________________
છવ-અધિકાર. .
[ પ્રથમ આવ્યું નથી. કહેવાનો મતલબ એ છે કે અહીં જે પરપર્યાના નાસ્તિત્વ સાથે ઘડાને સંબંધ હેવાથી પરપર્યાયે સાથે પણ ઘડાને સંબંધ છે એમ માનવામાં આવે, તે ઘડાને સંબંધ પટના નરિતત્વ સાથે લેવાથી તેને પટ સાથે પણ સંબંધ છે એવી લોકવિરૂદ્ધ માન્યતા રવીકારવી પડશે.
આને જવાબ એ છે કે નાસ્તિત્વનો અર્થ તે તે રૂ નહિ હેવાપણું એમ છે. આ જાતનું નાસ્તિત્વ એ વરતુને ધર્મ છે અને એથી એ કાંઈ સર્વથા તુચ્છરૂપ નથી. એથી કરીને એને ઘડા સાથે સંબંધ હોઈ શકે છે. એનું કારણ એ છે કે ઘટ પટરૂપે નથી એમ કહેવામાં આવતુ ઘડાની સત્તા જણાવવામાં એ ઘડે કપડારૂપે નથી. ઘડામાં કપડારૂપે નારિત છે, એ ભાવની પણ ખાસ જરૂર પડે છે. પટમાં જે જે ગુણધર્મો–વભાવે છે તે ઘટમાં નથી– રૂપે ઘટ નથી એ તે ઘડાને રૂપે (સ્વરૂપે) જ છે એ હકીકતમાં આ વાત રપષ્ટ જણાય એવી છે કે ઘડે પોતાનું સ્વરૂપ જણાવતાં કપડારૂપે પોતે નથી એ વિશેષણ-એ પરપર્યાયના નાસ્તિત્વની ખાસ અપેક્ષા રાખે છે. એથી કરીને જે જે ગુણો કપડાના છે તે પણ ઘડાના ઉપયોગમાં આવી જાય છે અને એ જ રીતે વિચાર કરતાં સમજી શકાય છે કે કપડું પણ ઘડા સાથે સંબંધ ધરાવી રહ્યું છે, પછી ભલેને એ સંબંધ નારિતત્વરૂપે હોય. ઘડે કપડારૂપે નથી એ વાત સુવિદિત હોવાથી કપડા અને ઘડ વચ્ચે નાસ્તિત્વરૂપ સંબંધ છે એ નિઃસંદેહાત્મક કથન છે. શું લેકો ઘડે, કપડું વગેરે પદાર્થો પરસ્પર અભાવરૂપ છે એમ કહેતા નથી? આ ઉપરથી સમજાય છે કે કપડા વગેરેના જે ગુણ કે ધર્મો છે, તે બધાને ઉપગ એક અપેક્ષાએ ઘડાને માટે પણ થઈ શકે છે. વળી એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેને જેની સાથે સંબંધ હોય તે બધા તેના પર્યાય કહી શકાય. ઘડાને ઘડાને રૂપ વગેરે સાથે સંબંધ છે. માટે એ રૂપાદિ જેમ ઘડાના પર્યાય કહી શકાય તેમ કપડાના ધ કે ગુણોનો પણ સંબંધ કે અપેક્ષાએ ઘડાની સાથે લેવાથી એ પણ ઘડાના પર્યાયે કહી જ શકાય. વળી, જે એ કપડા વગેરેના ગુણ કે ધર્મો ન હોત, તે ઘડાના પિતાના જ પર્યાને સ્વપર્યા તરીકે શી રીતે ઓળખાવાય? કેમકે જ્યારે પિતાનું અને પારકું એમ બે પક્ષે હોય ત્યારે જ આ વ્યવહાર થઈ શકે છે એટલે કે આ ગુણો ઘડાના પિતાના છે અને આ ગુણો પારકા છે. આ વ્યવહારની અપેક્ષાએ પણ કપડા વગેરેના ગુણે ઘડાને ઉપયોગી થઈ પડે છે, માટે જ એ પર-ધર્મો પણ એ ઘડા સાથે સંબંધ ધરાવી શકે છે. વળી એ પણ ભૂલવું ન જોઈએ કે પદાર્થ માત્ર સ્વતંત્ર સ્વભાવ છે, દરેકને સ્વભાવ પ્રતિનિયત ( મુકરર-અમુક) છે; વારતે જ્યારે કોઈ પણ પદાર્થનું યથાર્થ રવરૂપ જાણવું હોય ત્યારે એ શું છે એટલું જ નહિ જાણતાં એ શું નથી તે પણ જાણવું જોઈએ એટલે કે બીજા કયા
ક્યા પદાર્થો છે અને તેના શા શા સ્વભાવે છે તેને બોધ હોવો જોઈએ. આ પ્રકારના જ્ઞાન વિના કઈ પણ મનુષ્ય પદાર્થનું વારતવિક પૃથક્કરણ કરી શકે તેમ નથી તેમ તેના પ્રતિનિયત સ્વભાવથી પરિચિત થઈ શકતું નથી. આથી એ તાત્પર્ય નીકળે છે કે એક ઘડાનું વાસ્તવિક જ્ઞાન
૧ અત્ર એ સ્મરણમાં રાખવું ઉપયોગી સમજાય છે કે જે પય જેમાં અસ્તિત્વરૂપે સંબદ્ધ હોય તે પય તે વસ્તુના પિતાના ગણાય છે એટલે કે તે સ્વપર્યા છે. અને જે છે જેમાં નાસ્તિત્વરૂપે સંબદ્ધ હોય તે તે વસ્તુના પપયા છે. આ પ્રમ ણે જ 4 અને પર શબ્દ નિમિત્તનો ભેદ જ જણાવે છે, પરંતુ સર્વથા સંબંધ કે અસંબંધ જણાવતા નથી. વિશેષમાં ઘટમાં પટના પાયે નાસ્તિત્વરૂપે સંબદ્ધ છે એટલે વ્યાવૃત્તિરૂપે તેને ઘટના સ્વપર્યાય ગણવા તે વિરોધાત્મક કથન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org