SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૯૭ વળી ૫૯ ક્રમમાં પણ ઉપકરણ-ઇન્દ્રિય અને વિષયના સંગની અપેક્ષા નથી એટલે કે આ કમમાં ઈન્દ્રિય સાથે ગ્રાહ્ય વિષયને સંગ થયા વિના જ જ્ઞાન-ધારાને પ્રાદુર્ભાવ થાય છે. એને આ અંશ અર્થાવગ્રહ છે અને અંતિમ અંશ સ્મૃતિરૂપ ધારણ છે, જ્યારે ઈહાદિ જ્ઞાન-વ્યાપારની પ્રવૃત્તિ મંદ ક્રમની માફક છે. વ્યંજનાવગ્રહને અંગે નંદીસવમાં શરાવ (શકોરૂ)નું ઉદાહરણ આપેલું છે તે આપણે અત્ર વિચારીએ એટલે મંદ કમની જ્ઞાન–ધારાના આવિર્ભાવ માટે ઈન્દ્રિય અને વિષયના સંગની અપેક્ષા રહેલી છે એ વાત સ્પષ્ટપણે સમજાય. ભીમાંથી તરતના બહાર કાઢેલા અને એકદમ રૂક્ષ એવા શરાવ ઉપર જળનું ટીપું નાંખ્યું હોય તે તેને શરાવ તરત જ શોષી લે છે અને વળી તે પણ એટલે સુધી કે તેનું નામ-નિશાન સુદ્ધાં જણાતું નથી. આ પછી પણ એક એક કરી નાખેલાં અનેક જળનાં ટીપાંઓને એ શરાવ શોષી લે છે, પરંતુ આગળ જતાં એક એવો સમય આવે છે કે જ્યારે તે શેષવાનું કાર્ય કરી શકતું નથી અને એ શરાવ પાણીથી ભીંજાયેલું આપણી નજરે પડે છે. આ પૂર્વે પણ એનામાં ભીનાશ હતી, પરંતુ જ્યારે જળનું પ્રમાણ વધ્યું અને શરાવની શેષવાની શક્તિ ઓછી થઈ ગઈ ત્યારે ભીનાશ દષ્ટિગોચર થઈ અને અંદર નહિ શેષાયેલું જળ એના ઉપરના તળમાં એકઠું થઈ નજરે પડયું. એવી જ રીતે કોઈ ઊંઘતા માણસને ઘાટે પાડવામાં આવે તે થોડાક સમય સુધી તે તે બૂમે નકામી જતી જણાય છે, પરંતુ જ્યારે પૌગલિક શબ્દ પૂરતા પ્રમાણમાં કાને પડે છે એટલે તે જાગૃત થવા માંડે છે અને એ શબ્દને સામાન્યરૂપે જાણ્યા બાદ તેની વિશેષતાઓને તે જાણવા પ્રયાસ કરે છે. આ ક્રમ જાગતા મનુષ્યને પણ લાગૂ પડે છે, પરંતુ તે એટલી શીવ્રતાવાળે છે કે સાધારણ લેકેના તે ખ્યાલમાં આવતો નથી. પટુકમિક જ્ઞાન-ધારા માટે દર્પણનું દષ્ટાન્ત રજુ કરાય. દર્પણ સામે કે પદાર્થ આવે કે તરત જ એનું પ્રતિબિંબ પી જાય છે અને તે દેખાય છે. આને માટે પણની સાથે પ્રતિબિંબિત વસ્તુના સાક્ષાત્ સંગની જરૂર રહેતી નથી; ફક્ત પ્રતિબિંબને ગ્રહણ કરનારા દર્પણ અને પ્રતિબિંબિત થનારી વસ્તુનું એગ્ય સ્થળમાં સવિધાન આવશ્યક છે. આ રીતે આંખની સામે કોઈ રંગીન વસ્તુ આવી કે ચોગ્ય સન્નિધાન હોય તો તે તરત જ દેખાય છે, પરંતુ તે માટે નેત્ર અને વસ્તુના સંયોગની જરૂર નથી કે જેવી રીતે કાન અને શબ્દને સંયોગ અપેક્ષિત છે. આ ઉપરથી ઈન્દ્રિયો દ્વારા કેવી રીતે જ્ઞાન થાય છે તે આપણે જોયું. અત્રે એ ખ્યાલમાં રાખવું કે એક સામટા સો પત્રો વીંધી નાંખવાનું અભિમાન એ કેવળ બ્રાન્તિ છે તેમ એકી સાથે પાંચે ઈન્દ્રિયના વિષયનું ગ્રહણ થાય છે એમ માનવું ભૂલભરેલું છે. સર્વ ઈન્દ્રિયોના વિષે મનનો શીધ્ર યોગ થતો હોવાથી આવી બ્રાપ્તિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy