________________
૩૨૯
ઉલ્લાસ 1
આહંત દર્શન દીપિકા. મહાબુદ્ધિશાળી છેલ્લા દશ પૂર્વધર શ્રી આર્યસૂરિ જ સુધી કાલિક શ્રતને અનુગ પૃથ ન હતો, કેમકે તે સમય પર્યન્ત તે શ્રોતા અને વક્તા સતેજ બુદ્ધિવાળા હતા. વિશેષમાં આ સમય સુધી દરેક સૂત્રમાં ચરણકરણાનુગ, ધર્મકથાનુગ, ગણિતાનુગ અને *વ્યાનુયોગ એ ચારે અનુયાગ વિસ્તાર સહિત વર્ણવતા હતા. જુઓ શ્રીજિનપ્રભસૂરિકૃત q3નામ ગાથાનું “વિવરણ
આ પછી શ્રી આરક્ષિતસૂરિએ જ્ઞાનબળથી ભવિષ્યમાં માનવીઓ મતિ, મેધા, ધારણા વગેરેમાં અસમર્થ થશે એમ જાણ આ છ ઉપર ઉપકાર કરવાના હેતુથી કાલિકાદિ શ્રતના વિભાગે અનુગો અને “ન પણ જુદા કર્યા–તેને ગેપવ્યા. આથી પૃથર્ ભાગમાં એકેક સૂત્રે એકેક અનુગ બતાવાય છે, બાકીના ત્રણ બતાવાતા નથી. એટલે ત્યાં નાના સમવતારની ભજના છે એમ સમજવું.
૧-૪ આચારાંગ વગેરે કાલિક શ્રુતને પ્રથમ ચરણકરણાનુગ ' કહેલ છે. ઋષિભાષિત, - ઉત્તરાધ્યયન વગેરેમાં મોટે ભાગે નમિ, કપિલ પ્રમુખ મહર્ષિઓની ધર્મ-કથાઓ છે, એથી આને બીજે “ધર્મકથાનુગ ' ગણવામાં આવે છે. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ વગેરેમાં સૂર્ય, ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર વગેરેની ગતિ ઇત્યાદિ સંબંધી ગણિત પ્રધાન પદ ભગવે છે, તેથી તેને “ ગણિતાનુગ ' કહેવામાં આવે છે. સમગ્ર દષ્ટિવાદમાં પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ વડે જીવાદિ દ્રવ્યનું પ્રતિપાદન છે, એથી કરીને તેમજ એમાં સોનું, રૂપું, મણિ, મેતી વગેરે દ્રવ્યની સિદ્ધિ વર્ણવેલી છે, વાસ્તુ એ “ દ્રવ્યાનુયોગ 'ના નામથી ઓળખાય છે.
૫ આ વિવરણ મેં સંપાદન કરેલ અને શ્રેષ્ઠિ દે. લા. જે. પુ. સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલ અષ્ટલક્ષાર્થી વગેરે અનેકાર્થી સાહિત્યમાં છપાયેલું છે. જુઓ પૃ. ૧૨૭–૧૩૩.
૬-૮ આના અનુક્રમે અવધ-શકિત, પાઠ-શક્તિ અને અવવારણ-શક્તિ એ અર્થ છે.
૯ નોની વ્યાખ્યા અતિશય ગૂઢ અર્થવાળી છે. તે સુખેથી ગ્રહણ કરી શકાય તે માટે તેને અલગ કર્યો. બીજાં અપરિગામી, અતિપરિણામી અને પરિણામી એવા ત્રણ પ્રકારના શિષ્યોના અનુપ્રાર્થે નયન ઇદે વિભાગ કરવામાં આવ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમાં અલ્પ બુદ્ધિવાળા છે, જેઓ અગીતાર્થ છે અને જેઓ જિન-વચનનું રહસ્ય સમજ્યા નથી એવા શિખ્યાને 6 અપરિણામી ' કહેવામાં આવે છે. આવા શિષ્ય, માત્ર જ્ઞાન જ કલ્યાણકારી છે અથવા તે કેવળ ક્રિયા ક૯યાણકારી છે એમ મિથ્યાવ ભાવને પામે. જેઓ અતિવ્યાપ્તિ ઇત્યાદિ વડે જિન-વચનમાં અપવાદ દષ્ટિવાળા હોય તેમને * અતિપરિણામી ' જાણવા. આવા શિષ્યો અમુક નયના આધારે કરેલા કથનને જ પ્રમાણુ તરીકે ગણી લે. જેઓ જૈન સિદ્ધાન્ત સારી રીતે સમજ્યા હોય તેઓ “પરિણમી' કહેવાય છે. તેઓ કંઈ પૂવે ગણાવેલા બે પ્રકારના શિષ્યોની જેમ મિથ્યાવી બને એવો સંભવ નથી, પરંતુ વિસ્તૃત વ્યાખ્યા કરતી વેળા દર્શાવેલા સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ભેદે તેઓ પ્રહણ કરવા સમર્થ નથી. આ વાતને લક્ષ્યમાં રાખીને નયન વિભાગ કર્યો છે.
૧૦ જોકે આ પ્રમાણે થી આર્ય રક્ષિતરિએ અનુગે અને ન ગેપવ્યા તેને અપલાપ કર્યો, છતાં તેમને જમાલિ પ્રમુખની જેમ નિવ તરીકે ઉલલેખ ન થઈ શકે, કેમકે તેમણે અનુગ અને તયોને અભાવ કહ્યો નથી તેમજ મિથ્યાત્વ ભાવથી પણ તેનું ગેપન કર્યું નથી, કિન્તુ પ્રવચનના હિતાર્થે જ તેમણે તેમ કર્યું છે.
4.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org