ગતિ એકવિગ્રહા. દ્વિવિગ્રહા, ત્રિવિગ્રહા અથવા ચતુર્વિગ્રહા એટલે કે એ સમયગાળી, ત્રણ સમયવાળી, ચાર સમયવાળી અને પાંચ સમયવાળી પણ હોય છે. ચાર સમયવાળી ગતિને વિચાર કરીશું તે જણાશે કે એક સમયમાં જીવ ત્રસનાડીની બહારના અધેલકમાંની વિદિશામાંથી દિશામાં જાય છે. બીજા સમયમાં વસનાલમાં પ્રવેશ કરે છે ત્રીજા સમયમાં ઊંચે જાય છે અને ચોથા સમયમાં કરીને ત્રસનાડીમાંથી નીકળીને પિતાના દિશાવિષયક સ્થાને જાય છે. આ વાત વિદિશામાંથી દિશામાં જનારને ઉદ્દેશી કહેલી છે. પરંતુ દિશામાંથી વિદિશામાં જનારો જીવ પ્રથમ સમયમાં નાડીમાં પ્રવેશ કરે છે, બીજે સમયે ઊંચે જાય છે, ત્રીજે સમયે નીચે અને ચોથે સમયે બહાર વિદિશામાં જાય છે. વળી જે વિદિશામાંથી નીકળી વિદિશામાં જવું હોય તે પાંચ સમય લાગે. જેમકે પ્રથમ સમયમાં વિદિશામાંથી દિશામાં જાય, બીજે સમયે નાડીમાં જાય, ત્રીજે સમયે ઊંચે જાય, ચેાથે સમયે નાડીમાંથી નીકળે અને પાંચમે સમયે વિદિશામાં જાય. દિગંબરીય માન્યતા
તત્વાર્થરાજ (પૃ. ૯૬) ઉપરથી જોવાય છે તેમ ત્રણ વિગ્રહથી અધિક વિગ્રહવાળી ૧ આનું સ્વરૂપ આગળ ઉપર વિચારાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org