SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૨ જીવ-અધિકાર. [ પ્રથમ આવે છે. આ લક્ષણ ખરી રીતે જોતાં યથાર્થ નથી, તે અતિવ્યાતિ દેષથી ગ્રસ્ત છે; કેમકે ઔદયિક અને પરિણામિક ભાવે તે અજીવમાં પણ રહેલા છે. પરંતુ એ વાત સત્ય છે કે જવમાં પાંચ ભાવે સંભવી શકે છે, જ્યારે અજીવના સંબંધમાં તે ઔદયિક અને પરિણામિક આ બે જ ભાવ અસ્તિત્વ ધરાવે છે. આ સંબંધમાં પ્રસ્થકારનું સવિનય ધ્યાન ખેંચતાં તેમણે જે ખુલાસો કર્યો હતે તે નીચે મુજબ તેમના શબ્દોમાં રજુ કરવામાં આવે છે – ઔદયિક ભાવના ગતિ, કષાય વિગેરે જે ભેદે ગણાવવામાં આવે છે તે ભેદે પુદગલેમાં બીલકુલ ઘટી શકતા નથી, કારણ કે ગતિ, કષાય વગેરેને ઉદય તે જીવેને જ હોય છે, વળી ભવ્યપણું, અભવ્યપણું, જીવપણું એ ભેદે પણ જીવમાં જ ઘટી શકવાના, અજીવમાં નહિ. પ્રકારતરથી, ઉપલક્ષણથી અથવા વ્યુત્પત્તિથી પરિણામિકને અર્થ રૂપાન્તર કરવામાં આવે અને તે અર્થ ભલે પુદ્ગલેને પણ લાગૂ પડે, પરંતુ સૂત્રકાર (શ્રીઉમાસ્વાતિ)ના બતાવવા પ્રમાણે તે આ ભેદે જીવને જ લાગૂ પડી શકતા હેવાથી તેને "અતી લક્ષણની ગણનામાં લેવામાં કઈ પણ જાતને વાંધો નથી અને આવી રીતે વિચાર ન કરતાં સ્થળ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે પથમિક વગેરે ભાવે પણ જીવમાં ઘટી શકવાના નહિ, કારણ કે પથમિક અવસ્થા પણ કજન્ય છે અને કર્મ તે પીગલિક છે, માટે તેની પણ શા માટે જીવના સ્વતત્ત્વની કેટીમાં ગણના કરવી ? પાંચ ભાનાં નામો– ઉપર્યુક્ત પાંચ ભાવોના નામ અનુક્રમે (૧) પથમિક, (૨) ક્ષાયિક, (૩) સાપશમિક, (૪) ઔદયિક અને (૫) પારિણામિક છે. • fafફpહેતુfઃ રાતો વા જવાનાં તત્તધ્રાતા મયનાનિ મfમgમાહિfમઃ પરિતિ માયા: " અથોત વિશિષ્ટ કારણોને લઈને અથવા પોતાની મેળે જવાનું તે તે રૂપે થવું તે અથવા ઉપશમ વગેરે પર્યાથી જે થાય છે તે “ ભાવા” કહેવાય છે. ૧ સામાન્ય રીતે લક્ષણો બે પ્રકારનાં હોય છે...( અ ) તસ્થ લક્ષણ અને (આ ) અતસ્થ લક્ષણ. જે લક્ષણ લક્ષ્યને વિષે સ્વરૂપભૂત હોઈ અન્યની વ્યાવૃત્તિ કરે તે “ તસ્થ લક્ષણ' કહેવાય છે. જેમકે ઉપગવાન પદાર્થ જીવ કહેવાય, ઉષ્ણુ સ્પર્શવાન પુગલ અગ્નિ કહેવાય ઇત્યાદિ. આ લક્ષણો જીવાદિમાં રહીને જ અન્યની વ્યાવૃત્તિ કરાવે છે. જે લક્ષણ લયમાં કાયમ ન રહેવા છતાં પણ લક્ષ્યને પરિચય કરાવે અને સાથે સાથે બીજાની વ્યાવૃત્તિ પણ કરાવે તે “ અતસ્થ લક્ષણ” કહેવાય છે. જેમકે દેવદત્ત રંડવાળો છે, જટાવાળે તપસ્વી છે ઇત્યાદિ. આ લક્ષણ છવને વિષે ઉપગની જેમ કાયમને માટે રહેતાં નથી, પરંતુ લયરૂપ દેવદત્ત અને પરવીને બંધ કરવા ઉપરાંત અલભૂલ ચવ વગેરેની બાવૃત્ત પણું રૂડી રીતે કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy