SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ–અધિકાર [ પ્રથમ આત્માને 'કૂટસ્થ નિત્ય માને છે. અર્થાત્ એમાં તેઓ કે પશુ જાતને પરિણામ સ્વીકારતા નથી. જ્ઞાન, સુખ, દુઃખ વગેરે પરિણામે પુરુષનાં નહિ, પરંતુ પ્રકૃતિનાં છે એવી માંગેની માન્યતા છે. વૈશેષિક અને નૈયાયિક દશને જે કેન્નાનાદિને આત્માના ગુણ તરીકે માને છે છતાં આત્માને તે તેઓ એકાંત નિત્ય-અપરિણામી ગણે છે. નવીન મીમાંસકોને મત વૈશેષિક અને નૈયાયિકેને મળતો આવે છે. બૌદ્ધ દશન આત્માને એકાંત ક્ષણિક અર્થાત્ “નિરય પરિણામેના સમૂહરૂપે સ્વીકારે છે. જૈન દર્શનની તે માન્યતા એ છે કે જેમ જડ પદાર્થોમાં ફૂટસ્થ નિત્યા કે એકાંત ક્ષણિકતા નથી, કિન્તુ પરિણામી નિત્યતા છે તેમ આત્મા પણ પરિણામી નિત્ય છે. એથી કરીને તે જ્ઞાન, સુખ વગેરે પર્યાચો આત્માના જ સમજવા જોઈએ. આત્માના બધા પર્યાય એક જ અવસ્થાવાળા નર્થ કિન્તુ અન્ય અન્ય અવસ્થામાં મળી આવે છે. પર્યાયની ભિન્ન ભિન્ન અવસ્થાએ ભાવ” કહેવાય છે અને આત્માના પર્યાયે વધારેમાં વધારે પાંચ ભાવવાળા હોવાથી તે પાંચને જૈન શાસ્ત્રકારોએ નિર્દેશ કર્યો છે. હવે જેના ભેદ-પ્રભેદને વિચાર કરવામાં આવે છે. તેને નિર્દેશ કરતાં ગ્રન્થકાર स च जीवो द्वेधा, मुक्त-संसारिभेदात् અર્થાત્ જીવના બે પ્રકાર છે:-(૧) મુક્ત અને (૨) સંસારી. તેમાં મુક્તનું લક્ષણ એ છે કે – ૧ હડાના ગમે તેટલા ઘા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે તેમાં કશું પરિવર્તન થતું નથી તેમ દેશ, કાળ આદિના વિવિધ ફેરફારો થવા છતાં જે વસ્તુમાં જરા પણ ફેરફાર ન થાય તેને ફૂટસ્થ નિત્ય ' કહેવામાં આવે છે. ૨ જુદી જુદી ક્ષણમાં સુખ, દુઃખ એછુંવત્ત ભિન્ન વિષયનું :1.ન આદિ જે પરિણામો અનુભવાય છે તે પરિણામે માત્ર માનવા અને તે બધા વચ્ચે અખંડ સ્વરૂપ છે. સ્થિર તવેનું ને હોવું તે જ “ નિરન્વય પરિણામેન પ્રવાહ ' છે. જુઓ પં. સુખલાલજી કને તવાર્થનું વિવેચન (પૃ. ૮૯). ૩ મૂળ વસ્તુ ત્રણે કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ વગેરે નિમત્ત પ્રમાણે તેમાં ફેરફાર થવે તે “પરિણામી નિત્યતા ' છે. ૪ આત્માને પણ પરિણામી માનો એ જૈન દર્શનની વિશિષ્ટતા છે. બાકી પરમાણુ વગેરેમાં પરિણામ-વાદ તે વૈશેષિકે, સાંખ્ય વગેરે સ્વીકારે છે. ૫ આ હકીકત ૬૧માં પૃષ્ઠમાં ર નવ ધા-સંdiffકમાન રૂપે નિર્દેશાઈ ગઈ છે. અહીં તેને ફરીથી ઉલ્લેખ પ્રકરણના ઉથાન નિમિત્તક હોય એમ સમજાય છે. વિશેષમાં પૂર્વેના નિર્દે શમાં “સંસારી ’ને ‘સિદ્ધ’ કરતાં પ્રથમ નિદેશ કર્યો છે તે તત્વાર્થનું અનુકરણરૂપ છે અને એથી કરીને તત્વાર્થરાજની નિમ્ન લિખિત---- " संतारिग्रहणमादौ बहविकल्पत्त्रात् तत्पर्यकत्वाच्च स्वसंवेद्यत्वाच्च्च " –પંક્તિ તેને પણ લાગુ પડે છે. અર્થાત ગતિ વગેરે જેવા વિકલ્પ સે સારી છે એટલા સિદ્ધના નથી તે સૂચવવા માટે, સંસારી એ સિદ્ધની પૂવવસ્થા છે તે દર્શાવવા વાતે તેમજ ગતિ વગેરે પરિણામને અનુભવ ન હોવાથી સંસારી સંવેદ્ય છે, જ્યારે સિદ્ધ અત્યંત પરોક્ષ હોવાથી અનુભવ ગમ નથી એટલે તેમાં સંવ નથી એ બતાવવા માટે સંસ’ પર પડતુ ન ખવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy