SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકા, ૩૫ થઇ શકે નહિ અર્થાત્ જેનુ' પરિણામ પ્રત્યેાજન છે તે પારિણામિક અથવા પરિણામથી નિવૃત્ત તે પારિણામિક એમ કહેવાય તેમ નથી, કારણ કે એમ કરવા જતાં તેા જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વને સાદિ માનવાના અનુચિત પ્રસં’ગ પ્રાપ્ત થાય છે. પરિણામને પ્રચેાજન માનવાથી પૂ અવસ્થામાં જીવ હતા નહિ એમ માનવું પડે. એવી રીતે નિવૃત્ત પક્ષમાં પણ દોષ ઉદ્ભવે. આથી પારિણામિકમાં રાક્ષસાદિની જેમ વાર્થિક પ્રત્યય સમજવા એમ ભાવ-લેાક-પ્રકાશનું કથન છે, જ્યારે અનુયોગદ્વારની શ્રીમલયગિરિસૂરિષ્કૃત વૃત્તિના ૧૧૪ મા પત્રમાં તે " परिणमनं - तेन तेन रूपेण वस्तूनां भवनं परिणामः, स एव तेन वा निर्वृत्तः पारिणामिकः " એવા ઉલ્લેખ છે. પાંચ ભાવાની ઉત્પત્તિ~ પાંચ ભાવા પૈકી પ્રથમના ત્રણ ભાવા કના ઘાતથી ઉદ્દભવે છે. અ ધ્યાનમાં રાખવું કે કમના ઘાત સથી અને દેશથી એમ બે પ્રકારે છે. સર્વથી ઘાત પેાતાના વીર્યની અપેક્ષાને અધીન છે, જયારે દેશથી ઘાત તે સકમ આત્માના પ્રયાગથી ઉત્પન્ન થાય છે, જેમ દારૂના મદથી ગીત, નૃત્ય, હાસ્ય વગેરેના પ્રાદુર્ભાવ થાય છે તેમ ચેાથેા ભાવ પાતે ઉપાર્જન કરેલા કર્માંના ઉદયથી ઉદ્દભવે છે જયારે પાંચમે ભાવ તે નિનિમિત્તક છે. આ પાંચ ભાવા ઉપરાંત કેટલાક વેદક નામના છઠ્ઠો ભાવ પણ માને છે, તેનું લક્ષણ ગ્રન્થકાર એમ આપે છે કે अनन्तानुबन्धिमिध्यात्वमिश्रजानां क्षये सति सम्यक्रवपुञ्जક્ષય રળવરમમયે ચામપુર્વે જયં વર્ચ ક્ષનમ્ । (૬૮ ) અર્થાત્ અનન્તાનુબન્ધી કષાય, મિથ્યાત્વ-મેહનીય અને મિશ્ર મેાહનીયના પુજના નાશ થયા પછી સમ્યક્ત્વ-મેહનીયના પુજના ક્ષયરૂપ કાર્યાંના અન્તિમ સમયમાં આ પુજમાંથી તે સમયે બાકી રહેલા ચરમ પુદ્ગલના જે વેદનરૂપ અનુભાવ થાય તે વેદક ’ભાવ છે. કેટલાક આને ક્ષાચેાપશમિક ભાવમાં જ અતર્ભાવ કરે છે. સાન્નિપાતિક ભાવ કેટલાક ગ્રન્થકારો વૈદકને બદલે સાન્નિપાતિક ભાવને છઠ્ઠા તરીકે ગણાવે છે. એનુ લક્ષણ દર્શાવતાં શ્રીમલય(ગગરસૂરિ અનુયોગ૰ ની વૃત્તિના ૧૨૨ મા પત્રમાં કહે છે કે— Jain Education International ૧ જુએ તત્ત્વાર્થાધિની બૃહદ્ વૃત્તિ { ભા. ૧ પૃ. ૧૪૦ ). ૨ સરખાવે। ભાવલેાકપ્રકાશને નીચે મુજબના લાક: ~~~ “ વŕનામેન નિવૃત્ત, વૃત્તિ વાઘ ન સમયેત્ । સન્યાં નિતૌ માäિ, નવછાત્રે: પ્રસજ્જä || ૨૮ || ’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy