________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
४०३ અસંજ્ઞી કહેવા તે જ ઈષ્ટ-શ્રેયસ્કર છે.) પંચેન્દ્રિય તિર્યંચમાં જે સંમૂર્છાિમ હોય તે અસંસી અને જે ગર્ભ જ હોય તે સંજ્ઞી જાણવા. તેઓ ને સંજ્ઞો–ને અસંજ્ઞી હોઈ શકે નહિ. તિક અને વૈમાનિક દેવે તે સંજ્ઞીજ છે; એ સિવાયના બે ભાંગાએ તેમના સંબંધમાં ઘટતા નથી. કેમકે અસંજ્ઞીમાંથી તેમની ઉત્પત્તિ સંભવતી નથી તેમજ તેઓ તેના તે ભવમાં કેવલી પણ બની શકે તેમ નથી. એકેન્દ્રિય અસંસી જ છે, કેમકે તેમનામાં પ્રાયઃ સર્વથા મને વૃત્તિને અભાવ છે. દ્વીન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના જીવનમાં કે જેમને “વિકસેન્દ્રિય” કહેવામાં આવે છે તેમનામાં વિશિષ્ટ મનેવૃત્તિને અભાવ હોવાથી તેઓ પણ અસંજ્ઞી જ છે. ટૂંકમાં આને સાર એ છે કે સર્વે સંમૂચ્છિમ છે અસંજ્ઞી જ છે ( અને એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના સર્વે જીવે તે સંમૂર્ણિમ જ છે); કેવલી સિવાયના જે ગર્ભજ છે તે સંજ્ઞો છે; જે ઉપપાતજ છે તે સંજ્ઞી અથવા અસંજ્ઞી છે; જ્યારે સિદ્ધિના જીવો તે સંજ્ઞી-નઅસંગી જ છે. આ જાત પ્રજ્ઞાપના (સૂ. ૩૧૫)ની નીચેની ગાથા ઉપરથી પણ જોઈ શકાય છે
" नेरइयतिरियमणुया य वणयरगसुराइ सपणीऽसण्णी य । विगलिंदिया असण्णी जोतिसवेमाणिया सण्णी ।।"
[ नैरयिकतिर्यक् पञ्चेन्द्रिय )मनुष्याश्च वनचर( व्यन्तर )असुरादयः
संज्ञिनोऽसंज्ञिनश्च । विकलेन्द्रियाः (द्वित्रिचतुरिन्द्रियाः) असंज्ञिनः ज्योतिष्कवैमानिका: ડિનર ! ]
સંજ્ઞાના દીર્ઘકાલિકી વગેરે ત્રણ પ્રકારે–
સંજ્ઞા ” શબ્દને જે પ્રમાણે અર્થ કરવામાં આવે તે પ્રમાણે તેના પ્રકારો પાડી શકાય. આવી રીતે વિચાર કરતાં સંજ્ઞાના (૧) દીર્ઘકાલિકી, (૨) હેતુવાદિકી અને (૩) દષ્ટિવાદિકી એમ ત્રણ પ્રકારે પડે છે. આપણે જે સંજ્ઞીનું લક્ષણ ૪૦૨માં પૃષ્ઠમાં જોઈ ગયા તેમાં જે સંજ્ઞાને વિચાર કર્યો છે તે ‘દીર્ઘકાલિકી' સંજ્ઞા જાણવી; કેમકે એ સંજ્ઞા દ્વારા જીવ ઘણા લાંબા કાળના અતીત થઈ ગયેલા પદાર્થને યાદ કરે છે તથા હવે શું કરવું એમ ભવિષ્યકાળના અર્થનું ચિંતન કરે છે, આ સંજ્ઞા દે, નારકે અને ગર્ભજ છેને હોય છે. જે સંજ્ઞા દ્વારા પ્રાણી ઈષ્ટ–અનિષ્ટને વિચાર કરી ઈષ્ટ અર્થમાં પ્રવૃત્તિ કરે અને અનિષ્ટ અર્થથી નિવૃત્ત થાય તે સંજ્ઞા હેતુવાદિકી જાણવી. આ સંજ્ઞા દ્વારા જીવ તડકા-છાંયડાને આશ્રય લે છે અર્થાત જ્યારે સૂર્યના પ્રખર તાપથી જીવ તપ્ત થાય છે, ત્યારે તે છાંયડામાં જવા વિચાર કરે છે અને જ્યારે સખ્ત હવેથી ઠરી જાય છે, ત્યારે ઉષ્ણતા મેળવવા તડકે જાય છે અથવા અગ્નિને આશ્રય લે છે. આવી સંજ્ઞા હીન્દ્રિયથી માંડીને સમસ્ત સંમૂર્છાિમ જીને હોય છે. ત્રીજી સંજ્ઞા દષ્ટિવાદને ઉપદેશ દેનારી છે અને તે છદમસ્થ સમ્યગદષ્ટિઓને જ હોય છે. વળી તે શ્રુતજ્ઞાનરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org