SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જીવન કથા ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ ” એમ નરસિંહ મહેતા જેવી ભાવના જાગી. અને ભાવનાને સાકાર કરવા તેઓ સમય શોધવા લાગ્યા. છેવક તપાસ કરતાં તેમણે જાણ્યું કે જેમનાથી પિતાની મુંઝવણ દૂર થઈ હતી એવા શાઅવિશારદ વિજયધર્મસૂરિજી “સમી ગામમાં વિરાજતા હતા. મનસુખને મન થયું-“ચાલ ભાઈ ! એમના ચરણમાં જઈને ઝુકાવી દઉં.” . એક રળિયામણી પ્રભાતે હજી સૂર્યના લાલ ગળામાંથી કિરણેયે નેતાં છુટ્યાં તેવામાં મનસુખ-આજને નવજુવાન મનસુખ જાણે સ્નેહના પાશને અંતરના બળથી કાપી ન નાખતે હોય અને છુટ થવા માંગતે ન હોય તેમ ભરેલા ઘરમાંથી એકાકી નીક–નીકળી પડશે. એણે ગામને સુંદર સીમાડો વટાવ્યા. તે સ્ટેશનના રસ્તે પડશે. દષ્ટિમાંથી ઝાંખા થતા પિતાના ગામને જાણે અન્તિમ વખત ન જેતે હેય તેમ એક ઉડતી નજર નાખી રવાના થયો. સ્ટેશન આવ્યું–ગાવ આવી-ગામાં બેઠો-ઉતર્યો-ચા અને “શંખેશ્વર તીર્થમાં જઈ તીર્થયાત્રા કરી ત્યાંથી “સમી ગામમાં ગુરુશ્રીની સેવામાં ઉપસ્થિત થઈ ગયે. તેણે પિતાની મહતી ઈચ્છા જાહેર કરી. ૫ણે એ સૂરિવર્ય આજના કેટલાક સ્વછંદી સાધુઓના જેવા ન હતા. આજના અમુક સાધુઓના જેવી એમની વૃત્તિ ફક્ત શિષ્ય જ એકઠા કરવાની નેતી કિતુ એમની વૃત્તિ તરફી સંગ નિહાળી કામ કરવાની હતી. ખરેખર ! પીળાં ચા વેત કપડાં પહેરી લેવાથીમાથું મુંડાવી નાંખવાથી ગૃહત્યાગ કરવા માત્રથી સાધુત્વની પર્યાપ્તિ નથી થતી, પરંતુ મેહ, માયા અને કક્ષાની સામે ઝૂઝતા અંતરના માપથી સાધુત્વની સીમા મપાય છે. વિજયધર્મસૂરિજીએ ફરમાવ્યું-“ભાઈ ! એક વખત ફરી પાછા ઘેર જાએ. સગાં નેહીઓને મળે ને તેમની આજ્ઞા મેળ; એ વિના દીક્ષા ન અપાય. મનસુખ હતોત્સાહ થયા. પણ જરા હીંમત એકઠી કરી તેણે એક પાસે ફેંક્યો-“જી, આપની વાત યથાર્થ છે, પણ સ્નેહીઓ મને કેમ રજા આપે? એમની પાસે હું વધારે છે કહી શકું?” મહાત્માજીએ હસતે મુખડે જવાબ વાળે-“તે મનસુખ! જે આટલી પણ શક્તિ સાધુ થનારમાં ન હોય તે પછી સાધુ થઈને પણ શું કરશે? તમારે હદય મજબૂત રાખી સ્નેહીઓને સમજાવી તેમની રજા મેળવી આવવું જોઈએ, નહિં તે દીક્ષા નહિં મળે,” સૂરિજીએ તે રોકડું પરખાવ્યું. મનસુખ સમજે કે અહિં દાળ નહિં ગળે. ચાલે કરી ઘર અને વળી ને પ્રયત્ન શરૂ કરીએ. મનસુખે ઘર તરફને રસ્તો લીધે. એના મનમાં હજી એ જવાબને પડશે ગાજતે હસે કે-“નહિં તે દીક્ષા નહીં મળે.” આ વાત ઉપર ચાર છ મહિનાનાં પડે વીંટાઈ ગયાં, છતાં મનસુખના મનની વાત પર હજી એક પણ પડ નો'તું ચડયું. એણે મોટા ભાઈને તે કહી જ દીધું હતું કે-“મારે દીક્ષા લેવી જ છે, રજા આપશો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy