________________
જીવ-અધિકાર
[ પ્રથમ
નારકાદિને ઓપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ
નરકના જીવને તેમને જન્મ થયા પછી અંતમુહૂર્ત કાળ વીત્યા બાદ આ સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકે. પૂર્વ ભવોનું સ્મરણ, દેવતારૂપી મિત્રોનું આગમન અને તેણે આપેલે ઉપદેશ, તીવ્ર વેદનાને અનુભવ એ પહેલી ત્રણ નરક સુધીના જીવોને સમ્યકત્વ ઉત્પન્ન થવામાં બાહ્ય કારણે છે, જ્યારે આ ત્રણે કારણેમાંના મધ્યમ સિવાયનાં બે કારણે બાકીની ચાર નરકના જીવ આશ્રી સમજી લેવાં.
તિયાના સંબંધમાં આવું સમ્યકત્વ જન્મ પછી ચારથી આઠ દિવસ સુધીમાં સંભવી શકે છે અને જાતિસ્મરણ જ્ઞાન, ઉપદેશ અને તીર્થકરની મૂર્તિનું દર્શન એ આ સમ્યકત્વ મેળવવાનાં બાઢા સાધન છે.
મનુષ્ય જમ્યા પછી આઠ વર્ષે આવું સમ્યકત્વ મેળવી શકે અને તેનાં કારણે તિયચના સંબંધમાં બત વવામાં આવ્યાં તે જ છે.
નરકના જીની માફક દેવતાઓને પણ તેમના જન્મ પછી અંતમુહૂર્ત કાળ વીત્યા બાદ આ સમ્યકત્વ સંભવી શકે છે. એના સંબંધમાં આ સમ્યકત્વ થવાનાં કારણોમાં ઉપર્યુક્ત ત્રણ કારણે ઉપરાંત દેવતાની દિવ્ય શકિતનું દર્શન પણ એક કારણું છે. આ વાત બારમા દેવક સુધી જ ઘટે છે; પ્રેયકવાસી દેવતાઓના સંબંધમાં તે મરણ અને ઉપદેશ એ બે જ કારણે છે.
અત્ર જે પશમિક ભાવને પ્રથમ ભેદ દર્શાવાય છે તેમાં ગ્રંથિ ભેદવાથી ઉત્પન્ન થતા તેમજ ઉપશમ શ્રેણિમાં આરૂઢ થયેલાને ઉદ્ભવતા એ બંને પ્રકારનાં પથમિક સમ્યક્ત્વ માટે અવકાશ છે. ઓપશમિક ચારિત્રનું લક્ષણ
___ चारित्रमोहनीयोपशमप्रभवत्वं औपशमिकचारित्रस्य लक्षणम् । (૭૦) અર્થાત્ ચારિત્ર-મેહનીય કમના ઉપશમથી ઉત્પન્ન થતે ભાવ પથમિક ચારિત્ર” છે. ક્ષાયિક ભાવના નવ ભેદો
ક્ષાયિક ભાવના (૧) સમ્યકત્વ, (૨) ચારિત્ર, (૩) જ્ઞાન, (૪) દર્શન, (૫) દાન, (૬) લાભ, (૭) ભેગ, (૮) ઉપભેગ અને (૯) વીર્ય એમ નવ ભેદ છે. તેના અનુકમે લક્ષણે પ્રતિપાદન કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org