________________
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા. સમુચિત છે. કહેવાનો મતલબ એ છે કે કંગની પ્રવૃત્તિ તે આત્માના સર્વે પ્રદેશમાં સંભવે છે એથી કરીને અમુક ભાગમાં રહેલા મનથી તે કાર્ય સંભવતું નથી, વાસ્તે તેનું નેત્રાદિની જેમ અમુક ખાસ સ્થાન ન માનતાં તેને સર્વવ્યાપી માનવું ઉચિત સમજાય છે. મનનો વિષય –
મનને વિષય શો છે એ હકીક્ત ઉપર તત્ત્વાર્થ (અ ૨)નું નિમ્નલિખિત બાવીસમું સૂત્ર પ્રકાશ પાડે છે –
ચુતમનિયામાં અર્થત અનિન્દ્રિય-મનને વિષચ શ્રત છે. અત્રે એ ધ્યાનમાં રાખવું કે મનથી મતિ અને શ્રુત એમ બને જ્ઞાન થાય છે, પરંતુ મતિ કરતાં શ્રતની મુખ્યતા હોવાથી અત્ર એને નિર્દેશ કરાયે છે. વસ્તુ-સ્થિતિ એવી છે કે સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયથી ફક્ત મતિજ્ઞાન થાય છે. વળી એ બાહ્ય ઈન્દ્રિયો કેવળ મૂત પદાર્થોના ઉપર પ્રકાશ પાડે છે અને તે પણ અંશતઃ; જ્યારે જ્ઞાનના આંતરિક સાધનરૂપ અને એથી કરીને “અંતઃકરણ”ના નામથી પણ ઓળખાતું તેમજ નેત્રની પેઠે અપ્રાપ્યકારી એવું મન મૂર્ત તેમજ અમૂર્ત એમ વૈભય જાતના પદાર્થો ઉપર અને તે પણ તેના અનેક પર્યાયે ઉપર પ્રકાશ પાડે છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે સ્પર્શનેદિયાદિની જેમ મનને વિષય મર્યાદિત નથી. મનનું કાર્ય વિચાર કરવાનું છે. ઈન્દ્રિ દ્વારા ગ્રહણ કરાયેલા તેમજ નહિ કરાયેલા વિષયમાં વિકાસ–ગ્યતા પ્રમાણે તે વિચાર કરી શકે છે. આ વિચાર એ જ બુત છે. આથી તે ઉપર કહ્યું છે કે અનિન્દ્રિયને વિષય શ્રત છે.
મન દ્વારા પહેલવહેલું જે સામાન્યરૂપે વસ્તુનું ગ્રહણ થાય છે અને જેમાં શબ્દ–અર્થના સંબંધને, આગળ પાછળના અનુસંધાનને અને વિકલ્પરૂપ વિશેષતાને અભાવ છે તે “મતિજ્ઞાન” છે. એની પછી ઉત્પન્ન થનાર અને ઉપયુકત વિશેષતાથી અંકિત વિચાર-પ્રવાહ તે શ્રુતજ્ઞાન” છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે મન દ્વારા ઉત્પન્ન થયેલ જ્ઞાન-વ્યાપારની ધારામાં પ્રાથમિક અ૫ અંશ મતિજ્ઞાન છે અને પછીને અધિક અંશ થત-જ્ઞાન છે. આ પ્રમાણે મન જો કે બંને પ્રકારનાં જ્ઞાનનું સાધન છે છતાં તેમાં સ્પષ્ટ અને વિશેષગ્રાહી એવા શ્રુત-જ્ઞાનની મુખ્યતાને લક્ષ્મીને મનના વિષય તરીકે એને ઉલ્લેખ કરાયો છે.
ખરી રીતે વિચારતાં એકેન્દ્રિયથી ચતુરિન્દ્રિય સુધીના સર્વે જીવે, પંચેન્દ્રિય પછી સંમૂચ્છિમ જીવેની પેઠે અસંજ્ઞી જ છે, પરંતુ તેની ઉપેક્ષા કરી પંચેન્દ્રિય પરત્વે જ ગ્રંથકાર નીચે મુજબ નિર્દેશ કરે છે –
૧ મનને કંઈ અગમ્ય નથી, કેમકે જયાં મત જાય છે ત્યાં આજે પણ જાય છે. આમા મન સાથે જાય છે, મન ઇન્દ્રિય સાથે જાય છે અને ઇન્દ્રિય ખેતી વિષય સાથે જાય છે; પરંતુ આ ક્રમ અતિશય શીધ્ર છે.
6]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org