SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ જીવ-અધિકાર [ પ્રથમ (૩) ઉત્પાદ-વ્યય ગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય પર્યાયે પ્રતિસમચ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે એટલે કે તે અનિત્ય છે. આ પર્યાની મુખ્યતાએ વસ્તુને વતુરૂપ કહેવી તે આ નયનું કાર્ય છે. અન્ય વિજાતીય પર્યાયના સંગને અભાવ હેવાથી તે શુદ્ધ પર્યાય કહેવાય છે. (૪) સત્તાસાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય દરેક પદાર્થ પ્રત્યેક સમયમાં ઉત્પાદ, વિનાશ અને સ્થિરતા (સત્તા) એ ત્રણે લક્ષણવાળો છે. આ વાક્યમાં પદાર્થની મૂળ સત્તાને નિર્દેશ છે, પરંતુ પર્યાયનું શુદ્ધ સ્વરૂપ ન બતાવ્યું, કેમકે તે તે સત્તાના ઉલ્લેખના અભાવમાં ઘટે છે. આથી આ પર્યાય અશુદ્ધ છે. (૫) કર્મોપાધિનિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય– સંસારી જીવને પર્યાય સિદ્ધના જેવું છે. આ કથન આ નયને આભારી છે, કેમકે અત્ર સંસારી જીવમાં કમરૂપ ઉપાધિ હોવા છતાં તેની વિરક્ષા નહિ કરતાં જ્ઞાન, દર્શન જેવા શુદ્ધ અને નિત્ય પર્યાયની વિવક્ષા કરવામાં આવી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ લીલા લાકડાને સળગાવતાં ધૂમાડો ઉત્પન્ન થાય છે તે અગ્નિની ઉપાધિ છે, તેમ સંસારી જીવને લાગેલાં કર્મો પણ ઉપાધિરૂપ છે, તે કંઈ આત્માના ગુણરૂપ નથી. (૬) કપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય— ઉપર્યુક્ત પ્રકારમાં ઉપાધિની વિવક્ષા કરવામાં આવી નથી, પરંતુ અત્ર એથી વિપરીત હકીકત છે. આ નય અનુસાર કહી શકાય છે કે સંસારી જીને જન્મ-મરણરૂપ વ્યાધિ છે. અત્ર જન્મ-મરણ કમરૂપ ઉપાધિની અપેક્ષાએ છે. અર્થાત્ આ પર્યાય કમરૂપ સંગને આભારી છે. એટલે આ વર્તમાન પર્યાય અનિત્ય છે અને કર્મના સંગને લીધે એ અશુદ્ધ પણ છે. શ્રીદેવસેનના મત પ્રમાણે નવ નયે નયચક્રમાં તેના કર્તા શ્રીદેવસેન નગમાદિક સાત નને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયામાં અન્તર્ભાવ ન કરતાં તેને ભિન્નરૂપે માને છે. અર્થાત્ એમના મત પ્રમાણે નાની સંખ્યા નવની છે. વિશેષમાં તેઓ સદભૂત વ્યવહાર, અસભૂત વ્યવહાર અને ઉપચરિત અસદભૂત વ્યવહાર એમ ત્રણ ઉપન માને છે). આ સંબંધમાં દ્રવ્યાનુયોગ (અ. ૮)ના ઉપન્ય પદ્યમાં નીચે મુજબના ઉદ્દગાર કાઢે છે – " इत्याद्यनेकविषयांश्च नयान् विहाय __संक्षिप्य तांश्च वचसाऽप्यधिकान् विधाय। बालावबोधन कृते किल देवसेन સ્તયાઝનાવી રાખ્યમ્ | ૨૬ | » અર્થાત અનેક વિષયવાળા નિશ્ચય અને વ્યવહાર સ્વરૂપી નયને પડતા મૂકી, આ બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy