________________
૪૧૦
' છવ-અધિકાર
( [ પ્રથમ આ પ્રમાણે આપણે આ ભારત તેમજ ગ્રીસ વગેરે દેશના વિચારકેન, પુનર્જન્મનું સમર્થન કરનારા ઉલેખે જોયા. હવે એની પ્રતીતિ કરાવનારી-પુનર્જન્મને સિદ્ધ કરનારી કેટલીક યુક્તિઓનું દિગ્દર્શન કરી લઈએ –
શ્રીગૌતમ મહર્ષિ પ્રણીત ન્યાયસૂત્ર (૩-૧-૧૯)માં કહ્યું છે કે
"ऊर्ध्वमपि देहभेदादवतिष्ठते । कुतः । पूर्वाभ्यस्तस्मृत्यनुबन्धात् जातस्य हर्षभयशोकसम्प्रतिपत्तेः ।" અર્થાત દેહના નાશ પછી પણ આત્મા ઊંચે રહે છે. શાથી ? પૂર્વ (જન્મ)ના અભ્યાસના મરણના વેગથી ઉત્પન્ન થયેલા (બાળક)માં હર્ષ, ભય અને શોકની પ્રતિપત્તિ હોવાથી (આત્મા મરણ પછી પણ રહે છે અર્થાત તે નિત્ય છે ).
આ સૂત્રના ભાષ્યકાર મહામુનિ વાત્સ્યાયન કર્યો છે કે –
" जातः खल्वयं कुमारकोऽस्मिन् जन्मनि अगृहीतेषु हर्षभयशोकहेतुषु हर्षभयशोकान् प्रतिपद्यते लिङ्गानुमेयान् , ते च स्मृत्यनुबन्धात् उत्पद्यन्ते, नान्यथा; स्मृत्यनुबन्धश्च पूर्वाभ्यासमन्तरेण न भवति, पूर्वाभ्यासश्च पूर्वजन्मनि सति, नान्यथा, इति सिध्यत्येतत्-अवतिष्ठतेऽयमूर्ध्व शरीरभेदादिति ।" અર્થાત ( તરતને) જન્મેલે આ કુમાર કે જેણે આ જન્મમાં હર્ષ, ભય અને શોકનાં કારણેને અનુભવ કર્યો નથી તેને વિષે પણ પ્રત્યક્ષપણે હર્ષ, ભય અને શક જણાય છે. આ હર્ષ, ભય અને શોક સ્મરણના વેગથી ઉત્પન્ન થાય છે, નહિ કે અન્યથા. વળી મરણને અનુબંધ પૂર્વ (જન્મ)ના અભ્યાસ વિના હેતું નથી. વિશેષમાં આ પૂર્વ અભ્યાસ પૂર્વ જન્મનું અસ્તિત્વ હોય તે જ સંભવે છે, નહિ કે અન્યથા. આથી કરીને એ સિદ્ધ થાય છે કે ભૌતિક દેહના વિનાશ પછી પણ આત્મા રહે છે.
આ ઉપરાંત વધારે ખૂબીદાર અને ખાત્રીલાયક પ્રમાણ ન્યાયસૂત્ર (૩-૧-૨)માં નીચે મુજબ મળી આવે છે –.
“ પારાદાપત્તાત, તથાનિસાપાત
૧ હાથ, આંખ વગેરેની ઇશારતથી કે ધીમેથી મોં વડે સીટી વગાડી માતા જ્યારે બાળકને બોલાવે છે ત્યારે તે વર્ષની પ્રફુલ્લિત થાય છે, અને જ્યારે માતા તેનાથી દૂર જાય છે ત્યારે તે રવા માંડે છે.
૨ “પુરારિ પ્રેમ : ”-ન્યાયસૂત્ર ( ૧-૧-૧૯):
પુનર્જન્મની સિદ્ધિ અને સાથે સાથે આ સરાણ અવસ્થા અને આત્માની અનાદિતાની પણ સિદ્ધિ નીતા 7 જાના ' એ ન્યાયસૂત્ર (૩-૧-૨૫) અને તેનું ભાષ્ય જોવાથી જણાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org