________________
ઉલ્લાસ ]
આત દાન દપિકા,
૨૮
અન્ય પદાર્થોથી આ ઘડા જુદે હવાથી આમાં અવક્તવ્ય એવા અનંત પરધર્મોને પણ સમાવેશ થાય છે. આ પ્રમાણે એક ઘડાનું દૃષ્ટાન્ત આપી તેમાં અનંત ધર્મો રહેલા છે એમ જેમ સિદ્ધ કરી શકાયું, તેમ પદાર્થ–માત્ર પરત્વે એટલે જીવાદિ સંબંધી દર્શાવી શકાય તેમ છે.
પ્રાસંગિક શંકાઓ અને સમાધાને
ઉપર્યુકત વિવેચનના મીમાંસકને કદાચ એ પ્રશ્ન પુર કે જે પર્યાયે ઘડાના પોતાના છે તે તેના સંબંધી ભલે કહેવાય, પરંતુ જે પર પર્યા છે અને જે ઘડાથી અન્ય પદાર્થોમાં રહેનારા છે, તે એના સંબંધી કેવી રીતે ગણાય? આને ઉત્તર એ છે કે સંબંધના બે પ્રકારે છેઃ (૧) અસ્તિત્વ (વિદ્યમાનતા-હૈયાતી)રૂપે સંબંધ અને (૨) નાસ્તિત્વરૂપે સંબંધ. જેમ ઘડાને ઘડાના સ્વપર્યાય રૂપ સાથેનો સંબંધ અસ્તિત્વરૂપે છે, તેમ તેને તેના બીજા પણ સ્વપર્યાયો સાથે અસ્તિત્વરૂપે સંબંધ છે, પરંતુ જેમ અછતા માટીરૂપ પર્યાય સાથે ઘડાને નારિતત્વરૂપે સંબંધ છે તેમ પરપર્યાયે ઘડામાં નહિ રહેતા હોવાથી તેની સાથે પણ એને નારિતત્વરૂપે સંબંધ છે. ફક્ત એ પરપર્યા ઘડામાં રહેતા નથી વારતે જ એને સંબંધ નાસ્તિત્વરૂપ કહેવાય છે અને એ માટે જ તે પરંપર્યાય પણ કહેવાય છે.
વળી, અહીં કે એમ શંકા ઊઠાવે કે જેમ ધન વિનાને ગરીબ માણસ ધનવાન કહેવાતે નથી, તેમ જે પરપર્યાયે ઘડાના નથી, તેઓ ઘડાના શી રીતે કહેવાય? આમ છતાં પણ જે તેમ કહેવામાં આવે એટલે કે જે વસ્તુ જેની ન હોય છતાં તે તેની છે એમ માનવામાં આવે તે શું લેકના વ્યવહારને ભંગ થશે નહિ? આનું સમાધાન એ છે કે જેમ ધન અને ગરીબ વચ્ચે સંબંધ તે છે પણ તે નાસ્તિત્વરૂપ છે તેમ પરપર્યાયે અને ઘડા વચ્ચે સંબંધ તો છે, કિન્તુ તે નાસ્તિત્વરૂપ છે. નાસ્તિત્વરૂપે સંબંધ હોવામાં કોઈ જાતને બાધ નથી, કેમકે આ ગરીબને ધન નથી અર્થાત્ ગરીબ અને ધન વચ્ચે નારિતત્વરૂપ સંબંધ છે એ શું લોક-વ્યવહાર નથી? આથી એ ફલિત થાય છે કે ઘડા અને પરપર્યાયો વચ્ચે અસ્તિત્વરૂપ સંબંધ છે એ કથન જેમ ખોટું છે, તેમ એ બે વચ્ચે કોઈ પણ પ્રકારનાસ્તિત્વરૂપે પણ સંબંધ નથી એ કથન પણ અસત્ય જ છે.
અત્ર કેઈ એ તક કરે કે નાસ્તિત્વ તે અભાવરૂપ-અસરૂપ છે અને તે તુચ્છ છે તે એવા તુચ્છરૂપ સાથે કંઈને કશે સંબંધ હોઈ શકે? ન જ હોય; તે પછી પર૫ર્યાયે પણ તુચ્છરૂપ હોવાથી એની સાથે ઘડાને સંબંધ શી રીતે માની શકાય ? કારણ કે જે કંઈ તુરછરૂપ હોય તેમાં કોઈ પણ જાતની શકિત હોતી નથી તો પછી સંબંધ-શકિત ક્યાંથી હોય? વળી, જે ઘડામાં પરપર્યાનું નાસ્તિત્વ છે, તે નાસ્તિત્વ સાથે ઘડાને સંબંધ માનવે તે ઠીક છે, પરંતુ પરપર્યાયે સાથે એને સંબંધ કેમ મનાય ? જેમ કે ઘટને પટાભાવ ચાને પટના નાસ્તિત્વ સાથે સંબંધ છે એથી કરીને એને ઘડાનો સંબંધ પટ સાથે પણ હોય એવું જોવામાં કે સાંભળવામાં
૧ પ્રસ્તુત વિષયમાં વિશેષ વ્યવધાન થવાના ભયથી આ સંબંધમાં આગળ ઉપર યથારથાન વિચાર કરવાને ઈરાદે રખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org