________________
ભાસ ]
આહંત દર્શન દીપિકા. –ઉલ્લેખ ઉપરથી અર્થાત મન:પર્યાયજ્ઞાન પ૮ પશમથી થતું હોવાને લીધે તે જ્ઞાનરૂપ હેવા છતાં જ્યારે અહીં ઋજુમતિ દ્રવ્યથી અનન્ત પ્રદેશ અનંત ને જાણે છે તેમજ જુએ છે એમ કહ્યું છે તે તેને દર્શન હોવાનું સૂચન થાય છે. આ દર્શન મન:પર્યાયદર્શન કેમ ન હોય એવી શંકા ઉદભવે છે. આનું સમાધાન એ છે કે શ્રુતજ્ઞાનીની પેઠે મનઃ પર્યાયજ્ઞાની મન:પર્યાયજ્ઞાનની ઉત્પત્તિ બાદ ઉત્પન્ન થતા માનસ અચક્ષુદનથી જુએ છે. એટલે કે મનઃપર્યાયજ્ઞાનીરૂપ એક જ પ્રમાતા મન:પર્યાયજ્ઞાનથી મદ્રવ્યને સાક્ષાત્ જાણે છે અને તેને જ અચકુર્દશનથી પરોક્ષપણે જુએ છે. અત્ર કેઈ એ તક ઊઠાવે કે મતિ-શ્રુતજ્ઞાન પક્ષ હેવાથી તે પક્ષાર્થવિષયક છે અને અચક્ષુર્દશન મતિજ્ઞાનને એક પ્રકાર હોવાથી તે પક્ષાર્થ વિષયવાળું છે, એટલે શ્રુતજ્ઞાનના વિષયભૂત મેરુ, સ્વર્ગ વગેરે પક્ષ પદાર્થમાં અચક્ષુર્દશન ઉચિત છે, કેમકે અચક્ષુદર્શનને શ્રતનું આલંબન હોવાથી તેની શ્રતના વિષય સાથે સમાનતા છે, કિન્તુ અવધિ આદિ જ્ઞાને પ્રત્યક્ષ હોવાથી એટલે કે મન:પર્યાયજ્ઞાન પ્રત્યક્ષાર્થ વિષયવાળું હવાથી પરોક્ષ અર્થના વિષયવાળા અર્થાત્ ભિન્ન વિષયવાળા અચક્ષુશનની મન:પર્યાયજ્ઞાનને વિષે કેવી રીતે પ્રવૃત્તિ સ્વીકારાય? તો આને જવાબ એ છે કે ચાક્ષુષ પ્રત્યક્ષથી જણાયેલ ઘટ વગેરે પ્રત્યક્ષ પદાર્થ તે તે સંબંધી અચક્ષુર્દશનમાં વિશેષ અનુગ્રાહક હેવાથી જે પક્ષ અર્થમાં અચસુર્દશનની પ્રવૃત્તિ માની શકાય છે તે પ્રત્યક્ષ અર્થમાં તે તે વિશેષ કરીને સ્વીકારી શકાય તેમ છે. આ પ્રમાણે અચક્ષુદંશનને મન:પર્યાયજ્ઞાનનું અનુગ્રાહક માનવાથી આ જ્ઞાનના પ્રત્યક્ષપણામાં કશો વિરોધ આવતો નથી, કેમકે અવધિજ્ઞાની ચક્ષુદર્શન અને અચક્ષુર્દશન વડે પક્ષ અને જુએ છે, છતાં તેના પ્રત્યક્ષપણામાં જેમ વિરોધ ઉપસ્થિત થતો નથી, તેમ અત્ર પણ સમજી લેવું.
કેટલાક આચાર્યોનું કહેવું એમ છે કે મન ૫ર્યાયજ્ઞાની મનઃ પર્યાય જ્ઞાન વડે જાણે છે અને અવધિદર્શન વડે જુએ છે, પરંતુ પૂજ્યપાદ ભાષ્યકારના અભિપ્રાય મુજબ તે યુક્ત નથી, કેમકે શાસ્ત્રમાં મન:પર્યાયજ્ઞાનીને અવધિદર્શન હોવું જ જોઈએ એ ઉલ્લેખ નથી.
ઉલટું ભગવતીના આઠમા શતકના “આશીવિષ નામના દ્વિતીય ઉદ્દેશકમાં કહ્યું છે તેમ મન:પર્યાયજ્ઞાનીને ચક્ષુર્દશન અને અચશન એ બે અથવા આ ઉપરાંત ત્રીજું અવધિદર્શન હેવાને નિર્દેશ છે. વિશેષમાં અવધિજ્ઞાન અને અવધિદર્શન વિના પણ મન:પર્યાય જ્ઞાન સંભવે છે એ ભૂલી જવા જેવું નથી. આથી એટલે કે મન:પર્યાયજ્ઞાનીને અવધિ હોવું જ જોઈએ એવો નિયમ ન હોવાથી તે અવધિદર્શનથી જુએ છે એમ કેમ મનાય ? આ ઉપરથી એ પણ ફલિત થાય છે કે વિર્ભાગદશન એ અવધિદર્શન જ છે, પાંચ દર્શન ન હોવાથી તેને અવધિદર્શનમાં સમાવેશ કરવામાં આવે છે તેમ મનઃ પર્યાયદર્શન પણ અવધિદર્શનને એક પ્રકાર છે–તેને તેમાં અંતર્ભાવ થાય છે એ કથન અજ્ઞાનમૂલક છે-આગમવિરુદ્ધ છે. મનઃ પર્યાયજ્ઞાની મનઃપર્યાય
૧ આ રહ્યો તે મુદ્રાલેખ – ૨ ભગવતી ( શ૦ ૮, ઉ૦ ૨, સૂ૦ ૩ )માં કહ્યું છે કે
“ તિન્ના તે સfમવિદિવાળો, સુવા, દિનrળી હવા Irfમળિનાથનાળો, સુચનાળીપગનrt 1 ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org