SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. અર્થાત્ ચારિત્રને ઉપઘાત થતાં જ્ઞાન અને દર્શનને પણ વધ થઈ જ જાય છે એમ નિશ્ચય –નય કહે છે, જ્યારે વ્યવહાર–નય પ્રમાણે ચારિત્રને નાશ થતાં શેષને નાશ થાય પણ ખરે ને નહિ પણ થાય. સમ્યકત્વ અને જ્ઞાનની ઉત્પત્તિના સંબંધમાં નિશ્ચયન-નયનું કહેવું એ છે કે જે સમ્યકૃત્વ અને જ્ઞાન સહિત હોય તેને તે ઉપન્ન થાય છે, જ્યારે વ્યવહાર-નયનું કથન એ છે કે જે એનાથી રહિત હોય તેને એ ઉત્પન્ન થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે વ્યવહાર–નય પ્રમાણે મિથ્યાષ્ટિ તેમજ અજ્ઞાની સમ્યકત્વ અને જ્ઞાનને પામે છે, તેઓ એના પ્રતિપદ્યમાનક છે, જ્યારે નિશ્ચય–નય અનુસાર સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની સમ્યક્ત્વ અને જ્ઞાનના પ્રતિપદ્યમાનક છે. વ્યવહાર-નયનું માનવું એ છે કે જે થયેલું વિદ્યમાન (હૈયાત) હોય તે ફરીથી થતું નથી અને કેઈથી કરાતું પણ નથી. દાખલા તરીકે પ્રથમ તૈયાર થયેલો ઘડો ફરી બીજી વાર કરાતો નથી. આમ છતાં જે કરાયેલું ફરી કરાય તે ક્રિયા ચાલૂ જ રહેશે અને ક્રિયા બંધ ન રહેવાથી કાર્ય પણ ચાલુ જ રહેશે–તે કદાપિ પૂરું નહિ થાય. આથી પ્રસ્તુતમાં મતિજ્ઞાનની પ્રાપ્તિમાં પણ અવસ્થા દેષ ઉપસ્થિત થશે. વિશેષમાં કરેલું પણ કરાય છે એમ સ્વીકારવામાં ઘટાદિ કાર્ય ઉત્પન્ન કરવામાં ચક-ભ્રમણ વગરે કિયા - નિષ્ફળ જશે, કેમકે તે ક્રિયાનું કાર્ય તે પ્રથમથી જ વિદ્યમાન છે. વળી નિશ્ચય-નયે સ્વીકારેલા સત્કાર્યવાદમાં પ્રત્યક્ષ વિરોધ પણ છે, કેમકે પહેલાં માટીના પિંડ વગેરે રૂપ અવસ્થામાં ઘટાદિ કાર્ય અવિદ્યમાન હોય છે અને એ કાર્ય તે કુંભારના વ્યાપાર બાદ થતું જણાય છે એટલે પૂર્વે નહિ થયેલું થતું જણાય છે. આથી કરીને વિદ્યમાન કાર્ય ઉત્પન્ન થાય છે એ કથન યુક્તિ-સંગત નથી. આ ઉપરાંત આ નયનું કથન એ છે કે કિયા-કાલ અને નિકા ( સમાપ્તિ )-કાલમાં ભેદ છે. કેમકે ઉત્પન્ન થતા ઘટાદિ કાર્યને ક્રિયા-કાલ અસંખ્યય સમયને જણાય છે તેથી કરીને જે સમયે ઘટાદિ કાર્યને પ્રારંભ થાય છે તે જ સમયે તે ઉત્પન્ન થાય છે એમ નહિ, કિન્તુ માટી લાવવી, ચાક ઉપર તેને મૂકવી તેના શિવક, થાસ, કેશ વગરે કિયા થયા બાદ ઘણા કાળે ઘટાદિની ઉત્પત્તિ થાય છે. કહેવાની મતલબ એ છે કે કિયાના પ્રથમ સમયે જ કાર્ય ઉત્પન થતું હોય તે તે ત્યાં જણાવું જોઈએ, પણ તે વખતે તે તે ત્યાં દષ્ટિગોચર થતું નથી. દાખલા તરીકે ઘટરૂપ કાર્ય શિવક, સ્થાસક, કેશ, કુશલ વગેરેના સમયે જણાતું નથી, કિન્તુ ઘરરૂપ કાર્યને લાંબે કિયાકાલ પૂર્ણ થયા બાદ એટલે ઘટને લગતી સર્વ ક્રિયાની પૂર્ણાહુતિમાં તે કાર્ય નજરે પડે છે. આથી એ ફલિત થાય છે કે ક્રિયા-કાલના અંતમાં જ કાર્ય વિદ્યમાન હોય છે, નહિ કે તે પૂર્વે આ સંબંધમાં નિશ્ચય-નયને અભિપ્રાય એ છે કે નહિ થયેલું કાર્ય અભાવરૂપ હોવાથી આકાશ-પુષ્પની જેમ થતું નથી. જે આકાશ-પુપની પેઠે અભાવરૂપ અવિદ્યમાન કાર્ય પણ ઉત્પન્ન થતું હોય તે ગધેડાને શીંગડાં પણ થવાં જોઈએ, કારણ કે અભાવ તે આકાશપુષ્પમાં અને આમાં સમાન છે. આથી કરેલું કરાતું નથી, એ વાત યુક્તિ-વિકલ જણાય છે. વળી ૧ આનું કારણ એ છે કે જ્ઞાન અને દર્શનની, ચારિત્રના સાધનરૂપે જ તાવિક સ્વરૂપવાળી અવસ્થિતિ છે; ચારિત્રના અભાવમાં અર્થ-ક્રિયાને અભાવ હોવાથી પરમાર્થથી અસત્યતા ઉદ્દભવે છે. ૨ આમાં એ હેતુ રહે છે કે કાર્યાને અભાવમાં પણ કારણ હોય છે. જેમકે અંકુરરૂપ કાર્યથી રહિત એવાં બીનું અસ્તિત્વ, ધૂમરૂપ કાર્યની વિમુખ દશામાં પણ અગ્નિની હૈયાતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy