________________
૪૧૪ છ–અધિકાર.
( પ્રથમ એટલે 'વક્રતા યાને વાંક. ઉપર્યુક્ત વિવેચનમાંથી તાત્પર્ય એ નીકળ્યું કે જે ગતિ કરવામાં એક જ સમય લાગે તે “જુ ગતિ અને એક કરતાં વધુ સમય લાગે તે “વક્ર ગતિ જાણવી. આ વક ગતિ ચાર પ્રકારની છે –(૧) એકવિગ્રહા, (૨) દ્વિવિગ્રહા, (૩) ત્રિવિગ્રહ અને (૪) ચતુર્વિગ્રહા; અર્થાત એકવિગ્રહ ગતિ કરનાર જીવને બે સમય લાગે છે, દ્વિવિગ્રહ ગતિ કરનારને ત્રણ સમય, ત્રિવિગ્રહા ગતિવાળાને ચાર અને ચતુર્વિગ્રહ ગતિયુક્ત પ્રાણીને પાંચ સમય લાગે છે. આ પ્રમાણેની હકીકત દ્રવ્યલોકપ્રકાશને આધારે લખવામાં આવી છેતવાથ-ભાષ્ય (પૃ.૧૮૬)માં તે લખ્યું છે કે ગતિ ચાર જ પ્રકારની છે-(૧) અવિગ્રહ અર્થાત્ એક સમયવાળી, (૨) એકવિગ્રહા અર્થાત બે સમયવાળી, (૩) દ્ધિવિગ્રહ અર્થાત્ ત્રણ સમયવાળી અને (૪) ત્રિવિગ્રહ અર્થાત્ ચાર સમયવાળી. પ્રતિઘાત તેમજ વિગ્રહના નિમિત્તને અભાવ હોવાથી આ કરતાં વધારે સમયવાળી ગતિ સંભવી શકતી નથી.
હવે પ્રસ્તુત વિષયને વિશેષ વિચાર કરીએ તે પૂર્વે એ ધી લઈએ કે સંસારી અને તે ઋજુ અને વક્ર એ બેમાંથી ગમે તે એક ગતિ હોઈ શકે છે. કિન્તુ તેમાં પણ એ ધ્યાનમાં રાખવું કે ચાર પ્રકારની વિગ્રહ-ગતિ પરત્વે એવો નિયમ છે કે જે ત્રસ જીવ મરીને પણ ત્રસ તરીકે ઉત્પન્ન થનાર હોય તે જીવની બે વિગ્રહ પર્યન્ત જ વકગતિ જાણવી અર્થાત્ તેને અજુ, એકવિગ્રહ અને દ્વિવિગ્રહા એ ત્રણમાંથી ગમે તે એક ગતિ હોઈ શકે, પરંતુ ત્રિવિગ્રહ કે ચતુર્વિગ્રહા ગતિ હેઈ શકે નહિ; જ્યારે જે સ્થાવર જીવ મરીને સ્થાવર તરીકે ઉત્પન્ન થનાર હોય તેને ઉપર્યુકત પાંચ પ્રકારની ગતિમાંની કઈ પણ ગતિ હોઈ શકે.
પ્રસ્તુતમાં ધારો કે આપણી પાસે એક પિટી છે. આ પેટીને છ બાજુઓ છે. તેમાં એક ઉપલી, એક નીચલી અને ચાર આજુબાજુની. ઉપલી બાજુ કખગઘ છે અને નીચલી બાજુ ચછજઝ છે. એ પ્રમાણે બીજી ચાર બાજુઓ પણ ઘટાવી લેવી.
હવે જીવ એક ભવથી અન્ય ભવ કરવામાં સમશ્રેણિ જ ગમન કરે છે, નહિ કે વિશ્રેણિ. દાખલા તરીકે ક થી નીકળેલ છવ ખ, ઘ, અથવા ચ પર આવે તે તે સમશ્રેણિ હજુ ગતિ થઈ. તે જ પ્રમાણે ખ થી નીકળે કાગ,છ, ગ થી નીકળેલ ખાઘજ; ઘ થી નીકળેલ ગ,કઝ; ચ થી નીકળેલ ક, છ,ઝછ થી નીકળેલ ખ,ચ,જ; જ થી નીકળેલ ગ,છ,ઝ; અને ઝ થી નીકળેલ ઘચ જ પર જાય તો તે પણ સમશ્રેણિ અજુ ગતિ સમજવી. આ સિવાયની અર્થાત્ ક થી નીકળેલ જીવ ખ,ઘ અથવા ચ સિવાય અન્યત્ર જાય તો તે ગતિ વક્રગતિ જાણવી (એ પ્રમાણે ખ,ઘ વગેરેથી નીકળનારા જીવોના સમ્બન્ધમાં સમજવું) અને એમ ગમન કરવામાં એક સમય કરતાં વધુ સમય જોઈએ. આથી સુતરાં જોઈ શકાય છે કે આ ગમન અજુ ગતિ અનુસાર હોઈ શકે નહિ. હવે ધારે કે ક થી નીકળેલ જીવ ગ જવા માંગે છે તે તે ક થી સડસડાટ કરતે ગ જઈ શકે નહિ અને
૧ સરખા તત્વાર્થ–ભાષ્ય (પૃ. ૧૮૨ )
૧ વિઘો તિકng gratત્તારિતરિજીનતમ્ ! " ૨ વધારેમાં વધારે પાંચ સમયવાળી ગતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org