________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૪૧૧ અર્થાત પૂર્વે કરેલા આહારના અભ્યાસથી જન્મતાં (બાળકને) સ્તન-પાનની ઇચ્છા થતી હેવાથી (પુનર્જન્મ સિદ્ધ થાય છે ). કહેવાનો મતલબ એ છે કે બાળકને જન્મ થતાં કેઈના પણ શીખવ્યા વિના તે સ્તનપાન કરે છે. આમાં કઈ પણ નિમિત્ત હોય તો તે તેના પૂર્વ જન્મને અભ્યાસ છે. જે તેમ ન હોય તે આ જન્મમાં તો ભૂખ લાગે ત્યારે ભેજન કરવું જે એ, માતાના સ્તનને અમુક રીતે ચૂસવાથી દૂધ મળશે ઈત્યાદિ જ્ઞાન કેઈ પણ શાળામાંથી તે લે ત્યાર પછી તેની તે દિશામાં પ્રવૃત્તિ થવી જોઈએ. પરંતુ વસ્તુસ્થિતિ એવી તો નથી જ એટલે જે પુનર્જન્મની સિદ્ધિ થાય છે.
જેઓ પુનર્જન્મ માનતા નથી તેમને ઉદ્દેશીને એક સ્થળે કહેવામાં આવ્યું છે કે તેમનાં તરતનાં જન્મેલાં નાજુક બાળકને પણ ભય અને શેક સતાવે છે તેનું શું કારણ? પૂર્વ જન્મ તે તેઓ માનતા નથી કે પૂર્વ ભવના પાપ-કર્મનું આ ફળ છે એમ તેઓ કહી શકે. વળી તેમનાં બચ્ચાઓને ગર્ભવાસ પણ ન હોવો જોઈએ, કેમકે ત્યાં તો અતિશય દુઃખ છે એટલે કે તેમનાં બાળકો આકાશમાંથી અદ્ધર અવતરવાં જોઈએ. જે મુસ્લિમ અને ખ્રિસ્તિઓ પુનર્જન્મને સ્વીકારતા નથી તેમના મત મુજબ પેગંબર હજરત મહમદ અને ઈશ્વર પુત્ર જીસસ ક્રાઈસ્ટ માતાના ગર્ભમાંથી પ્રકટ થયા તે એક અપવાદ જ હૈ જોઈએ, છતાં તેઓ આવા અપવાદને ચાલુ રાખે તે કેવી નવાઈ ! શું તેમણે પોતાનાં બાળકો માટે જન્મ ધારણ કરવાની નવી યુક્તિ નહિ શોધવી જોઈએ કે?
આ અંતમાં પુનર્જન્મને નહિ માનનારાએ એ પણ ખ્યાલમાં રાખવું જોઈએ કે દેહના પરમાણુઓમાં પ્રતિસમય પરિવર્તન થયા કરે છે, અરે વૈજ્ઞાનિકે કહે છે તેમ તે સાત વર્ષમાં દેહનાં સર્વ અવયવે નવાં થઈ જાય છે. આ પ્રમાણે સાત વર્ષમાં પ્રત્યેક પરમાણુમાં વિશ્રુતિરૂપ પરિવર્તન થઈ દેહનાં અવયમાં નૂતન પરમાણુને પ્રાદુર્ભાવ થાય છે અને તેમ છતાં દેહી-એ દેહમાં વસનારા આત્માનું અસ્તિત્વ કાયમ રહે છે. આથી શું એ ફલિત થતું નથી કે દર સાત સાત વ દેહના અવયવોમાં સર્વાગીણ પરિવર્તન થવા છતાં જ્યારે આત્માના અસ્તિત્વને અડચણ આવતી નથી તો પછી 'મૃત્યુરૂપ દેડના પરિવર્તનથી આત્માનું અસ્તિત્વ સદાને માટે ઊી જાય છે એમ માનવું એ મૂર્ખાઈ છે? -
આ પ્રમાણે આપણે પુનર્જન્મ પરત્વે ડોક વિચાર કરી લીધું છે એટલે હવે એને સ્વીકારનાર દર્શન સામે કયા કયા પ્રશ્ન ઉપસ્થિત થાય છે તેની ટુંકમાં નેધ કરી તેના ઉત્તરોનું પણ દિગ્દર્શન કરવું પ્રસ્તુત જણાય છે, પરંતુ તેમ કરવા પૂર્વ જીવના સંસરણ પરત્વેનું ગ્રંથકારનું નીચે મુજબનું કથન જોઈ લઈએઃ
૧ મૃત્યુનો અર્થ કંઈ આત્માને ઉછેદ નથી, પરંતુ જેમ આપણે કોઈ ઘરમાં ભાડે રહેતા હોઈએ અને તે ઘર કારણવશાત ખાલી કરી અન્યત્ર રહેવા જઈએ તેમ એક દેહ છણું શીર્ણ થતાં તેમાં વસનાર આમા પ્રસંગાનુસાર અન્ય દેહમાં પ્રવેશ કરે એ જ મૃત્યુનો અર્થ છે. એટલે કે પૂન દેટની સાથેનો આત્માને વિગ એ “ મૃત્યુ ” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org