________________
? * ક૭૨
છવ-અધિકાર.
[ પ્રથમ
જેને “ત્રસ ” ગણે છે. આ ઉપરથી જોઈ શકાય છે કે એ વિબુધે ત્રસ શબ્દથી “લબ્ધિત્રસ” ' જ સમજે છે. જે આપણે “રથાવર” શબ્દથી તેને વ્યુત્પત્તિ-અર્થ એ કરીએ કે –
____"उष्णाद्यभितापेऽपि तत्स्थानपरिहारासमर्थाः सन्तस्तिष्ठन्तीत्येवंशीला: સ્થાવરne » અર્થાત્ ગરમી આદિથી પરિતાપ પામવા છતાં પણ તે સ્થાન છીને અન્યત્ર જવામાં - અસમર્થ હોવાથી ત્યાં જ રહે છે તે “સ્થાવર” કહેવાય તે તેજસ્કાય અને વાયુકાયને આપણે “સ્થાવર” સંજ્ઞા આપી શકીએ નહિ. પરંતુ સ્થાવરને વ્યુત્પત્તિ-અર્થ ન કરતાં તેને પારિભાષિક શબ્દ તરીકે ગણીએ અર્થાત સ્થાવરને અર્થ “સ્થાવરનામ-કમના ઉદયવાળા જીવો એમ કરીએ તે પછી પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય એ 'પાંચને “સ્થાવર” કહેવામાં વાંધો નથી. કિન્તુ સાથે સાથે એ ધ્યાનમાં રાખવું કે એમ કરતી વખતે ત્રસ શબ્દને પણ પારિભાષિક શબ્દ ગણવો પડશે એટલે કે “ત્રસ-નામ-કર્મના ઉદયવાળા છે તે ત્રસ એમ સમજવું પડશે.
જ્યારે “સ્થાવર” શબ્દથી તેને વ્યુત્પત્તિ–અર્થ સમજવામાં આવે, ત્યારે પૃથ્વીકાય, અષ્કાય અને વનસ્પતિકાય છેને જ સ્થાવર કહી શકાય અને બાકીના બધા જ “ત્રસ” ગણી શકાય. આમ થતાં “ત્રસ” શબ્દથી તેજસકાય અને વાયુકાય છે તેમજ બે ઈન્દ્રિયથી માંને પાંચ ઈન્દ્રિય યુક્ત છ સમજવા અને “સ” શબ્દને વ્યુત્પત્તિ-અર્થ એ કરે કે
" सन्ति-अभिसन्धिपूर्वकमनभिसन्धिपूर्वकं वा ऊर्ध्वमधस्तियक् चलन्तीति त्रसाः"
૧ આ પાંચ સ્થાવરોને આ પ્રમાણેનો ક્રમ રાખવામાં શે હે છે એ દર્શાવતાં તત્ત્વાર્થ જ પૃ. ૮૯) જોતાં સમજાય છે કે પૃથ્વી હોય તો જળનું કુંભ વગેરે દ્વારા, અગ્નિનું શરાવ વગેરેથી અને વાયુનું ચર્મધટ વગેરેથી સુખપૂર્વક ગ્રહણ થઇ શકે છે આ માટે સૌથી પ્રથમ પૃબીને ઉલ્લેખ કર્યો છે. વળી વિમાન, ભવન, પ્રસ્તર ઇત્યાદિ પરિણામને ભજનારી હોવાથી પૃથ્વી સ્કૂલ મૂર્તિ છે. સ્નાન વગેરે ક્રિયામાં જળને ઉપકાર છે. પાક, શેષ, પ્રકાશ એ તેજને ઉપકાર છે, ખેદ અને સ્વેદને દૂર કરવા રૂપ વાયુને ઉપકાર છે. અશન, આચ્છાદન, વસન વગેરે વનસ્પતિના ઉપકારનાં ફળે છે. પરંતુ જળ વગેરેના ઉપકાર પણ પૃથ્વીની વિદ્યમાન દશામાં જ સંભવે છે, એટલે આ બધાના ઉપર પણ પૃથ્વીને - ઉપકાર છે અને એથી કરીને પણ એને આદ્ય સ્થાન આપવું ઉચિત સમજાય છે પૃથ્વી એ જળનો
આધાર છે અને જળ એ આધેય છે. એથી કરીને તેમજ પૃથ્વીને વિનાશ કરનાર હોવાથી અગ્નિ જે પૃથ્વીને વિરોધી છે તેનું વ્યવધાન કરવાનું કામ પણ જળ કરે છે એથી પણ એને પૃથ્વી પછી સ્થાન
આપવામાં આવ્યું છે. પૃથ્વી અને જળનો અગ્નિ પરિપાક હેતુ હોવાથી એને ત્રીજું સ્થાન અપાય છે. વાયુ - અગ્નિને ઉપકારક હોવાથી એને અગ્નિ પછી સ્થાન અપાય છે. વનસ્પતિના પ્રાદુર્ભાવને વિષે પૃથ્વી વગેરે 3. નિમિત્તતાને પામે છે. વળી પૃથ્વી વગેરેના કરતાં વનસ્પતિ અનંતગુણી છે એથી પણ એને અંતિમ સ્થાન
અપાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org