________________
૩૮૯
જીવ-અધિકાર
[ પ્રથમ
આચારાંગના વૃત્તિકાર પ્રથમ પત્રને અર્થ પૃથ્વી, જળ અને કાળની અપેક્ષાવાળી બીજની વિકસિત અવસ્થા એમ કરે છે, કેમકે એ પ્રથમ ઉત્પન્ન થાય છે. મૂક્ષમ એકેન્દ્રિય નું સ્થાન અને તેની સંખ્યા
સૂફમ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય, સૂમ તેજરકાય, સૂમ વાયુકાય અને સૂક્ષમ વનસ્પતિકાય એ પાંચે સમગ્ર લેકમાં સર્વત્ર છે. અર્થાત્ ચૌદ ૨જજુપ્રમાણુક લેકમાં એવું કે સ્થાન નથી કે જ્યાં આ સૂક્ષ્મ એકેન્દ્રિય ન હોય.
આખા લેકમાં રહેલા સૂક્ષ્મ પૃથ્વીકાયથી માંધને તે સૂમ વાયુ-કાય સુધીના જીવોની સંખ્યા અસંખ્યાતની છે, જ્યારે સૂફમ સાધારણ વનસ્પતિકાયની સંખ્યા અનંતની છે.
વિસ્તારથી કહીએ તે સર્વથી ઓછા સૂકમ તેજસ્કાય છે. એનાથી સૂમ પૃથ્વીકાય, સૂક્ષમ અષ્કાય અને સૂક્ષમ વાયુકાય અનુક્રમે અધિક અધિક છે. નિગોદના છ સૂમ વાયુકાય કરતાં અસંખ્ય ગુણ છે, કેમકે ગોળ ગોળ તેઓ અસંખ્ય છે વળી આ કરતાં પણ અનંત ગુણ સૂનમ વનસ્પતિકાયના જીવે છે. વનસ્પતિની સચેતનતા
આ શીર્ષક જોઈને કેઈ પ્રશ્ન કરે કે પૃથ્વીકાય, અકાય, તેજસ્કાય અને વાયુ-કાયને વિષે જીવ છે એ સિદ્ધ કર્યા વિના એકાએક વનસ્પતિની સચેતનતાને કેમ વિચાર કરાય છે તે એને ઉત્તર એ છે કે વનસ્પતિનું જીવત્વ સિદ્ધ કરવા માટે જે યુક્તિઓ રજુ કરવામાં આવનાર છે તે સ્કૂલ દષ્ટિવાળાઓને-બાલ છને પણ ઝટ ગળે ઉતરે તેવી છે, જ્યારે પૃથ્વીકાયાદિ પરત્વેની યુક્તિઓ એટલી સુગમ નથી એટલે કે જે યુક્તિઓ દ્વારા વનસ્પતિમાં સચેતનત્વ સિદ્ધ કરાશે તે અનુસાર પૃથ્વીકાયાદિની સજીવતા હેવાની પ્રતીતિ સહેલાઈથી થઈ રહેશે. એ હેતુથી પ્રથમ વનસ્પતિ આશ્રીને વિચાર કરવામાં આવે છે. આ સંબંધમાં આચારાંગ (અ. ૧, ઉ.૫, સૂ. ૪૬), તર્ક રહસ્યદીપિકા (પત્ર ૬૨-૬૫), લોકપ્રકાશ (સ. ૫, લે. ૩ર-૪૫) વગેરે ગ્રંથ પ્રકાશ પાડે છે. ત્યાં કહ્યું છે કે ઝાડના મૂળમાં જળનું સિંચન કરવાથી એનાં ફળ વગેરેમાં રસ સ્પષ્ટપણે દેખાય છે, વાતે વનસ્પતિમાં ઉદ્ઘાસને સભાવ છે, કેમકે એને અભાવ હોય તે રસ ઊંચે પ્રસરે નહિ. દાખલા તરીકે આપણામાં–મનુષ્યમાં ઉચ્છવાસને લીધે જ રસનો પ્રસાર થાય છે, જ્યારે મૃતક વગેરેમાં ઉચ્છવાસનો અભાવ હોવાથી ત્યાં રસનો સંચાર થતો નથી. આ પ્રમાણે અન્વય વ્યતિરેકથી. રસને પ્રસાર વનસ્પતિમાં ઉચ્છવાસ સિદ્ધ કરે છે. કેમકે વ્યાપક વિના વ્યાપ્ય હોતું નથી. વળી ઉચશ્વાસ એ આત્માને ધર્મ છે એ નિર્વિવાદ વાત છે અને ધર્મ ધર્મ વિના સંભવ નથી એટલે વનસ્પતિ સચેતન હોવાનું સિદ્ધ થાય છે.
જેમ મનુષ્યના દેહમાં ઉત્પત્તિ-ધમ છે તેમ વનસ્પતિના શરીરમાં પણ છે. આથી વનસ્પતિ સચેતન છે. વિશેષમાં જેમ મનુષ્યનું શરીર બલરૂપે, કુમારરૂપે, યુવકરૂપે અને વૃદ્ધરૂપે દેખાય છે અને તેમ હોવાથી તે સ્પષ્ટપણે ચેતનાવાળું મનાય છે તેમ વનસ્પતિને દેહ પણ એ ચારે અવસ્થાઓ અનુભવે છે. જેમકે કેતકનું ઝાડ. વળી જેમ મનુષ્યને દેહ નિરંતર જુદી જુદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org