________________
૨૨ છવ-અધિકાર.
[ પ્રથમ અર્થાત્ અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયપશાદિકથી ઉત્પન્ન થતા તેમજ વિશેષને ગ્રહણ કરવામાં વિમુખ એવા રૂપિદ્રવ્ય-વિષયક સામાન્ય બેધને “અવધિદર્શન' કહેવામાં આવે છે. અવધિજ્ઞાની તેમજ વિર્ભાગજ્ઞાની આ દશનના અધિકારી છે. કેટલાક વિસંગજ્ઞાનીને અવધિદર્શન હેય એમ સ્વીકારતા નથી. કેવલદર્શનનું લક્ષણ
केवलदर्शनावरणक्षयादिनिमित्तवशात् त्रैकालिकवस्तुविषयकसामान्यावबोधरूपत्वं केवलदर्शनस्य लक्षणम् । (४९) અર્થાત કેવલદર્શનાવરણીય કર્મના ક્ષયાદિથી ઉદભવત એ અને ત્રણે કાલના પદાર્થવિષયક સામાન્ય બોધ તે “કેવલદર્શન” કહેવાય છે. આ દર્શનના અધિકારી કેવલીઓ છે. શ્રીસિદ્ધસેન દિવાકરનું એમ માનવું છે કે કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બે પૃથ સંભવતા નથી. અર્થાત જે કેવલજ્ઞાન છે તે જ કેવલદર્શન છે.
કેવલીઓને પ્રથમ જ્ઞાન અને પછી દર્શન થાય છે, જયારે અન્ય જીવોને તે પ્રથમ દર્શન અને ત્યાર બાદ જ્ઞાન થાય છે. દશનીઓની સંખ્યા
અવધિદર્શનવાળાની સંખ્યા સૌથી ઓછી છે. ચક્ષુદ્ર્શનવાળાની સંખ્યા આથી અસંખ્ય ગુણી છે. આનાથી અનંત ગુણ કેવલદર્શનવાળા છે અને તેમાંથી અનંત કરતાં પણ અધિક અચક્ષુદ્ર્શનવાળા છે. -મન પર્યાયદર્શનને અભાવ
અત્ર કેઈને શંકા થાય કે મન:પર્યાયદર્શન એમ પાંચમું દર્શન કેમ ન કહ્યું? તે એનું સમાધાન એ છે કે મનઃ૫ર્યાયને વિષય જ્ઞાન જ છે, અને આ જ્ઞાન મનના પર્યાયને જ વિવિક્ત રૂપે ગ્રહણ કરવાથી ઉત્પન્ન થાય છે. વળી અત્ર પર્યાને અર્થ વિશેષ કરવાને છે; અને વિશેષના આલંબનરૂપ તે જ્ઞાન છે નહિ કે દશન. આથી મનઃપર્યાયદર્શન સંભવી શકતું નથી.
આ સંબંધમાં ડોક ઊહાપોહ કરે અસ્થાને નહિ ગણાય. નન્દીસત્રના ૧૮ મા સૂત્રના નિમ્ન-લિખિત–
" १ दवओ णं उजुमइ अणते अणंतपएमिए खंघे जागइ पासह"
૧ છાયાद्रव्यत ऋजुमतिरनन्ताननन्तप्रदेशिकान् स्कन्धान जानाति पश्यति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org