________________
૩૨૧
ઉલ્લાસ ]
આત દર્શન દીપિકા. ઉપસર્ગ ભેદ
આના ઉદાહરણ તરીકે રંતિદત્ત, અવતરે ઉલ્લેખ કરાય છે. શબ્દ-નયને જુસૂત્ર પ્રત્યે આક્ષેપ
ત્રાજુસૂત્રને શબ્દ–નય પૂછે કે ભાઈ સાહેબ! જ્યારે તમે કાળમાં ભિન્નતાને લઈને પદાર્થ માં ભેદ-ભાવ માને છે, તે લિંગ, વચન ઈત્યાદિના ભેદથી પદાર્થમાં ભિન્નતા થાય છે એ વાત કેમ સ્વીકારતા નથી? આવી રીતે પ્રશ્ન પૂછનાર શબ્દ-નય પ્રતિ એનાથી વિશુદ્ધ એ સમભિરૂઢ નય
કટાક્ષ કરે છે કે હે દોઢડાહ્યા! શબ્દમાં ફરક પડતાં અર્થમાં ભિન્નતા શમ્નય
આવે છે, એ વાત તો સાચી છે ને ? તે પછી લિંગાદિમાં ભિન્નતા પ્રતિ
ઉપસ્થિત થતાં અર્થમાં ભેદ પડ્યો છે એમ કબૂલ કરનારા તમે સમભિરૂટની શબ્દમાં ભેદ પડતા અર્થમાં પણ ભિન્નતા ઉદ્દભવે છે, એ વાત વક્રોક્તિ કેમ સ્વીકારતા નથી? આ પ્રશ્ન ઉપરથી સમભિરૂઢના સ્વરૂપની
કંઈક ઝાંખી થઈ હશે. છતાં તેનું સ્પષ્ટ જ્ઞાન થાય તે માટે આપણે એનું લક્ષણ ગ્રન્થકારના શબ્દોમાં જોઈ લઈએ.
व्युत्पत्तिभेदेन भिन्नानां घट-कुट-कुम्भादिपर्यायवाच्यार्थानां भेदाभ्युपगमपराध्यवसाय विशेषरूपत्वम्, भावमात्राभिधानप्रयोजकत्वे सति पर्यायशब्दान्तरासक्रमणाभ्युपगमपराध्यवसायविशेषरूपत्वम् , सज्ञाभेदनियतार्थभेदाभ्युपगमपाध्यवसाय विशेषरूपत्वं वा समभिહૃહસ્થ ક્ષમ્ (૬૦)
અર્થાત "ધટ, કુટ, કુમ્ભ વગેરે પર્યાની વ્યુત્પત્તિમાં ફરક હોવાને લીધે એ પર્યાને અર્થ પણ ભિન્ન છે એમ સ્વીકારવામાં તત્પર એવા અધ્યવસાય-વિશેષને “સમભિરૂઢ” કહેવામાં આવે છે, અથવા ભાવમાત્રને ગ્રહણ કરનાર હોવા છતાં બીજા પર્યાયવાચક શબ્દના સંક્રમણને નહિ અંગીકાર કરનારે એ અધ્યવસાય “ સમભિરૂઢ' કહેવાય છે. અથવા સંજ્ઞા નામને ભેદ પડતાં તેને નિયત અર્થ પણ બદલાય છે એમ માનવામાં તત્પર અધ્યવસાય તે “સમભિરૂઢ” સમજ.
૧ વિશિષ્ટ ચેષ્ટાવાળો પદાર્થ તે “ઘટ ' છે. ૨ કુટિલતાને વેગવાળો પદાર્થ તે “ કુટ ' છે. ૩ કુતિતપણે પૂર્ણ હોય તે “ કુભ ' છે.
જ ઇન્દ્ર, શક, પુરંદર એવું અન્ય દષ્ટાન્ત પણ આપી શકાય. રાથનાઇઝ, gયાત પુર: એ પ્રમાણે આની વ્યુત્પત્તિએ છે.
AL
નાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org