SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ જીવ-અધિકાર [ પ્રથમ છે તેવી હકીકત વનસ્પતિને પણ લાગુ પડે છે, વાસ્તે તે સચેતન છે. જેમ માનવને ઈષ્ટ સંગથી આનંદ અને અનિષ્ટ વાતાવરણથી ગ્લાનિ થાય છે તેમ ઈષ્ટ આહારાદિ મળતાં વનસ્પતિ પ્રકૃતિ બને છે, જ્યારે અનિષ્ટ આહારાદિ મળતાં તે કરમાવા લાગે છે. વળી જેમ આપણને આઘાતપ્રત્યાઘાત થાય છે તેમ એને પણ થાય છે. આથી પણ વનસ્પતિની સચેતનતા સિદ્ધ થાય છે. આ પ્રમાણેની યુક્તિ-પ્રયુક્તિઓ જૈન શાસ્ત્રોમાં રજુ કરવામાં આવી છે. વનસ્પતિમાં આપણી જેમ લાગણીઓને સદભાવ છે એ વાત પ્રવેગ દ્વારા સિદ્ધ કરી આપવાનું આદ્ય અને આદરણીય માન તે આ ભારત-ભૂમિના ભૂષણરૂપ, જગવિખ્યાત સર પ્રોફેસર જગદીશચંદ્ર બેઝને ઘટે છે, આ સંબંધમાં ચિત્રમયજગત્ (વ ૭, અં. ૧, પૃ. ૧૭–૧૯)માં “વનસ્પતિ અને પ્રાણ” એ લેખ પણ મનન કરવા જેવું છે એટલું ઉમેરી આપણે હવે પૃથ્વી-કાયાદિની સચેતનતાના સંબંધમાં જૈન શાસ્ત્ર જે યુક્તિઓને નિર્દેશ કરે છે તે વિચારીએ. પૃથ્વીકાયનું સજીવ – અશે માંસના અંકૂને ઉત્પન્ન કરે છે એ એની સજીવપણાની નિશાની છે તેમ મીઠું, પરવાળાં, પત્થર વગેરે રૂપ પૃથ્વી પોતાના જેવા બીજા અંકુરે ઉત્પન્ન કરવાની શક્તિવાળી છે, વાસ્તે તે પણ સચેતન છે. અત્ર કેઈએમ શંકા ઊઠાવે કે પરવાળાં વગેરે તે કઠણ છે, વાતે એને સજીવ માની ન શકાય તે એ અસ્થાને છે, કેમકે શું માનવ–શરીરમાં રહેલાં હાડકાં વગેરે કઠણ હોવા છતાં સજીવ નથી કે ? અથવા તો એનું સમાધાન એ છે કે જેમ પશુના દેહમાં રહેલાં શીંગડાં, સાસ્ના વગેરે જીવવાળાં છે તેમ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધાં જીવ–શરીરે છે, કારણ કે એ બંને એક સરખી રીતે છેદય છે, ભેદાય છે, ભગવાય છે, ફેંકાય છે, સુંધાય છે, ચખાય છે અને સ્પર્શાય છે. સમગ્ર સંસારમાં જે કાંઈ પુદ્ગલ–દ્રવ્ય છે તે સર્વે કેઈ ને કઈ જીવનાં શરીર છે; એથી કરીને પૃથ્વીને જીવ–શરીર કહેવામાં કશું વાંધો નથી. પૃથ્વીમાં છેકાવાપણ વગેરે ધર્મો દષ્ટિગોચર થતા હોવાથી તેને અપલાપ કરી શકાય તેમ નથી, વાસ્તે એ જ ધર્મો વડે એની સચેતનતા સાબીત થાય છે. જેમ આપણું હાથ, પગ વગેરેને સંઘાત સચેતન છે તેમ શસ્ત્ર વડે નહિ હણાયેલી ૧ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે મનુષ્યના શરીરને રોગો થતાં જેમ પીળાશ, પેટનું વધી જવું, સોજો ચડ, પાતળાપણું, આંગળાં વગેરેનું વાંકાપણું તેમજ ખરી જવાપણું થઈ જાય છે તેમ વનસ્પતિના શરીરને પણ એ જાતના રોગો થતાં ફૂલ, ફળ, પાંદડાં છાલ વગેરેમાં એ જ પ્રકારના વિકારો થઈ જાય છે. એ બધાંનો રંગ બદલાઈ જાય છે, એ બધાં ખરી પડે છે અને વખતે વખતે એમાંથી પાણી પણ કરે છે. વળી જેમ દવા ખાવાથી માનવને દેહ નીરોગી બને છે, એનાં ગુમડાં વગેરે રૂઝાઈ જાય છે તેમ વનસ્પતિના દેહને પણ ઔષધનું સિંચન કે એનો લેપ કરવાથી તે જ જાતનો ફાયદો થાય છે. વિશેષમાં જેમ મનુષ્યનું શરીર રસાયન વગેરેના સેવનથી બળ અને કાંતિથી વિભૂષિત બને છે તેમ વનસ્પતિનું શરીર પણ આકાશમાંથી પડતા જળ વગેરેના સિંચનથી વિશેષ રસવાળું બને છે. ખાસ વનસ્પતિઓને માટે એક વૃક્ષાયુર્વેદ લખાયેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy