SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા. ઉત્પાદ-વ્યય-સાપેક્ષ સત્તાગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક નય— પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રુવતા એમ ત્રણેથી યુક્ત છે, માટે આમાં આ નય કેઈને મુખ્ય કે ગૌણ ન ગણતાં આ સર્વેને સમાન ગણે છે. એક સમયે જે જે હૈયાત છે, તે બધાએ મુખ્ય છે એ આ નયને મત છે. એથી કરીને તે દ્રવ્યને ઉત્પાદાદિત્રયાત્મક માને છે. જેમકે કટક વગેરેને ઉત્પાદ-સમય તે જ કેયુર વગેરેને વિનાશ-સમય છે અને આ સમયમાં સુવર્ણની ત્રિકાલ-અબાધિત સત્તા તે છે જ. એથી ઉત્પાદાદિ સર્વને આ એક સરખું સ્થાન આપે છે. ભેદ-કલ્પના-સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય આ નય વસ્તુતઃ અભિન્ન ગુણ અને ગુણીમાં ભેદ માને છે. જેમકે આ ભિક્ષુકનું પાત્ર છે એ છઠ્ઠી વિભક્તિના પ્રયોગવાળા વાક્યમાં ભિક્ષુક અને પાત્ર ભિન્ન છે તેમ જ્ઞાનાદિ આત્માના ગુણ છે એ વ્યપદેશમાં છઠ્ઠી વિભક્તિને પ્રવેગ હોવાથી આત્મા અને જ્ઞાન જુદા છે. આ નય ગુણ અને ગુણીમાં કલ્પિત ભેદ માને છે, નહિ કે સ્વાભાવિક 'અવય દ્રવ્યાર્થિક નય– આ એક સ્વભાવવાળો નય છે. આ નય દ્રવ્યને ગુણસ્વભાવ, પર્યાયસ્વભાવી એમ જુદા જુદા સ્વભાવવાળું ન માનતાં ગુણ અને પર્યાય પણ સ્વભાવ છે એ દષ્ટિએ તેને અભિન ગણ દ્રવ્યને એક સ્વભાવવાળું માને છે. જેની હૈયાતીમાં જે હોય તે અન્વય” છે. જેમકે અમુક કબુગ્રીવાદિ આકાર હોય તો ઘડો હોય અને ઘડો હોય તે અમુક કનુગ્રીવાદિ હોય; આ જે પરસ્પર સંબંધ તે “અન્વય” છે. અહીં દ્રવ્ય પરત્વે ગુણ–પર્યાયરૂપ સ્વભાવ હોય તે જ દ્રવ્ય કહેવાય અને દ્રવ્ય હોય તે ગુણ-પર્યાયરૂપ સ્વભાવ હોય છે. આ પ્રમાણે જે પરરપર અવિનાભાવી સંબંધ કહે તે અન્વય દ્રવ્યાર્થિક નય છે. આ કારણથી તે દ્રવ્યનું જ્ઞાન થતાં આ અર્થ–બોધથી એના ગુણ અને પર્યાનું પણ જ્ઞાન થાય છે. છે. સાકાર અને નિરાકાર ઉપયોગ દરેક જીવને હોય છે, વાતે સમસ્ત છે “ ઉપગ-આત્મા ' છે. ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમ, ઉપશમ અને ક્ષયથી ઉદ્ભવતા ચારિત્રથી યુક્ત આત્મા ‘ચારિત્ર-આત્મા’ કહેવાય. પાંચમા ગુણસ્થાનથી તે તેરમાં ગુણસ્થાન સુધીના ઈવેને આ ઇલ્કાબ ઘટે છે. સિદ્ધો “ ચારિત્રઆત્મા’ ન કહેવાય. વીર્ય એ આત્માનો ગુણ છે. તે સર્વ કેવોમાં ક્ષાપશમિક કે ક્ષાયિક ભાવે દરેક સંસારી જીવમાં એછે વત્તે અંશે છે જ. આથી સર્વ સંસારી જી “ વીર્ય-આત્મા ' કહેવાય. આ ઉપાધિથી મુક્ત છ મુક્ત છે. આ આઠ પ્રકારે કંઇ સર્વ વન વિભાગ નથી. એ તે અપેક્ષાનુસાર-અવસ્થા પ્રમાણેના ભેદે છે. એથી કરીને તે સિદ્ધ જીવન કષાય-આત્મા, યોગ-આત્મા, વીર્ય-આત્મા અને ચારિત્ર-આત્મા તરીકે નિર્દેશ થઈ શકતો નથી. ૧ નયપ્રદીપના ૯૯ મા પત્રમાં દ્રવ્યાર્થિક નયના દશ પ્રકારે સૂચવ્યા છે, પરંતુ તેમાં આ પ્રમાણેને ક્રમ નથી. ત્યાં તે આને આ સ્થાન આપેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy