________________
૩૧૮ જીવ–અધિકાર.
[ પ્રથમ આ ઉપરથી નિગમ, સંગ્રહ અને વ્યવહારનું સ્વરૂપ ધ્યાનમાં આવ્યું હશે. આ ત્રણ ન પરત્વે એટલું ઉમેરવું આવશ્યક સમજાય છે કે નિગમ અને વ્યવહાર એ બે નયે અશુદ્ધ દ્રવ્યાનુભવિક હોવાને લીધે અશુદ્ધ છે, જ્યારે સંગ્રહ નય શુદ્ધ દ્રવ્યવાદી હોવાથી શુદ્ધ છે. નૈગમ અને વ્યવહારની અશુદ્ધતા તથા સંગ્રહની શુદ્ધતા અનુગદ્વારની વૃત્તિગત નિમ્નલિખિત ઉલ્લેખ આ વાતની સાક્ષી પૂરે છે –
" नैगमव्यवहाररूपोऽशुद्धः, कथम् ? यतो नैगम-व्यवहारौ अनन्तयणुकायनेकन्यत्त्यात्मकं कृष्णायनेकगुणाधारं त्रिकालविषयं चाविशुद्ध द्रव्यमिच्छतः; सङ्ग्रहश्च परमाण्वादिसामान्यादेकं तिरोभूतगुणकलापमविद्यमानपूर्वापरविभागं नित्यं सामान्यमेव द्रव्यमिच्छत्येव; तच्च किलाने कताभ्युपगमकलङ्केनाकलङ्कितत्वात् शुद्धं ततः शुद्धद्रव्याभ्युपगमपरत्वात् शुद्धमेवायमिति " અર્થાત નિગમ અને વ્યવહાર અનંત દ્વયાણકાદિ અનેક વ્યક્તિમય, કૃષ્ણ વગેરે અનેક ગુણેના આધારભૂત, ત્રિકાલવિષયી અને અશુદ્ધ દ્રવ્યની અભિલાષા રાખે છે, જ્યારે સંગ્રહ તે પરમાણુ ઈત્યાદિ સામાન્યમાંથી એક જેને ગુણ-સમૂહ તિભાવને પામે છે એવા, પૂર્વ અને અપર વિભાગો જેમાં અસ્તિત્વ ધરાવતા નથી એવા, નિત્ય, સામાન્ય જ દ્રવ્યને ઈરછે છે. આ દ્રવ્ય અનેકતાના અંગીકારરૂપ કલંકથી અકલંકિત હોવાને લીધે શુદ્ધ છે અને આવા શુદ્ધ દ્રવ્યને સ્વીકાર કરવામાં સંગ્રહ નય તત્પર હોવાથી એ શુદ્ધ છે.
આ પ્રમાણે આપણે દ્રવ્યાર્થિક નયના નગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણે પ્રકારે વિચાર્યું. હવે પર્યાયાર્થિક નયના જુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ ચાર ભેદેને વિચાર કરીશું. જુસબનું લક્ષણ
प्रत्युत्पन्नग्राह्यध्यवसायविशेषरूपत्वमृजुसूत्रस्य लक्षणम् । (५७)
૧ આનું બીજું નામ ઋજુશ્રુત’ પણ છે. આ હકીકત તેમજ આ નયના લક્ષણ ઉપર વિશેષાની નિમ્નલિખિત ગાથા પૂર્ણ પ્રકાશ પાડે છે –
" उज्जु रुजु सुयं नाणमुज्जुसुयस्स सोऽयमुज्जुसुओ।
सुत्तय था जमुज्जु वत्थु तेणुज्जुसुत्तो ति॥ २२२ ॥" [ તે જ્ઞાન ગુઋતય રોડ મૃગુઋતઃ |
सूत्रयति वा यजु वस्तु तेन ऋजुसूत्र इति ॥ ] અર્થાત અજુ એટલે અવક ( સરળ ) અને શ્રત એટલે બધ; આથી જેને સરળ બંધ હોય તે હજુશ્રુત' કહેવાય છે. જે વસ્તુને સરળ રીતે કથે છે તે “જાસૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org