________________
૨૬૮
છવ–અધિકાર.
[ પ્રથમ અને કેવલદર્શનના કાળમાં કેવલજ્ઞાનને સાવ માન્યા વિના છુટકે નથી. એમ નહિ રવીકારવાથી તે બેમાંથી એક પણ ઉપયોગ નહિ સંભવે. આ વાતને સમ્મતિ ( કોઇ ૨)ની નિમ્નલિખિત ગાથા પુષ્ટિ આપે છે –
तम्मि केवले दसणम्मि णाणस्स संस्बो णथि।
केवलणाणम्मि य दंसणस्स तम्हा सणिहणाई ।। ८॥" અર્થાત કમિક વાદ સ્વીકારતાં કેવલદર્શનના સમયે કેવલજ્ઞાનનો સંભવ નથી અને કેવલજ્ઞાનના સમયે કેવલદશનને સંભવ નથી, એથી એ સાન્ત સિદ્ધ થાય છે.
વળી, જ્યારે સર્વજ્ઞને સામાન્ય અને વિશેષ ઉપયોગનાં આવરણને સર્વથા નાશ થયેલે આપ માને છે તે કેવલજ્ઞાન અને કેવલદર્શન પૈકી આપ પ્રથમ કોની ઉત્પત્તિ સ્વીકારો છે? એકના ઉત્પાદના સદભાવમાં બીજાને ઉત્પાદ અનિવાર્ય છે. કદાચ એકની સામગ્રી બીજાને પ્રતિબંધક માનવા પ્રેરાશે તે બેમાંથી એકને પણ સદૂભાવ રહેશે નહિ, બનને અભાવ માનવે પડશે.
ક્રમિક–પ્રથમ કેવલજ્ઞાન અને પછી કેવલદર્શન ઉત્પન્ન થાય છે એમ અમે બેધડક સ્વીકારીએ છીએ, કેમકે વિશેષાની નિમ્ન–લિખિત ગાથા અમારા મતને ટેકો આપે છે –
" सव्वाओ लद्धीओ जं सागरोव ओगलाभाओ।
तेणेह सिद्धलद्धी उपजइ तदुवउत्तरस ॥ ३०८९ ॥" અર્થાત્ સાકાર ઉપગના લાભથી સમગ્ર લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેથી અત્ર તે સાકાર ઉપગવાળાને સિદ્ધ-લબ્ધિ ઉત્પન્ન થાય છે.
યુગપ૬૦-- આપનું આ કથન ગેરવ્યાજબી છે, કેમકે ઉપયુક્ત ગાથા તે લબ્ધિના સમકાલીન ઉત્પાદની સાક્ષી પૂરે છે, નહિ કે ક્રમિકની, કામક ઉપગ પરત્વે તે એ ઉદાસીન છે. વળી સર્વને કેવલદર્શનરૂપ ઉપગ કેવલજ્ઞાનના અનંતર સમયમાં થાય છે એ હકીકત એક ક્ષણ (સમય) ન્યૂનાધિક આયુષ્યવાળા કેવલીના સંબંધમાં કમિક ઉપગ-દ્રયની ધારાને નિર્વાહ કેવી
રીતે થવા દે?
કમિક–જ્ઞાન-ઉપયોગ-સામાન્યમાં દર્શન-ઉપગની હેતુતા અમે માનીએ છીએ, કેમકે નિર્વિકલ્પક સમાધિરૂપ છદ્મસ્થ-કાલમાં તે અનુભવ થાય છે. આથી પ્રથમ કેવલજ્ઞાનની ઉપપત્તિ
૧૨ છાયા
सति केवलदर्शने ज्ञानस्य सम्भवो नास्ति । केवलज्ञाने च दर्शनस्य तस्मात् सनिधने ( केवलज्ञानदर्शने ॥ सर्वा लब्धयो यत् साकारोपयोगलाभात् । तेनेह सिद्धलब्धिरुत्पद्यते तदुपयुक्तस्य ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org