SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૩૮૩ સંઘાતરૂપ પૃથ્વી વગેરે સજીવ છે, જ્યારે જેમ શસ્ત્ર વડે હણાયેલા–શરીરથી જુદા પડી ગયેલા આપણું હાથ, પગ નિર્જીવ છે–અચેતન છે તેમ શસ્ત્રથી હણાયેલી પૃથ્વી વગેરે નિર્જીવ છે. અષ્કાયનું સચેતન–– જેમ હાથીના દેહના મૂળ કારણરૂપ પ્રવાહી કલિ સચેતન છે તેમ શસ્ત્રથી નહિ હણાયેલું જળ પણ સચેતન છે. અત્ર પ્રશ્રવણ (મૂત્ર)નું ઉદાહરણ આપી હેતુને વ્યભિચારી સિદ્ધ કરી શકાય તેમ નથી, કેમકે એ તે શસ્ત્રથી આઘાત પામેલ છે. વળી જેમ ઇંડામાં રહેલો પ્રવાહો રસ સચેતન છે તેમ પ્રવાહી જળ પણ સજીવ છે. વિશેષમાં જળરૂપ હોવાથી હિમ વગેરે કઈ કઈ સ્થળે બીજા જળની જેમ સજીવ છે. અષ્કાયની સજીવતાના સંબંધમાં એ પણ દલીલ કરાય છે કે જેમ સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતું દેડકું સજીવ છે તેમ કવચિત્ જમીન બદતાં ખેદતાં સ્વાભાવિક રીતે નીકળતું જળ સજીવ છે અથવા જેમ કેટલીક વાર વાદળના વિકારમાં પોતાની મેળે ઉત્પન્ન થયેલું અને પડતું માછલું સચેતન છે તેમ આકાશમાં રહેલું પાણી પણ સચેતન છે. વિશેષમાં જેમ મનુષ્ય-દેહને ઠડે સ્પર્શ છવ-હેતુક છે તેમ જળમાં જણાતો ઠંડો સ્પર્શ પણ છવહેતુક છે. આવી અનેક દલીલ વડે પૃથ્વીની પેઠે જળની સજીવતા ઘટાવી લેવી. તેજસ્કાયની સજીવતા– જેમ રાત્રે આગીઓ કીડો ( ખદ્યોત ) પિતાના શરીર–પરિણામથી પ્રકાશ આપે છે અને એ પ્રકાશ જીવ-શક્તિનું પ્રત્યક્ષ ફળ છે તેમ અંગારા વગેરેમાં રહેલો પ્રકાશ પણ છવના - ગથી જ થયેલો છે. વળી જેમ મનુષ્યના શરીરે આવેલો તાવ જીવ-સંગી મનાય છે તેમ અંગારા વગેરેમાં રહેલો તાપ પણ છવ-સંગી જ માન અયુક્ત નથી. અત્રે એ ખ્યાલમાં રાખવું કે સૂર્ય વગેરેને પ્રકાશ પણ જૈન શાસ્ત્ર પ્રમાણે જીવ-સંગી જ છે, માટે એ વિષે પણ કશે વધે નડે તેમ નથી. વિશેષમાં જેમ આહાર લેવાના પ્રમાણ અનુસાર મનુષ્યના દેહમાં વધઘટ થાય છે તેમજ અને તેજ હેતુથી પ્રકાશમાં પણ વધઘટ થતી હોવાથી એ પ્રકાશને પણ મનુષ્યના દેહની પેઠે જીવસંગી મા જોઈએ. આ પ્રકારની અનેક યુક્તિઓ વડે અગ્નિમાં જીવ હોવાની સાબીતી રજુ કરી શકાય તેમ છે. વાયુકાયની સાત્મક્તા જેમ કોઈ ચમત્કારિક શક્તિને લીધે દેવને દેહ દષ્ટિગોચર થતું નથી પરંતુ તે સચેતન છે અને વિદ્યા, મંત્ર, અંજન વગેરેના પ્રભાવથી કઈ સિદ્ધ મનુષ્યનું શરીર નજરે જણાતું નથી છતાં તે સજીવ છે એ જ પ્રમાણે વાયુનું શરીર નજરે જણાતું નથી તે પણ એ દેવ અને સિદ્ધના દેહની જેમ સચેતન છે. જેમ પરમાણુ અત્યંત સૂક્ષમ હોવાથી નજરે પડતો નથી અને બળેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy