SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ર૭૯ જ્યારે જે માપની અપેક્ષાએ એ અન્ય અન્ય દ્રવ્યથી જુદા પડે છે તે તે માપ એના પર ધર્મો છે અને એ દષ્ટિએ એ અસત્ છે. આ પર ધર્મો પણ અનંત છે. વળી આ ઘડો કે પદાર્થની છેક પાસે તે, કેઈકની એઓ પાસે, તો કેઈકની એથી ઓછો પાસે છે, અથવા અમુક પદાર્થથી એ દૂર છે, એના કરતાં અમુક પદાર્થથી વિશેષ દૂર છે, અથવા તો અમુક દ્રવ્યથી તે એક ગાઉ, તે અમુકથી બે ગાઉ ઇત્યાદિ અનંત કથન એ સંબંધમાં થઈ શકે છે. આ બધાં કથને સ્વધર્માત્મક હેવાથી એની અપેક્ષાએ ઘડે સત છે. વિશેષમાં આ ઘડે કે પદાર્થની અપેક્ષાએ પૂર્વમાં, તે કેઈકની અપેક્ષાએ પશ્ચિમમાં, તે કોઈની અપેક્ષાએ વાયવ્ય કોણમાં, તે કેઈની અપેક્ષાએ ઈશાન કોણમાં છે. એ રીતે દિશા અને વિદિશાની અપેક્ષાએ પણ ઘડાના સ્વ પર્યા અનેક છે. કાળની અપેક્ષાઓ ઘડાના સ્વ ધર્મોની અનંત સંખ્યા ઘટી શકે છે, કેમકે કાળના ક્ષણ, લવ, ઘઉં, દિવસ, મહિને, વર્ષ ઈત્યાદિ ઘણા ભેદે છે અને એ ભેદની અપેક્ષાએ ઘડે બીજા સર્વે દ્રવ્યોથી પર-અપર હોઈ શકે છે, માટે એના સ્વ ધર્મો અનંત છે એમ કહેવું ખોટું નથી. જ્ઞાનની વિવક્ષાથી પણ એના સ્વધર્મો અનંત જણાય છે, કેમકે અનંત છે અને એ સર્વે આ ઘડાને પોતપોતાના દ્રષ્ટિકોણથી–મતિજ્ઞાનાદિથી જાણી રહ્યા છે. કોઈને એને સર્વથા - સ્પષ્ટ બંધ છે, તે કેઈકને એથી ઓછા સ્પષ્ટ, તે કઈકને અસ્પષ્ટ ઇત્યાદિ. વળી આ ઘડો અનંતાનંત જાતનાં સુખ, દુઃખ, ત્યાગ કરવાની બુદ્ધિ, ગ્રહણ કરવાની મતિ, તટસ્થ (ઉદાસીન) રહેવાની વૃત્તિ, પુણ્ય, પાપ, કમને બંધ, કેઈ પ્રકારને સંસ્કાર, કેધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, મેહ, જમીન ઉપર આળોટવું, પડવું, વેગ વગેરેના કારણરૂપ કે અકારણરૂપ હોવાથી ઘટ અનંત ધર્મોત્મક ગણી શકાય તેમ છે. વળી ક્રિયાની અપેક્ષાએ પણ ઘટના સ્વ તેમજ પર ધર્મો અનંત છે, કેમકે ઊંચે ફેંકવું, નીચે ફેંકવું, સંકોચ કરે, વિસ્તાર કરે, ભમવું, ઝરવું, ખાલી થવું, ભરાવું, અન્ય સ્થાને લઈ જવું, પાણી લાવવું, પાણી ધરી રાખવું ઇત્યાદિ અનંત પ્રકારની ક્રિયાના કારણરૂપ ઘડો સંભવે છે. તેમજ જે પદાર્થો આ કિયાઓના કારણરૂપ નથી, તેનાથી એ દષ્ટિએ આ ઘટ જુદો છે–એ રૂપે આ ઘટ અસત્ છે. સામાન્યાદિની અપેક્ષાએ પણ ઘટ અનંતધર્માત્મક છે. જેમકે પૂર્વે નિવેદન કર્યા પ્રમાણે અતીત, અનાગત અને વર્તમાન કાળમાં જે જે વસ્તુમાત્રના અનંત સ્વપર્યાય અને પરપર્યાયે દર્શાવ્યા છે તે પૈકી કેઈના એક પર્યાય સાથે, તે કેકના બે સાથે, તે કેઈકના ત્રણ એમ ઠેઠ કેઈના અનંત પર્યાયે સાથે ઘડાની સમાનતા રહેલી છે. આ સમાનતા અનંત પ્રકારની છે એ દેખીતી વાત છે. વિશેષ યાને વિલક્ષણતાની અપેક્ષાએ પણ એના સ્વધર્મો અનંત છે, કેમકે કઈ પદાર્થથી તે એક જ રીતે વિલક્ષણ-જુદો હોય, તે કેઈથી બે રીતે વિલક્ષણ, તે કેઈથી ત્રણ પ્રકારે તે કેઈથી અનંત પ્રકારે. વળી, અનંત પદાર્થોની વિવક્ષાએ ઘડામાં રહેલી સ્કૂલતા, કૃશતા, સમતા, વકતા, સૂક્ષમતા, આદરતા, તીવ્રતા, ચકચકાટ, સુંદરતા, પહોળાઈ, ટુંકાઈ, નીચતા,ઉગ્રતા, વિશાળ મુખપણું ઇત્યાદિ એક એક ગુણ અનંત પ્રકાર ને છે. તેથી એ રીતે પણ ઘડામાં અનંત ધર્મો સંભવે છે આ ઘડો આજ અનંત કાળ થયા અનંત ૧ અસંખ્ય સમય મળીને એક “આવલિકા” થાય છે. અન્ય શબ્દમાં કહીએ તો સૂક્ષ્મ નિગોદના જીવના જવન્ય આયુષ્યન ૨૫૬ મો ભાગ તે “આવલિકા” છે. ૪૪૪૬ ૪૬ આવલિકા જેટલો કાળ તે “પ્રાણ કહેવાય છે. ૭ પ્રાણુ જેટલો કાળ તે “લવ' કહેવાય છે, ૭૭ લો જેટલો કાળ તે “મુહર્ત કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy