________________
૩૦
જીવ–અધિકાર.
[ પ્રથમ
જ્ઞાનાદિ આત્માના ગુણુરૂપ છે એ અશુદ્ધ સદ્ભૂત વ્યવહારનું ઉદાહરણ છે, કેમકે મતિજ્ઞાન એ આત્માને અશુદ્ધ ગુણ છે, એ આવરણવિશિષ્ટ છે.
( ૧ ) `ગુણુ-ગુણી, ( ૨ ) પર્યાય—પર્યાયી ( દ્રવ્ય ), ( ૩ ) સ્વભાવ-સ્વભાવી, ( ૪ ) *કારક-કારકી, ( ૫ ) પ્રક્રિયાક્રિયાવાનું, ( ૬ ) સંજ્ઞા-સ’શી, ( ૭ ) જાતિ-ક્તિ, ( ૮ ) નિત્ય દ્રવ્ય-વિશેષ એ બધા એક દ્રવ્યાનુગત ભેદો છે.↑ આ સંબંધમાં નય–પ્રદીપના ૧૦૨માં પત્રમાં ઉલ્લેખ્યું છે કે
" गुणगुणिनोद्रव्य पर्याययोः सञ्ज्ञासञ्ज्ञिनोः स्वभावतद्वतोः कारकततोर्भेदाद् भेदकः सद्भूतव्यवहारः "
ન્યાદિના ઉપચારથી પર દ્રવ્યના પરિણામના સંસર્ગથી ઉત્પન્ન થનારા ઉપનય ‘ અસદ્ભૂત વ્યવહાર ’ છે. જેમકે શુદ્ધ સ્ફટિક મણિ જેવા જીવ છે. આ કમના પંચવર્ણાદિ રૌદ્ર પરિણામ છે. આ પરિણામના સંબંધ જીવ-પ્રદેશાની સાથે કમ-પ્રદેશના સંસગ રૂપ છે. આ દ્વિતીય પ્રકારના ઉપનયના નવ ભેદો પડે છે અને તે નીચે મુજબના નવ જાતના ઉપચારોને આભારી છેઃ—
( ૧ ) દ્રવ્યમાં દ્રવ્યને, ( ૨ ) ગુણમાં ગુણને, ( ૩ ) પર્યોચમાં પર્યાચના, (૪) દ્રવ્યમાં ગુણના, ( ૫ ) દ્રવ્યમાં પર્યાયને, ( ૬ ) ગુણમાં દ્રવ્યને, ( ૭ ) ગુણમાં પર્યાયને, (૮) પર્યાયમાં દ્રવ્યને અને ( ૯ ) પર્યાયમાં ગુણને.
આ પ્રત્યેકનું સ્વરૂપ દેષ્ટાન્ત દ્વારા વિચારીએ. (૧) જીવ પુદ્ગલરૂપ છે. અત્ર જીવ દ્રવ્ય છે તેમજ પુદ્ગલ પણ દ્રવ્ય છે. ઉપચારથી અસદ્ભૂત વ્યવહારથી ( નહિ કે પરમાથ થી ) જીવને પુદ્ગલ માનવામાં આવે છે.અત્ર ક્ષીર–નીરને ન્યાય ઘટાવવા. એટલે કે દૂધમાં જળ મળતાં તે દૂધ ગણાય
6.
Jain Education International
निरुपाधिगुणगुणिनाभेदकोऽनुपचरितसद्भूतव्यवहारः
सोपाधि गुणगुणिनोर्भेद विषय उपचरितसद्भूतव्यवहारः
૧ રૂપ વગેરે ગુણે અને ઘટ ગુણી,
૨ વીંટી, કંદરા વગેરે પર્યાય અને સાનું એ પર્યાયી ( જેમાં પર્યાય રહે છે તે ).
૭ જ્ઞાનાદિ સ્વભાવ અને એને ધારક જીવ સ્વભાવી.
૪ ચક્ર, દંડ વગેરે કારક અને કુંભાર એ કારકી ( કારકવાન્ ).
૫ લખવા વગેરેની ક્રિયા અને લેખક ક્રિયાવાન્.
૬ આ ગુણુ-ગુણી ઇત્યાદિ ઉપનયના અર્ધાં જાણવા. વિશેષમાં અવિનાશી અવસ્થામાં અવયવ વગેરે યથાક્રમ અવયવી આદિના આશ્રયે રહે છે, પરંતુ વિનાશી અવસ્થામાં તે અનાશ્રિતપણે રહે છે.
૭ આ સંબંધમાં દ્રવ્યાનુયાગ૦ ( પૃ ૧૦૦ )માં કહ્યું છે કે—
16
,,
असद्भूतव्यवहारो द्रव्यादेरुपचारतः ।
परपरिणतिश्लेष-जन्यो भेदो नवात्मकः ॥
"
For Private & Personal Use Only
www.jainelibrary.org