________________
ઉલ્લાસ 1 આહંત દર્શન દીપિકા.
૨૭૫ આ ઉપરથી વેતાંબર તેમજ દિગંબર મત પ્રમાણે નયનું લક્ષણ સમજી શકાય છે, પરંતુ ગ્રન્થકારનું એ સંબંધમાં કેવું વલણ છે તે જાણવું બાકી રહે છે એટલે એ જ દિશામાં પ્રયાણ કરીશું. એમના શબ્દમાં નયનું લક્ષણ એ છે કે –
___ अनन्तधर्मात्मकवस्तुनि धर्मान्तरौदासीन्यपूर्वकैकधर्मोन्नायकाध्यवसायविशेषरूपत्वं, अनेकधर्मकदम्बकोपेतवस्तुनो धर्मान्तरौदासीन्यपूर्वकैकधर्मेणावधारणात्मकाध्यवसायविशेषरूपत्वम्, प्रकृतवस्त्वंशग्राहीतरांशाप्रतिक्षेप्यध्यवसायविशेषरूपत्वं वा नयस्य लक्षणम् । ( ) અર્થાત અનન્તધર્માત્મક વરતુમાં રહેલા અનેક ધર્મોમાંના, અન્ય ધર્મોને નિષેધ કર્યા વિના અર્થાત્ તે ધર્મો તરફ ઉદાસીન રહીને કોઈ એક ધર્મ દ્વારા વસ્તુને નિશ્ચય કરવા રૂપ અધ્યવસાય તે “નય” છે. અન્ય શબ્દોમાં કહીએ તે કેઇ એક વસ્તુ સંબંધી જુદી જુદી દષ્ટિએઅપેક્ષાએ વિચાર કરવાથી જે જુદા જુદા યથાર્થ અભિપ્રાયે બાંધવામાં આવે, તે બધા “નય ” . કહેવાય છે. જેમકે કોઈ એક પુરુષ સંબંધી જુદી જુદી દષ્ટિએ વિચાર કરતાં તેને પિતા, પુત્ર, મામ, ભાણેજ, કાકે, ભત્રીજો ઈત્યાદિ વિવિધ રૂપે માનવે તે “નય” છે. તે પુરુષ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે, પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને વળી પિતાના ભાણેજ અને ભત્રીજાની અપેક્ષાએ મામો તથા કાકે છે. એ પ્રમાણે બાકીનાં સગપણે પણ ઘટાવી શકાય તેમ છે. આ દષ્ટાન્ત ઉપરથી સમજી શકાય છે કે એકના એક પુરુષમાં પિતૃત્વ, પુત્રત્વ ઇત્યાદિ અનેક ધર્મો રહેલા છે. અર્થાત્ દરેક વસ્તુ અનંતધર્માત્મક છે. વસ્તુના અનંત ધર્મો
જૈન શાસ્ત્રમાં અને પ્રસ્તુતમાં નયના લક્ષણમાં પદાર્થને અનંતધર્માત્મક-અનંત ધર્મવાળા કહાો છે. આથી એક પદાર્થમાં અનન્ત ધર્મો કેવી રીતે ઘટે છે એ જાણવાની સહજ ઉત્કઠા થાય. આની તૃપ્તિ માટે આપણે તર્ક રહસ્યદીપિકા (પત્રાંક ૮૫-૯૦)ને આશ્રય લઈશું. “અનંત એટલે જેને અંત છેડા) ન આવી શકે-જેની ગણના ન થઈ શકે તે અર્થાત્ ‘અપરિમિત અને “ધમ ” એટલે સહભાવી કે કમભાવી પર્યાય યાને સ્વભાવ. આથી કરીને અનંતધર્માત્મક કહે કે અનેકાન્તાત્મક કહો તે એક જ છે, કેમકે અનેકાન્તાત્મક અર્થ અનેક અંશે-ધર્મો-સ્વરૂપેથી યુક્ત એમ થાય છે. વસ્તુ-માત્ર–ભલે પછી તે ચેતન હોય કે જડ અનંતધર્માત્મક છે, કેમકે એનું જ્ઞાન પ્રમાણ દ્વારા થઈ શકે છે. આ સ્થળે અન્વય-દષ્ટાન્ત મળી શકે તેમ નથી, કેમકે કઈ પણ વરતુ ચેતન કે જડ વસ્તુરૂપ પક્ષમાં સમાઈ જાય છે. એથી અત્ર વ્યતિરેક ઉદાહરણ મળી શકે છે. જેમકે જે વસ્તુ અનંતધર્માત્મક નથી, તે પ્રમેય (પ્રમાણુથી જાણી શકાય તેમ) નથી. દાખલા તરીકે આકાશકુસુમ. આ અનુમાન સર્વથા દેષથી રહિત છે. વળી પ્રત્યક્ષાદિ પ્રમાણે પણ આ હકીકતને પુષ્ટિ આપે છે.
૧ નય, પ્રાપક, સાધક, નિવંતક, નિર્ભસક, ઉપલંભક, વ્યંજક એ બધા સમાનાર્થક છે. જુઓ તસ્વાર્થ (અ. ૧, સૂ૦ ૩૫ નું ભાષ્ય (પૃ ૧૨૦ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org