SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ ] આહંત દર્શન દીપિકા. ૨૯૩ તે જ સમયે કરેલું ન માનીએ અને નહિ કરાયેલું વર્તમાન સમયે જે કરાતું માનીએ તે તે વર્તમાન સમય વીત્યા બાદ કેવી રીતે કરાય? કેમકે તે સમય નાશ પામતો હોવાથી વિદ્યમાન જ છે અને અનાગત કાળ પણ અનુત્પન્ન હોવાથી વિદ્યમાન છે તેથી અતીત અને અનાગત કાળે પણ કેવી રીતે કાર્ય થાય ? ન જ થાય એ દેખીતું છે. વિશેષમાં સર્વ ક્રિયા–સમય કિયમાણ કાર્ય કરવાને) કાળ છે. આ દરમ્યાન ક્રિયમાણ વસ્તુ (કાય) નથી, કિન્તુ કિયા બંધ થયા પછી જે તરતને સમય તે સમયે કૃતકાલ ( કાર્ય-કાલ) છે એમ માનનારા વ્યવહાર–નયના ભક્તને એમ પણ પૂછી શકાય કે તમારાથી ક્રિયા વડે કાર્ય કરાય છે કે કિયા વિના? જો ક્રિયાથી કાર્ય કરાય છે તે પછી ક્રિયા અને કાર્ય ભિન્ન ભિન્ન કાળે કેમ માની શકાય ? ખેરના લાકડામાં છેદનની કેયા અને ખાખરમાં તેના કાર્યભૂત છેદ થાય છે એટલે કે ખેર છેદતાં ખાખર છેદાય છે એમ કહેવું શું શેભાપદ છે ? વળી ક્રિયા-કાલે કાર્ય થતું નથી, પરંતુ પછીથી થાય છે એ કથનથી તો નિભંગિણ ક્રિયા સર્વ અનર્થનું મૂળ ઠરે છે, કેમકે જ્યાં સુધી ક્રિયા પ્રવર્તે છે ત્યાં સુધી કાર્ય ઉત્પન્ન જ થઈ શકતું નથી–ઉત્પન્ન . થતા કાર્યમાં કિયા વિઘભૂત બને છે. આના બચાવ તરીકે એવી દલીલ કરવી કે ક્રિયા જ કાર્ય કરે છે, કિન્તુ કિયાના ઉપરમ થયા બાદ કાર્યની ઉત્પત્તિ છે, તે તે નિરર્થક છે, કેમકે કાર્યને કિયા સાથે એ શે વિરોધ છે કે જેથી કિયા કાર્ય કરે છે છતાં કિયા-કાલમાં કાર્ય ઉત્પન્ન ન થતાં ત્યાર બાદ થાય છે ? વળી ક્રિયાની સમાપ્તિ થયા પછી થનારું કાર્ય કિયાના આરંભ વિના કેમ થતું નથી ? શું કિયાને અનારંભ અને ઉપરમ અર્થથી એક નથી ? કહેવાની મતલબ એ છે કે ક્રિયાને અભાવ કિયાના આરંભની પૂર્વે તેમજ તેના ઉપરમમાં એમ ઉભય સ્થળે સમાન છે એટલે ક્રિયાના આરંભની પૂર્વે પણ કાર્ય ઉત્પન્ન થવું જોઈએ. ક્રિયા વિના કાર્ય થાય એ પક્ષ સ્વીકારે તે મૂર્ખતા છે કેમકે એમ માનવાથી તે ઘટાદિ કાર્યો કારણભૂત ક્રિયા વિના થવાં જોઈએ. વળી સ્વાધ્યાયાદિ સકિયા જે સાધુજને સિદ્ધિ માટે સાધે છે તે સર્વ નિરર્થક થશે. કારણ કે ક્રિયા વિના જ સર્વ થાય છે કિન્તુ તેના ઉપરમ બાદ નહિ એ વાત યુકિત-સંગત જણાય છે. ક્રિયા-કાલ અને નિષ્ઠા-કાલમાં કંઈ ભેદ નથી. જે કાર્ય ઉત્પન્ન કરનારી આરંભેલી ક્રિયા ઉત્તર કાળમાં પણ થતી હોય તે અનવસ્થા દેષ ઉદ્દભવે પણ એમ નથી, કેમકે કાર્યને ઉત્પન્ન કરનાર કિયા કાર્યની પૂર્વે પણ નથી તેમ પછી પણ નથી, પરંતુ તે સમકાલે જ છે, તેને તે જે સમયે આરંભ થાય છે તે જ સમયમાં તેની પૂર્ણાહુતિ પણ થાય છે. પ્રતિસમય અન્યાન્ય કાર્ય થાય છે. આ બધાની પરંપરાથી વિમુખ રહી અમુક કાર્યની ઈચ્છાવાળી વ્યક્તિ તે કાર્યમાં સાધનરૂપ પરંતુ તપ નહિ એવી જુદી જુદી ક્રિયાને પણ તેની ક્રિયા તરીકે ગણે છે એથી જ ક્રિયા-કાલ દીર્ઘ જણાય છેબાકી વસ્તુતઃ પ્રત્યેક કાર્યો અને તેની કિયા સમકાલીન છે એટલું જ નહિ પરંતુ તે એકસમયી છે. વન્દનમ્ય લિંગ વ્યવહારનય પ્રમાણે દ્રવ્ય-લિંગ વન્દનીય છે, જ્યારે નિશ્ચય-નય પ્રમાણે ભાવ-લિંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy