________________
૩૯૮ જીવ-અધિકાર.
[ પ્રથમ દર્પણદિનું દર્શન
દર્પણને જેનાર મનુષ્ય દર્પણને જુએ છે, પોતાના દેહને જુએ છે કે પ્રતિબિંબ (પડછાયા)ને જુએ છે? આને ઉત્તર પ્રજ્ઞાપના (પૃ. ૧૫, સૂ. ૧૭)માં એમ સૂચવાય છે કે મનુષ્ય દર્પણને તે જુએ છે જ અને વળી પ્રતિબિંબને પણ જુએ છે; કિન્તુ પિતાના દેહને તે જેતે નથી, કેમકે તે તે પોતાના આત્માને વિષે રહે છે. તરવાર, મણિ, દૂધ, પાણી, તેલ વગેરેને જેનારના સંબંધમાં પણ આ પ્રમાણેની હકીકત સમજવી.
અત્રે એ ધ્યાનમાં રાખવું કે પ્રતિબિંબ એ છાયા-પુદગલાત્મક છે, સર્વ ઐન્દ્રયિક પદાર્થ રશ્મિ યાને છાયા-પુદ્ગલની પેઠે સ્થળ છે તેમજ વધઘટના સ્વભાવવાળે છે. સર્વ સ્થૂળ વસ્તુઓની છાયા પડે છે. વચ્ચે કઈ પદાર્થ આવી જાય ત્યારે તેમજ વસ્તુ સ્વયં અતિશય દૂર હોય તે દર્પણ માં તેનું પ્રતિબિંબ પડતું નથી. આથી છાયા-પુદગલનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. છાયા-પુદગલે સામગ્રી અનુસાર પરિણમે છે. અભાસ્વર પદાર્થને વિષે દિવસે પડેલી છાયા શ્યામ હોય છે, જ્યારે રાત્રે કૃષ્ણ હોય છે. ભાસ્વર પદાર્થને વિષે તો તે પોતાના દેહના વર્ણવાળી હોય છે. ઇન્દ્રિયનું પરિમાણ
પાંચે ઈન્દ્રિયની જાડાઈ એક અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે, જ્યારે એની લંબાઈ—પહોળાઈ તે એક સરખી નથી. એટલે કે પાંચ ઇન્દ્રિો પૈકી કર્ણ, નેત્ર અને નાકની લંબાઈ-પહોળાઈ એક અંગુલના અસખ્યામાં ભાગ જેટલી છે, જીભની લંબાઈ-પહોળાઈ અંગુલપૃથત્વ જેટલી અર્થાત્ બેથી નવ અંગુલ જેટલી છે અને સ્પર્શનેન્દ્રિયની પોતાના દેહ જેટલી લંબાઇ-પહોળાઈ છે. જેમ શરીરનું માન ઉત્સધાંગુલથી સમજવાનું છે તેમ સ્પશનેન્દ્રિયની લંબાઈ-પહોળાઈનું માપ પણ એ વડે સમજવું, જ્યારે બાકીની ચારની લબાઈ-પહોળાઈનું માપ આત્માગુલથી જાણવું; સર્વ ઇન્દ્રિયની જાડાઈ તો ઉસે ધાંગુલથી માપવાની છે.
આ ઉપરથી ઇન્દ્રિયની લંબાઈ-પહોળાઈ માપતી વેળા જે માપમાં તફાવત બતાવે છે તેનું શું કારણ છે એ સહજ પ્રશ્ન થાય. એને ઉત્તર એ છે કે દાખલા તરીકે જીભનું માપ ઉત્સધાંગુલથી કાઢવામાં આવે તે ત્રણ ગાઉના મનુષ્યને અને છ ગાઉના હાથીઓને વિષયજ્ઞાન થાય નહિ; કેમકે પોતપોતાના દેહના પ્રમાણમાં જીભ હોય છે અને ઉત્સધાંગુલથી તેનું માપ સમજતાં તે તેની પહેળાઈ અતિશય અપ-હજારમે ભાગે આવે. ઇન્દ્રિયોના પરમાણુ વગેરેની સંખ્યા–
પ્રત્યેક ઈન્દ્રિય અનંત પરમાણુઓની બનેલી છે અને એ દરેકની અવગાહના અસંખ્ય આકાશ-પ્રદેશ જેટલી છે, જોકે તેમાં ન્યૂનાધિકતા છે. આ હકીકત તેમજ પૂર્વે વિચારેલી કેટલીક બાબતે નિમ્ન-લિખિત કેઠક દ્વારા રજુ કરવામાં આવે છે – ૧ કહ્યું પણ છે કે ---
• सामा उ दिया छाया अभासुरगता निर्मि तु कालाभा ।
ના ચૈત્ર માનુનયા કહેવા પૂળાકના છે ? | ” | श्यामा तु दिवा छायाऽभासुरगता निशि तु कालाभा।
सा चेव भासुरगता स्वदेहवर्णा ज्ञातव्या ॥]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org