SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ જીવ-અધિકાર. [ પ્રથમ पञ्चेन्द्रिया द्विधा, संड्य-संज्ञिभेदात् અર્થાત્ પંચેન્દ્રિયના સંસી અને અસંજ્ઞી એમ બે ભેદ પડે છે. આ સમજવાને સારુ સંજ્ઞી એટલે શું તે જાણવાની જરૂર રહે છે. સંગીનું લક્ષણ सुदीर्घातीतार्थस्मरणशीलत्वे सति 'कथं नु नाम कर्तव्यम्' इत्यागाम्यर्थचिन्तनप्रयोजकत्वं संज्ञिनो लक्षणम् । (१२५) અર્થાત ઘણા લાંબા સમય ઉપર બનેલી વાતને યાદ કરી રાખવાની શક્તિ તેમજ હવે શું કરવું એ પ્રકારની ભવિષ્યના અર્થ સંબંધી વિચાર કરવાની શકિત જે જીવને હોય તે સંસી” કહેવાય છે (આનું બીજું નામ સમનસ્ક છે). આવી શક્તિરહિત જે જીવ હોય તે “અસંશી” કહેવાય છે ( એને જ “અમનક” પણ કહેવામાં આવે છે ). સંજ્ઞાને વ્યુત્પત્તિ અર્થ– ___ "संज्ञायते-सम्यक परिच्छिद्यते पूर्वोपलब्धो वर्तमानो भावी च पदार्थो થવા ના સંજ્ઞા ? અર્થાત્ પૂર્વોપલબ્ધ (અતીત), વર્તમાન તેમજ ભાવી (અનાગત) પદાર્થ વિષે જે દ્વારા રૂ રીતે જ્ઞાન (પરિચછેદ) થાય તે ‘સંજ્ઞા જાણવી. “સંજ્ઞા એટલે “વિશિષ્ટ મનવૃત્તિ'. સંગી કેણ, અસંગી કેણી પ્રથમ તે સંજ્ઞી, અસંસી અને સંસી-અસંસી (નહિ સંજ્ઞી કે નહિ અસંજ્ઞી) એમ જીના ત્રણ ભાંગી પડે છે. તેમાં કયા જીવમાં કેટલા ઘટે છે તેનું દિગ્દર્શન કરીએ. નારકો સંસી કે અસંસી હોઈ શકે. જે નારકે સંજ્ઞીમાંથી ઉત્પન્ન થયા હોય (પૂર્વ ભવમાં સંશી હોય) તે સંશી જાણવા; બાકીના અસંજ્ઞી સમજવા. એમાં સંસી નો અસંશી એ ત્રીજો ભાંગ ઘટી શકતું નથી, કેમકે તેઓ તે ભવમાં કેવલજ્ઞાની થઈ શકે નહિ, કારણ કે તેઓ ચારિત્ર ગ્રહણ કરી શકે તેમ નથી. એ જ પ્રમાણે અસુરકુમારાદિ દશ પ્રકારના ભવનપતિ તેમજ વ્યંતરો વિષે સમજવું. મનુબેમાં ત્રણે ભાંગા ઘટે છે, કેમકે જે ગર્ભજ મનુષ્ય છે તે સંસી છે, જે સમૂચ્છિમ છે તે અસંસી છે અને જે કેવલી છે તે સંજ્ઞો-અસંજ્ઞી છે (કારણ કે જે કે તેઓ મનેદ્રવ્યની સાથે સંબંધમાં આવે છે, છતાં તે દ્વારા કંઈ તેમને ત્રિકાલિક પદાર્થને બંધ નથી, પરંતુ સકલ જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મોનો ક્ષય થયેલ હોવાથી તેમને પિતાના આત્મા દ્વારા પદાર્થને સાક્ષાત્કાર થાય છે અર્થાત ભાવ-મનને અભાવ હોવાથી તેઓ સંસી કહી શકાય નહિ તેમજ સર્વજ્ઞ હેવાથી તેઓ અસંજ્ઞી પણ કહેવાય તેમ નથી, તેથી તેમને સંજ્ઞી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy