________________
૨૮૬
છવ-અધિકાર.
[ પ્રથમ " प्रमाणवाक्यं तु युगपत्सकलधर्मग्राहि वाक्यम् :- ( पू०६)।
અવાજો ક્ષાર રસ્થામંaiટ વાયાં નારાયણ” (પૃ. ૧) “ अपरधर्मापलापेनैकधर्मग्राहि वाक्यं दुर्भयवाक्यम् ” (पृ. ६)। અર્થાત્ નયવાક્ય–ગર્ભિત પ્રમાણ–વાકય સમગ્ર ધર્મોનું એક સાથે ગ્રહણ કરનારૂં વાકય છે; અન્ય ધર્મોના ગ્રહણને વિષે ઉપેક્ષા કરનારું અને એક ધર્મનું ગ્રહણ કરનારું વાકય “નય-વાય” છે; અપર ધર્મોને અ૫લાપ કરવા પૂર્વક એક ધર્મનું ગ્રહણ કરનારું વાક્ય ‘નય-વાકય છે.
પરમહંત કુમારપાલ નરેશ્વરના પ્રતિબંધક શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત અન્યાગનું નિમ્નલિખિત પદ્ય શું સૂચવે છે?
“ સર ન થાત હિતિ ત્રિપs, ગીત કુનનિયમમા
यथार्थदर्शी तु नयप्रमाण-पथेन दुर्नीतिपथं त्वमास्य ॥ २८ ॥"
અર્થાત દરેક વસ્તુ સાપ જ છે એ કથન “દુનતિ' (દુર્નચ) છે, વસ્તુ સત્ છે એ કથન નય છે અને વસ્તુ કથંચિત સત છે એ કથન “પ્રમાણુ” છે. આ પ્રમાણે ત્રણ પ્રકારે વસ્તુને નિર્ણય થાય છે. વાસ્તવિક વસ્તુને નિરીક્ષક એ તું નય અને પ્રમાણના માર્ગ વડે દુર્નયમાગને દૂર કર.
આ વિવેચન ઉપરથી સુનય અને દુર્નચ એટલે શું તે ધ્યાનમાં આવ્યું હશે, પરંતુ સાથે સાથે એટલું ઉમેરવું બાકી રહે છે કે દુર્નય, નય અને સુનય એવી ત્રણ કલ્પનાઓને તે દિગંબરે સ્વીકાર કરે છે, નહિ કે શ્વેતાંબર એમ શ્રીમલયગિરિસૂરિ નિમ્નલિખિત ઉલેખ દ્વારા સૂચવે છે –
"नयो दुनयः सुनयश्चेति दैगम्बरा व्यवस्था, न त्वस्माकम् ; नय-दुर्नययोराविशेषात् ." પરંતુ આ સૂચન ઉપર્યુક્ત ભાવાર્થથી વિરૂદ્ધ જતું દેખાય છે, એટલે કે તારાચાર્યો પણ ત્રણ કલ્પનાએ સ્વીકારતા હોય એમ લાગે છે.
સુનય અથવા જેને આપણે સામાન્ય રીતે નય તરીકે ઓળખાવીએ છીએ અને હવે પછી પણ કરીશું તેનું યથાર્થ સ્વરૂપ લક્ષ્યમાં આવે તે માટે જેમ આપણે નયાભાસને થોડે ઘણે અંશે વિચાર કર્યો તેમ નયમાં અને પ્રમાણમાં શું તફાવત છે તે જાણવું આવશ્યક છે એટલે એની પણ ૫૭ સ્કૂલ રૂપરેખા અવકીએ.
૧ પ્રમાણ-વાક્યની જેમ નય વાક્યને વિષય નો જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org