________________
ક૨૬
જીવ-અધિકાર.
[ પ્રથમ
આના સંબંધમાં સમભિરૂઢનું કહેવું એ છે કે ધર્મ પ્રદેશ છે. તે પ્રદેશ ધર્મ છે એ કથન સયુક્તિક નથી. એનું કારણ એ છે કે અત્ર બે સમાસે થાય છે?—(૧) તપુરુષ અને (૨) કર્મધારય. જો “ધર્મ”શબ્દથી સપ્તમી સમજીએ તે સપ્તમી તપુરૂષ અને પ્રથમ સમજીએ તો કર્મધારય થાય છે. અત્રે એ શંકા ઉઠાવવી અસ્થાને છે કે અત્ર બે વાકની સંભાવના છે તેને બદલે બે સમાસેની વાત કહી તે અસંગત છે, કેમકે સમાસારંભ વાક્યોમાં સમાસને ઉપચાર કરાય છે. અથવા અલકુ સમાસની અત્ર વિવેક્ષા છે. આ પ્રમાણે અત્ર એ સમાસ માટે સ્થાન હોવાથી કયા સમાસવાળું કથન છે તે સમજાતું નથી. તપુરૂષ સમાસ પૂર્વકનું કથન છે એમ તે કહી શકાય તેમ નથી, કારણ કે એમાં એ દેષ ઉદભવે છે કે ધર્મને વિષે પ્રદેશ છે એમાં ભેદની આપત્તિ છે, જેમકે કુંડામાં બોર. વળી પ્રદેશ અને દેશી એ બે જુદા જણાતા નથી. વળી અભેદમાં પણું સપ્તમીને પ્રયોગ જોવાય છે, જેમકે ઘટમાં રૂપ આ પ્રમાણે બંને પ્રકારે નજરે પડતા હોવાથી સંશયરૂપ દેષ આવે છે. જે કર્મધારય સમાસ સ્વીકારવામાં આવે તે વિશેષતાપૂર્વક કથન કરવું જોઈએ કે ધર્મ મ ાઠ એટલે સમાનાધિકરણ કર્મધારય થાય.
અત્ર વળી એ પ્રશ્ન સંભવે છે કે આ પ્રદેશ સમગ્ર ધર્માસ્તિકાયથી અવ્યતિરિક્ત હોઈ સમાનાધિકરણરૂપે તેને નિર્દેશ કરાય છે કે એક દેશવૃત્તિ હાઈ કરીને તેમ થાય છે? આને ઉત્તર એ છે કે એકદેશવૃત્તિથી નહિ, બાકીનું કથન પહેલાની જેમ ઘટાવી લેવું.
આ સંબંધમાં એવભૂતનું કથન એ છે કે પ્રદેશારિરૂપે ધર્માસ્તિકાયાદિકને વસ્તુરૂપે સ્વીકા રવી ગ્ય નથી. કેમકે દેશ અને પ્રદેશ જેવી કોઈ ચીજ નથી; કેમકે અખંડ વસ્તુ જ ઉપયોગમાં આવે છે. વળી પ્રદેશ અને પ્રદેશી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન હોય તે તેવી ઉપલબ્ધિ કેમ થતી નથી? જે અભિન્ન કહેશે તે ધર્મ અને પ્રદેશ એક બીજાના પર્યાયરૂપ કરશે, કેમકે બંનેને વિષય એક જ છે. વળી એકી સાથે બે પર્યાનું ઉચ્ચારણ નિરર્થક છે. કધાદિના સંબંધમાં નાના અભિપ્રાયો
વિશેષા ની ૨૯૬ મી ગાથાથી માંડીને તે ર૯૭૭ મી સુધીમાં ક્રોધ, માન, માયા અને લેભ પૈકી કે રાગ તરીકે અને કેને ઠેષ તરીકે કયો નય નિર્દેશ કરે છે તેને જે વિચાર કરવામાં આવ્યો છે તેના આધારે કહીશું કે અપ્રીતિરૂપ જાતિવાળા ક્રોધ અને માનને સંગ્રહનય દ્વેષ કહે છે, જ્યારે પ્રીતિરૂપ જાતિવાળાં માયા અને લેભને એ રાગ કહે છે.
કઈક અભિલાષાપૂર્વક પરને ઠગનારી માયાને પ્રયોગ થાય છે અને આ અભિલાષ તે પ્રીતિસ્વરૂપી છે. એટલે એથી માયા પણ રાગ છે.
કહેવાની મતલબ એ છે કે રાગ એ પ્રીતિસ્વરૂપ છે, જ્યારે દ્વેષ અપ્રીતિરૂપ છે. આ રાગદ્વેષ ક્રોધાદિથી અત્યંત ભિન્ન નથી, પરંતુ તેને અભિપ્રાય અનુસાર અંતર્ભાવ થાય છે. ક્રોધ તે અપ્રીતિસ્વરૂપ છે એ વાતની કેને પ્રતીતિ નથી ? વળી માન પણ પારકાના ગુણેને સહન નહિ કરી શકનારે હેવાથી અપ્રીતિરૂપ છે. આ પ્રમાણે ક્રોધ અને માન અપ્રમાત્મક હોવાથી તે દ્વેષ છે. લેભ અભિવ્યંગસ્વરૂપી હોવાથી પ્રીતિરૂપે સુપ્રસિદ્ધ છે એટલે એ રાગ છે.
૧ નિગમ નયને સંગ્રહ અને વ્યવહારમાં સમાવેશ થતો હોવાથી એના અભિપ્રાયની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org