________________
ઉલાસ ]
આહંત દર્શન દીપિકા. તેમાં સમ-ભંગનું લક્ષણ વનસ્પતિસમતિમાં નીચે મુજબ દર્શાવાયું છે
" 'खडिआइचुन्ननिफाइयाइ वत्तीइ जारिसो भंगो ।
सव्वत्थ समसरुवो केआरतरीइतुल्लो वा ॥ इत्थ पुण विसेसोऽयं समभंगा हुँति जे सयाकाल ।
ते चिय अणंतकाया न पुणो जे कोमलत्तेणं ॥" . અર્થાત ખડી વગેરેના ચૂર્ણથી બનાવેલી વાટને ભાંગવાથી અથવા કયારાના તર ભાંગતા જે ભંગ થાય તે “ સમભંગ” છે. અત્રે એ વિશેષતા છે કે જે સર્વદા સમાન ભંગવાળા છે તે જ અનંતકાય છે, નહિ કે જે કોમલતાને લઈને એવા છે તે.
મૂળ વગેરે દશ સ્થાને પકી પ્રત્યેકમાં જુદા જુદા જ હોય તે “પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. દ્રવ્ય-લોક-પ્રકાશ(સ. ૫)માં કહ્યું પણ છે કે –
" यत्र मूलादिदशके, प्रत्यङ्गं जन्तवः पृथक् ।
પનામસ્યા–રતનું પ્રવિદો | ૨ જે જીવ મૂળરૂપે પરિણમે છે તે જ જીવ પ્રથમ પત્રરૂપે પરિણમે છે; કિશલય વગેરે કંઈ મૂળ જીવના પરિણામના આવિર્ભાવરૂપ નથી. ઉગતે એ પહેલે અંકૂર સાધારણ વનસ્પતિકાય છે, પરંતુ અથાગ વધતે તે પ્રત્યેક પણ હોય. કહ્યું પણ છે કે–
"जो वि य मृले जीवो सो वि य पत्ते पढमयाए त्ति ।
सव्वो वि किसल प्रो खलु उग्गममाणो अर्णतओ भणिो ॥"
કહેવાનો મતલબ એ છે કે બીજને જીવ અથવા કોઈ અન્ય જીવ, બીજમાં મૂળરૂપે ઉત્પન્ન થઈને વિકસિત અવસ્થા કરે છે. ત્યાર બાદ અનન્તરભાવી કિસલય-અવસ્થાને અનંતકાય જીવે જ ઉત્પન્ન કરે છે. પછી એમનું આયુષ્ય પૂર્ણ થતાં તે જીવે નાશ પામે છે ત્યારે એ જ જીવ–બીજને જીવ અનંત કાચિકેના દેહને પિતાના પ્રાથમિક અંગરૂપે ગ્રહણ કરી પ્રથમ પત્ર થાય ત્યાં સુધી તેની વૃદ્ધિ કર્યા કરે છે.
૧-૨ છાયા
खट्टिकादिचूर्ण निष्पादिताया वा यावशो भगः । सर्वत्र समस्वरूपो केदारतरीकतुल्यो वा ॥ अत्र पुनर्विशेषोऽयं समभङ्गा भवन्ति ये सदाक लम् । ते एव अनन्तकाया न पुनर्ये कोमलत्वेन ॥
योऽपि च मुले जीवः सोऽपि च पत्रे प्रथमतया इति । सोऽपि किशलयः खलु उद्गच्छन् अनन्तको पणितः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org