SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ છ–અધિકાર. [ પ્રથમ વાળા કેવલીમાં પૃથક્ કેવલદર્શન સંભવતું નથી. સર્વજ્ઞ જેવી સમર્થ વ્યક્તિમાં વ્યક્તતાઅવ્યક્તતા કેવી રીતે સ્વીકારાય? આ વાત સંમતિ ( ક. ૨)ની નિમ્નલિખિત ગાથામાં ઝળકી ઊઠે છે – " परिसुद्धं सायारं, अवियत्तं दसणं अणायारं। ण य खीणावरणिज्जे जुजइ सुवियत्तमविधत्तं ।। २.१ ॥" આથી એ ફલિત થાય છે કે સામાન્ય-વિશેષસ્વરૂપ યને સાક્ષાત્કાર કરવાવાળું, અને બંને રીતે એક સ્વભાવવાળું કેવલીને જ્ઞાન હોવું જોઈએ. - અત્ર કઈ એવી શંકા કરે કે ગાઢ બે પ્રકારનાં હોવાથી ગ્રાહક જ્ઞાન પણ બે પ્રકારનું હેવું જોઈએ તે તે અસ્થાને છે, કેમકે આમ માનવા જતાં તે કેવલજ્ઞાનના ગ્રાહા અનન્ત હેવાથી ગ્રાહકરૂપ કેવલજ્ઞાન પણ એક વ્યક્તિમાં અનન્ત માનવાં પડશે. વિષયમાં ભિન્નતાઓ હોવાને લીધે જ્ઞાનમાં ભિન્નતા માનવી એ ઠીક નહિ. કદાચ ઉપચારથી એમ માનવામાં આવે તે વાંધો નથી, બાકી પ્રધાનપણે તેમ કરવું જાણ્યું નથી. છતાં જો એમ માનવાને કદાચંડ કરવામાં આવે તો એક દીપક અનેકને પ્રકાશક હેવાથી એમાં પણ અનેકતાની વ્યર્થ કલ્પના કરવી પડશે. ( આ પ્રમાણે સૂર્યનાં સંબંધમાં પણ ઘટાવી લેવું). વળી જેમ ઠંડા અને ઊના સ્પર્શમાં તેના જુદા જુદા સ્વભાવને લઈને જેમ પરસ્પર વિરોધ છે, તેમ એક સ્વભાવવાળા બે ઉપયોગમાં વિરોધ નથી. દાખલા તરીકે દર્શન અને સ્પર્શનરૂપ બે શક્તિવાળા એક દેવદત્તમાં જેમ વિરોધ નથી, તેમ ઉભય સ્વભાવ સ્વરૂપી એક જ્ઞાનવાળા કેવલીમાં વિરેાધ નથી. જ્ઞાનપણા અને દર્શનપણાને લઈને જ જ્ઞાન અને દર્શનમાં ભિન્નતા છે, નહિ કે ધમના ભેદને લઈને. આ ઉપરથી એજ્યવાદી ક્રમિક કે અક્રમિક ઉપયોગવાદીને કહે છે કે આપની માન્યતા યુકિતવિકલ હેવાથી વજનદાર નથી એટલું જ નહિ, પરંતુ આગમ પણ આપના મતને અસંગત ઠરાવે છે. આના સમર્થનાથે સંમતિ (કા. ૨)ની નિમ્નલિખિત ગાથા રજુ કરવામાં આવે છે – - grણમurષ્ણ વી. વઘાવિશ ન મારૂ છે ૨૨ ! " અર્થાત ક્રમિક પક્ષમાં જ્ઞાન-કાલમાં અદષ્ટ અને દર્શન-કાલમાં અજ્ઞાત રવીકારવાં પડે છે, એટલે કે કેવલી જ્ઞાન–કાલમાં જોઈ શકતા નથી અને દર્શન–કાલમાં તેઓ જાણી શકતા નથી. ૧ છાયા નિયુક્ત કરવા મદદરું નાનrry | न च क्षीणावरणे युज्यते सुव्यक्तता-ऽव्यक्तले ॥ अष्टमज्ञातं च केवली एष भाषते सदाऽपि । पश्मिर समये भोपचनविकरपोन सम्भवति। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy