SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અધિકાર. શું પ્રથમ બીજી પદ્ધતિને તાર્કિક કહેવાનાં પણ એ કારણેા છેઃ એક તે તેમાં યજાયેલ પ્રત્યક્ષ, પરાક્ષ, અનુમાન, ઉપમાન આદિ શબ્દોની ન્યાય, બૌદ્ધ આદિ અજૈન દર્શનામાંની સમાનતાસાધારણતા અને બીજું પ્રત્યક્ષ, પરાક્ષ આદિ સમગ્ર જ્ઞાનવૃત્તિનું પૃથક્કરણ કરવામાં રહેલી તર્ક ષ્ટિની પ્રધાનતા. ૨૦ ગણધરદેવ શ્રીસુધ પ્રણીત મૂળ આગમાથી માંડીને ન્યાયાચાય શ્રીયશાવિજયગણની કૃતિ સુધીનાં જ્ઞાનનિરૂપણ પરત્વેના ( કર્મગ્રન્થને બાદ કરતાં) સમસ્ત શ્વેતાંબર–દિગંબર વાડ્મયમાં અને પતિએ સ્વીકારવામાં આવી છે, પરંતુ પ્રથમ પદ્ધતિ જ પ્રાચીન હેાય એમ જણાય છે, કારણ કે જૈનતત્ત્વચિન્તનની ખાસ વિશિષ્ટતા અને ભિન્ન પ્રસ્થાનવાળા કર્મ શાસ્ત્રમાં એ જ આગમિક પદ્ધતિ સ્વીકારાયેલી છે. આથી એમ ભાસે છે કે શ્રમણ ભગવાન્ મહાવીરના સ્વતંત્ર વિચારનું વ્યક્તિત્વ આમિક પદ્ધતિમાં જ છે. બીજી તાર્કિક પદ્ધતિ જોકે જૈન વાડ્મયમાં ઘણા જૂના કાળથી પ્રચાર પામેલી લાગે છે, પણ તે પ્રથમ પદ્ધતિની પછી જ અનુક્રમે દાનિક સઘણુ તેમજ તર્કશાસ્ત્રનુ પરિશીલન વધવાને લીધે ચેાગ્ય રીતે સ્થાન પામી હાય એમ જણાય છે. મૂળ અ’ગે। પૈકી ત્રીજા સ્થાનોંગ નામના આગમમાં તાર્કિક પદ્ધતિના બન્ને પ્રકારોને નિર્દેશ છે. ભગવતી નામના પાંચમા અંગમાં ચાર ભેદવાળા ખીન્ન પ્રકારની તાર્કિક પદ્ધતિના ઉલ્લેખ છે. શ્રીભદ્રબાહુસ્વામીએ દશવૈકાલિક (દુમપુષ્પિકામ્ય પ્રથમ અધ્યયન )ની સ્વકૃત નિયુક્તિમાં ન્યાયપ્રસિદ્ધ પાથૅનુમાનનું અતિવિસ્તૃત અને અતિસ્ફુટ વન જૈન દૃષ્ટિએ કયુ" છે એ ઉપરથી તાર્કિક પદ્ધતિને નિયુક્તિકારના પહેલાં જૈન શાસ્ત્રમાં સ્થાન મળ્યુ હશે તેમ છતાં 'નિયુક્તિમાં પણ, મૂળ અંગામાં નજરે પડતી અને પદ્ધતિના સમન્વય કરાયેલા જણાતા નથી. કાલક્રમે આ કાય કરવા માટે વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ બહાર પડે છે. સમગ્ર આગમનુ દહન કરી સમસ્ત જૈન પદાર્થોને લોકપ્રિય દાનિક સંસ્કૃત સૂત્ર શૈલીમાં સૌથી પ્રથમ ગૂંથનાર આ મુનિચચક્રવર્તી છે. તે તત્વાર્થાધિના પ્રથમ અધ્યાયમાં જ્ઞાનનિરૂપણના પ્રસ ંગે આગમિક "પદ્ધતિના ઉપર તાર્કિક પદ્ધતિ ઘટાવે છે. જ્ઞાનના મતિ, શ્રુત ઇત્યાદિ પાંચ ભેદો દર્શાવી તેને તાર્કિક પદ્ધતિના પ્રથમ પ્રકારમાં ઘટાવતાં તેઓશ્રી કચે છે કે પહેલાં એ જ્ઞાન પરેાક્ષ છે, જ્યારે બાકીનાં ત્રણે પ્રત્યક્ષ છે. તત્ત્વાર્થા ધ॰ (અ૦ ૧, સૂ॰ ૬)ના સ્વાપર ભાષ્ય (પૃ૦ ૫૧)માં “વધિનિÒñ '' કહી તેમણે ચાર પ્રમાણેાના સૂચન કર્યું છે તેમજ આગળ જતાં “નથવારાન્તા” ( પૃ॰ ૫૧ ) એમ કહી તેમણે ચાર પ્રમાણેા અપેક્ષાનુસાર-શબ્દનયની અપેક્ષાએ જૈન દર્શનમાં ઘટી શકે છે એમ પણ સૂચવ્યુ છે. પરંતુ પાંચ જ્ઞાનેને પ્રત્યક્ષ, અનુમાન ઇત્યાદિ ચાર પ્રમાણેામાં સૂત્ર કે ભાષ્ય દ્વારા ઘટાવવા પ્રયાસ કર્યાં નથી કે જેવા પ્રયાસ પ્રથમ પ્રકારની તાર્કિક પદ્ધતિ માટે તેમણે કર્યાં છે. આનું કારણ ૫. સુખલાલજી એમ જણાવે છે કે વાચકવર્યના મત પ્રમાણે પ્રથમ ૧. વાચકશ્રીએ પ્રથમ પ્રકારની તાર્કિક પતિ જૈન દર્શનને વધારે મેસતી છે એવી જે છાપ તત્ત્વાર્થાધિ દ્વારા મારી તેને જ દિગમ્બર વિર્ય શ્રીકુન્દકુંન્દ્રાચાર્ય મજુર રાખી એમ તેમણે રચેલા પ્રવચનસારનાં પ્રથમ પ્રારણથી જોઇ શકાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy