________________
૩૯૬
જીવ-અધિકાર.
[ પ્રથમ
પદા ને ગ્રહણ કરે છે. આથી તે। કહેવાય છે કે શબ્દ સંભળાય એ સ્પર્શી થયેથી, રૂપ દેખાય એ વગર સ્પડ્યે અને સ્પર્શ, રસ અને ગંધનો અનુભવ થાય તે અદ્ધ-ધૃષ્ટતાને લીધે.
સ્પર્શનાદિ ત્રણ ઇન્દ્રિચા દ્ધ-પૃષ્ટ પદાને અને કણેન્દ્રિય પૃષ્ટ પદાર્થને ગ્રહણ કરે છે, એવા જે આ ચાર ઇન્દ્રિચેા પરત્વે ભેદ જણાય છે તેનુ કારણ એ છે કે એક તેા કણેન્દ્રિયની શક્તિ સ્પર્શનાદિથી અધિક છે તેમજ સ્પર્શ, ગંધ અને રસ વિષયક પદાર્થાં શબ્દાત્મક પદાર્થો કરતાં ઓછા છે, માદર છે અને અભાવુક ( વાસિત કરવાના સ્વભાવ વિનાના છે. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે સ્પર્શોદિ દ્રવ્ય-સમૂહની અપેક્ષાએ શબ્દસમૂહ બહુ સૂક્ષ્મ છે અને એ શબ્દ-સમૂહ આસન્ન શબ્દ-ચેાગ્ય બ્યને અભિવાસિત કરે છે. વાસ્તે એ નિવૃત્તિ-ઇન્દ્રિયમાં દાખલ થઇ ઉપકરણ-ઇન્દ્રિયને માત્ર સ્પર્શીને પણ સત્વર સ્વગેાચર જ્ઞાન પેદા કરે છે.
જ્ઞાન-ધારાના ક્રમા—
આ ઉપરથી આપણે જોઇ શકીએ છિયે કે બધી ઇન્દ્રિયાના સ્વભાવ એક સરખા નથી. એથી કરીને તેા એના દ્વારા થતી જ્ઞાન–ધારાના પ્રાદુર્ભાવના ક્રમમાં પણ ભિન્નતા રહેલી છે. એટલે કે એ ક્રમના મદ અને પટુ એવા એ વિભાગેા પડી શકે છે, ગ્રાહ્ય વિષયની સાથે તે તે વિષયની ગ્રાહક ઉપકરણ-ઇન્દ્રિયના સંયેાગ કે જે ‘ વ્યંજન ' કહેવાય છે તે થતાં જ મ ક્રમમાં જ્ઞાનના આવિર્ભાવ થાય છે શરૂઆતમાં જ્ઞાનની માત્રા એટલી બધી આછી હોય છે કે એથી · આ કઇંક છે ’ એવા સામાન્ય બાધ પણ થતા નથી, પરંતુ જેમ જેમ વિષય અને ઇન્દ્રિયને સંચાગ પુષ્ટ થતા જાય છે તેમ તેમ જ્ઞાનની માત્રા વધતી જાય છે અને વખત જતાં જ્ઞાન-માત્રા એટલી બધી પુષ્ટ બને છે કે એનાથી ‘ આ કઇંક છે ’ એવા વિષયના સામાન્ય એધ યાને અર્થાવગ્રહ થાય છે. આ અર્થાવગ્રહ વ્યંજનાવગ્રહના એક છેલ્લે પુષ્ટ અંશ જ છે, કેમકે એમાં વિષય અને ઇન્દ્રિયના સાગની અપેક્ષા રહેલી છે, અર્થાવગ્રહ થયા બાદ એ દ્વારા સામાન્યરૂપે જાણેલા વિષર્ચને વિશેષરૂપે જાણવાની ઇચ્છા ( ઈહા ), વિશેષને નિષ્ણુય ( અપાય ), એ નિચની ધારા ( ધારણા ), એ ધારાથી ઉત્પન્ન થતા સંસ્કાર અને એ સસ્કારથી ઉદ્ભવતી સ્મૃતિ એ બધા જ્ઞાન–વ્યાપાર થાય છે; પરંતુ આ ઈહાર્દિ જ્ઞાન-વ્યાપારમાં વિષય અને ઇન્દ્રિયના સંચાગની અનિવાય અપેક્ષા નથી જ.
૧ નેત્રન્દ્રિય પણ પૃષ્ટ પદાર્થોને ગ્રહણ કરે છે એમ માનવું યુક્તિ-યુક્ત નથી; કેમકે નહિ તે અગ્નિને શ્વેતાં જ આંખ બળી જવી તેએ અને કાચના વાસણમાં રહેલું જળ તે પાત્રને ભેદીને બહાર આવી નેત્રમાં તેના પ્રવેશ થઇ જવું જોઇએ, એ પ્રમાણે જૈન શાસ્ત્રઓ દલીલ કરે છે.
૨ આથી તેા એ અવ્યક્તતમ, અવ્યક્તર અને અવ્યક્ત જ્ઞાન કહેવાય છે,
૩ આ પ્રમાણેની પરિસ્થિતિ હાવા છતાં એકને વ્યંજનાવગ્રહ અને બીજાને અર્થાવગ્રહ કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે અર્થાવગ્રહરૂપ જ્ઞાનાંશથી ઉત્પન્ન થતા વિષયના મેધ જ્ઞાતાના ધ્યાનમાં આવી શકે છે, જ્યારે વ્યંજનાવગ્રહ નામના દીધ જ્ઞાનવ્યાપાર ઉત્તરે.ત્તર થવા છતાં પણ તે એટલે અલ્પ હેાય છે કે એનાથી અર્થાવગ્રહ જેટલે પણ ખાધ થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org